વિકસિત ભારત લક્ષ્યાંકો તરફ ગ્રામીણ વિકાસ, કૃષિ, સામાજિક કલ્યાણ અને સંલગ્ન ક્ષેત્રોની પ્રગતિની સમીક્ષા કરવા પ્રધાનમંત્રીએ સચિવોની ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
July 22nd, 07:37 pm
પ્રધાનમંત્રીએ આજે વહેલી સવારે 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને વિકસિત ભારત લક્ષ્યાંકો તરફ ગ્રામીણ વિકાસ, કૃષિ, સામાજિક કલ્યાણ અને સંલગ્ન ક્ષેત્રોની પ્રગતિની સમીક્ષા કરવા માટે સચિવો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.પ્રધાનમંત્રીએ ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) તથા સામાજિક સુરક્ષા કરાર પર એક લેખ શેર કર્યો
July 15th, 12:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલ દ્વારા ભારત-યુનાઇટેડ કિંગડમ વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) તથા સામાજિક સુરક્ષા કરાર પર લખાયેલો એક લેખ શેર કર્યો છે, તેમણે આ બંને કરારને ભારત-યુકે ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ બંને કરારો ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેના આર્થિક જોડાણોને વધુ ગાઢ બનાવશે અને બંને દેશોની સહિયારી આકાંક્ષાને તેમના લોકો માટે પ્રત્યક્ષ તકોમાં પરિવર્તિત કરશે.પ્રધાનમંત્રીએ જ્ઞાન, કૌશલ્ય અને સ્વાસ્થ્ય પર ભાર મૂકતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું
July 15th, 12:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસ્કૃત સુભાષિત શેર કરતાં ભાર મૂક્યો કે દેશના યુવાનો જ્ઞાન અપનાવીને, નવી કુશળતા શીખીને અને સારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને ભારતના ભવિષ્યને ઘડવામાં એક શક્તિશાળી શક્તિ તરીકે ઉભરી રહ્યા છે. આ ગુણો ફક્ત વ્યક્તિઓને મજબૂત બનાવતા નથી પણ રાષ્ટ્રના નિર્માણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.ઓસ્ટ્રેલિયામાં એક સામુદાયિક કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 09th, 03:22 pm
હું, મારા મિત્ર, ભારતના મિત્ર, પ્રાઇમ મિનિસ્ટર એન્થની અલ્બેનીઝનો પણ આભારી છું. આપ સિડનીમાં પણ સાથે હતા, અને આજે અહીં મેલબોર્નમાં પણ, ભારતીય સમુદાયની વચ્ચે આવ્યા છો. અને આ એક પ્રકારે પૂર્ણ ચક્ર થઈ ગયું છે.પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો
July 09th, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેલબોર્નના માર્વેલ સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયના એક વિશાળ મેળાવડાને સંબોધિત કર્યો હતો. એક વિશેષ સદ્ભાવના તરીકે, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી, માનનીય એન્થોની અલ્બેનીઝ પણ આ પ્રવાસી ભારતીય સમુદાયના કાર્યક્રમમાં જોડાયા હતા.પરિણામોની યાદી: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત
July 09th, 12:34 pm
સુરક્ષા પરના હાલના સંયુક્ત ઘોષણાપત્ર (2009)નું નવીનીકરણ કરે છે. તે દળોની પરસ્પર કાર્યક્ષમતા, ક્ષમતા નિર્માણ, મેરિટાઇમ ડોમેન, સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ, સાયબર સુરક્ષા અને ટેકનોલોજી, આતંકવાદ સામે લડત, HADR (માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત), અને UNCLOS, ASEAN, PIF, IORA માં એકીકૃત અભિગમને સહયોગના ક્ષેત્રો તરીકે ઓળખાવે છે.સાણંદ, ગુજરાત ખાતે સીજી સેમીની ઓએસએટી (OSAT) ફેસિલિટીના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 04th, 05:15 pm
સાથીઓ, 2024માં આ પ્લાન્ટનો શિલાન્યાસ કરવાનો અવસર મને મળ્યો હતો. 2025ના ઓગસ્ટ મહિનામાં અહીં ટેસ્ટિંગ ચિપ્સનું કામ શરૂ થયું, અને આજે, આ પ્લાન્ટનું ઉદ્ઘાટન થઈ ગયું છે. શિલાન્યાસથી પ્રોડક્શન સુધીની આ સફર, ચોક્કસપણે અનેક સાથીઓના પરિશ્રમનું પરિણામ છે. સુબૈયા જી જેવા લોકોના નેતૃત્વનું પરિણામ છે. હમણાં મંચ પર આવતા પહેલા, મને આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અનેક સાથીઓ સાથે વાતચીત કરવાનો પણ મોકો મળ્યો. એક રીતે એવું લાગે છે કે આ પરિસરમાં એક મિની ઇન્ડિયા વસે છે. દરેક ભાષાના, દરેક પહેરવેશના, દરેક ખાન-પાનના લોકો અહીં છે. એટલે કે એક અલગ જ પ્રકારનો માહોલ મેં અનુભવ્યો. પ્રદર્શનની મુલાકાત (Exhibition Visit) દરમિયાન પણ, મેં કેટલાય દીકરા-દીકરીઓ સાથે વાતચીત કરી. અને એક વાત જેનો હું બહુ ગર્વથી ઉલ્લેખ કરવા માંગીશ, આ બાળકોનું કોન્ફિડન્સ લેવલ (આત્મવિશ્વાસનું સ્તર). જે આત્મવિશ્વાસથી તેઓ વાતો કરી રહ્યા હતા, ટેકનોલોજીના સંદર્ભમાં જે તેમનો કહેવાનો વિશ્વાસ હતો, તેનાથી ઓછામાં ઓછું હું તો ઇમ્પ્રેસ થઈ ગયો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું
July 04th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગના મહત્વ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ આ લોન્ચિંગને દેશના તેના લક્ષ્યો પ્રત્યેના અતૂટ સંકલ્પના પુરાવા તરીકે ગણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશ કોઈપણ ખચકાટ વિના તેના મજબૂત સંકલ્પોને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરે છે. શ્રી મોદીએ મક્કમતાપૂર્વક જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ પુરાવો છે કે ભારત જે પણ કરવાનો સંકલ્પ કરે છે, તેને દ્રઢતાપૂર્વક પૂર્ણ કરે છે.પ્રધાનમંત્રી 4 જુલાઈના રોજ રાજસ્થાન અને ગુજરાતની મુલાકાતે
July 03rd, 11:25 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 જુલાઈ 2026ના રોજ રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત લેશે. આશરે 10:45 AM વાગ્યે, પ્રધાનમંત્રી જોધપુર એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને જોધપુરમાં મોડિફાઇડ UDAN યોજનાનો શુભારંભ કરાવશે. ત્યારબાદ, આશરે 12:15 PM વાગ્યે, તેઓ આશરે ₹1.06 લાખ કરોડના મૂલ્યના વિકાસ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરવા, ઉદ્ઘાટન કરવા અને શિલાન્યાસ કરવા માટે બાલોત્રા જશે. તેઓ આ પ્રસંગે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.જાપાનના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
July 02nd, 01:30 pm
આજે, પ્રધાનમંત્રી તાકાચીની મુલાકાત સાથે, આપણે આપણી ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છીએ.પ્રધાનમંત્રીએ પહાડપુર ગામમાં કૌશલ્ય કેન્દ્રની મુલાકાત લીધી, સ્કીલ ડેવલપમેન્ટ (કૌશલ્ય વિકાસ) પરના ધ્યાન સરાહના કરી
June 20th, 08:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પહાડપુર ગામમાં એક કૌશલ્ય કેન્દ્રની (સ્કીલિંગ સેન્ટર) મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત પ્રોત્સાહનોનું વિતરણ કરતી વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 19th, 05:15 pm
મંત્રીમંડળના મારા સાથી શ્રી મનસુખ માંડવિયાજી, બહેન શોભાજી, દેશના વિવિધ ભાગોના અલગ-અલગ કાર્યક્રમોમાં જોડાયેલા, ટેકનોલોજીથી જોડાયેલા તમામ મહાનુભાવ, અને જેમ હમણાં મંચ સંચાલક જણાવી રહ્યા હતા કે, 200 સ્થાનો પર આશરે બે લાખ લોકો અત્યારે આ કાર્યક્રમમાં અમારી સાથે જોડાયેલા છે, હું તે બધાને પણ ભલે દૂરથી જ સાચું, પરંતુ દિલથી આપ સૌને મારી શુભેચ્છાઓ આપું છું. ઉદ્યોગ જગત સાથે પણ જોડાયેલા બહુ બધા મહાનુભાવ હું આજે અહીં જોઈ રહ્યો છું, અને યુવા સાથીઓનો ઉત્સાહ તો ધ્યાનમાં આવે જ આવે છે, આટલી મોટી સંખ્યામાં.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ આશરે ₹2,400 કરોડના પ્રોત્સાહનોનું વિતરણ કર્યું
