ભારત-મોરેશિયસ સંયુક્ત ઘોષણા: ખાસ આર્થિક પેકેજ
September 11th, 01:53 pm
મોરેશિયસ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. નવીનચંદ્ર રામગુલામ, ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની મુલાકાતે આવ્યા છે. બંને પ્રધાનમંત્રીઓએ દ્વિપક્ષીય મુદ્દાઓની વિશાળ શ્રેણી પર અત્યંત ઉપયોગી ચર્ચા કરી હતી. મોરેશિયસ સરકાર દ્વારા રજૂ કરાયેલી વિનંતીઓના આધારે, નીચેના પ્રોજેક્ટ્સ પર સૈદ્ધાંતિક રીતે સંમતિ આપવામાં આવી છે, જેનો અમલ ભારત અને મોરેશિયસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે.