પ્રધાનમંત્રીએ પૂર્વ ધારાસભ્ય શ્રી ઉરીમાજાલુ કે. રામા ભટના નિધન પર શોક વ્યક્ત કર્યો

December 07th, 04:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ ધારાસભ્ય શ્રી ઉરીમાજાલુ કે. રામા ભટના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક ટ્વિટમાં, વડા પ્રધાને કહ્યું; જનસંઘ અને ભાજપના ઈતિહાસમાં, ઉરીમાજાલુ કે. રામા ભટજી જેવા દિગ્ગજ વ્યક્તિઓનું વિશેષ સ્થાન છે. તેમણે કર્ણાટકમાં અમારી પાર્ટીને મજબૂત કરવા માટે ખંતપૂર્વક કામ કર્યું અને લોકોની વચ્ચે અથાક સેવા કરી. તેમના નિધનથી હું દુઃખી છું. તેમના પરિવાર પ્રત્યે સંવેદના ઓમ શાંતિ.