June 19th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના સાથે સંકળાયેલા લાભાર્થીઓ, ઉદ્યોગના પ્રતિનિધિઓ અને હિતધારકોને સંબોધિત કર્યા હતા, અને ભારતના યુવાનોને સશક્ત બનાવવા તથા દેશભરમાં રોજગાર નિર્માણને વેગ આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. શ્રી મોદીએ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM-VBRY) હેઠળ આશરે ₹2,400 કરોડના પ્રોત્સાહનોનું વિતરણ કર્યું હતું, જે ભારત સરકારની આ ફ્લેગશિપ રોજગાર-લિંક્ડ પ્રોત્સાહન યોજનાના અમલીકરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને વિવિધ ક્ષેત્રોમાં સામાજિક સુરક્ષા કવચનો વિસ્તાર કરે છે. આ પ્રોત્સાહને દેશભરમાં 15 લાખ રોજગારીની તકોના નિર્માણને ટેકો આપ્યો છે.પ્રધાનમંત્રીએ સીએમએ સીજીએમ (CMA CGM) ના ચેરમેન અને સીઇઓ રોડોલ્ફ સાડે સાથે દરિયાઈ કનેક્ટિવિટી અને સહયોગની તકો અંગે ચર્ચા કરી
June 18th, 06:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીએમએ સીજીએમ (CMA CGM) ના શ્રી રોડોલ્ફ સાડે સાથે દરિયાઈ કનેક્ટિવિટી (મેરિટાઇમ કનેક્ટિવિટી), વૈશ્વિક શિપિંગ પ્રવાહો અને ભારતના ઝડપથી વિકસતા દરિયાઈ ક્ષેત્રમાં ઊભરતી તકો પર ફળદાયી ચર્ચા કરી હતી.એવિયન, ફ્રાન્સમાં G7 સમિટમાં "બધા માટે સંતુલિત, સહિયારી અને ટકાઉ આર્થિક વૃદ્ધિને પુનર્જીવિત કરવી" વિષય પરના સત્રને પ્રધાનમંત્રીએ સંબોધિત કર્યું
June 18th, 05:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એવિયન, ફ્રાન્સમાં G7 સમિટમાં બધા માટે સંતુલિત, સહિયારી અને ટકાઉ આર્થિક વૃદ્ધિને પુનર્જીવિત કરવી વિષય પરના આઉટરીચ સત્રને સંબોધિત કર્યું હતું.સૌના માટે સંતુલિત, સહિયારી અને ટકાઉ આર્થિક વૃદ્ધિને પુનર્જીવિત કરવા પર G7 સમિટ આઉટરીચ સત્ર દરમિયાન પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ
June 17th, 06:07 pm
મને ખુશી છે કે ફ્રાન્સની G7 અધ્યક્ષતામાં સહિયારી અને ટકાઉ વૃદ્ધિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આવા સમયમાં જ્યારે વિશ્વ અનેક અનિશ્ચિતતાઓમાંથી પસાર થઈ રહ્યું છે, આ મંચ પરથી નીકળનારો સંદેશ સમગ્ર માનવતા માટે મહત્વપૂર્ણ છે.પ્રધાનમંત્રીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે સત્તાવાર મંત્રણા કરી
June 14th, 08:37 pm
બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી. તેમણે તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગની ઉત્કૃષ્ટ વૃદ્ધિ અને ઊંડાણ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને સંરક્ષણ પ્લેટફોર્મ્સ તેમજ અદ્યતન ટેકનોલોજીના સહ-ડિઝાઇન, સહ-વિકાસ અને સહ-ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરીને તેને વધુ તીવ્ર બનાવવા સંમતિ વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ અંતરિક્ષ ક્ષેત્રમાં સહયોગના સમૃદ્ધ વારસાની નોંધ લીધી હતી અને માનવ સંચાલિત સ્પેસફ્લાઇટ અને સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરી હતી. તેમણે અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રના સહયોગને વિસ્તારવાના માર્ગો પર પણ ચર્ચા કરી હતી. નાગરિક પરમાણુ ઊર્જામાં, તેમણે નોંધ્યું હતું કે ભારતનો શાંતિ એક્ટ સહયોગ માટે નવી તકો ઊભી કરે છે, જેમાં નાના અને અદ્યતન મોડ્યુલર રિએક્ટર્સનો સમાવેશ થાય છે.The trust of 140 crore Indians is our greatest strength and responsibility: PM Modi at the NDA Leaders’ Conclave
June 10th, 06:33 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.PM Modi addresses NDA Leaders' Conclave, reaffirms commitment to Viksit Bharat
June 10th, 06:30 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.ગુજરાતના સુરતમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીજીના સંબોધનનો મૂળપાઠ
June 05th, 04:30 pm
મારી વાત શરૂ કરું તે પહેલાં, થોડા દિવસ પહેલાં જ મારા અનન્ય સાથી, જેમની સાથે મેં વર્ષો સુધી કામ કર્યું અને જીવનની અંતિમ ક્ષણ સુધી જે કાર્યરત રહ્યા, એવા કનુભાઈ માવાણીની વિદાય, આદર પૂર્વક હું તેમને શ્રદ્ધાંજલિ અર્પું છું. એક સાથી ગુમાવવાનું દર્દ સ્વાભાવિક છે, પરંતુ આજે સુરતની ધરતી પર આવ્યો છું ત્યારે, તેમના પુણ્ય સ્મરણ સાથે મારી વાત આગળ વધારું છું.