પ્રધાનમંત્રી શ્રી રામ જન્મભૂમિ મંદિર ખાતે સૂર્ય તિલકના સાક્ષી બન્યા

March 27th, 05:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં સૂર્ય તિલકના સાક્ષી બન્યા હતા. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “પ્રભુ શ્રી રામના આશીર્વાદ આપણા પર હંમેશા રહે”.

Previous govts have for decades neglected the fishermen community. But now the NDA govt is progressing and boosting them to unlimited capabilities: PM

March 11th, 01:00 pm

Addressing the Golden Jubilee celebrations of the Akhila Kerala Dheevara Sabha, Prime Minister Narendra Modi said the occasion marked a historic milestone as the organisation completed 50 years of service to the fishermen community. Congratulating the members and fishermen across Keralam, the PM iterated, “For five decades, this organisation has worked continuously to protect the rights of fishermen. This journey reflects your hard work, dedication and spirit of service.”

PM Modi addresses Akhila Kerala Dheevara Sabha’s Golden Jubilee celebrations

March 11th, 12:30 pm

Addressing the Golden Jubilee celebrations of the Akhila Kerala Dheevara Sabha, Prime Minister Narendra Modi said the occasion marked a historic milestone as the organisation completed 50 years of service to the fishermen community. Congratulating the members and fishermen across Keralam, the PM iterated, “For five decades, this organisation has worked continuously to protect the rights of fishermen. This journey reflects your hard work, dedication and spirit of service.”

'વિકસિત ભારત'નો સંકલ્પ ચોક્કસ પૂર્ણ થશે: મન કી બાતમાં પીએમ મોદી

December 28th, 11:30 am

વર્ષના છેલ્લા 'મન કી બાત' એપિસોડમાં પીએમ મોદીએ કહ્યું હતું કે 2025માં ભારતે રાષ્ટ્રીય સુરક્ષા, રમતગમત, સાયન્સ લેબ અને ગ્લોબલ પ્લેટફોર્મ પર પોતાની છાપ છોડી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે 2026માં દેશ નવા સંકલ્પો સાથે આગળ વધવા માટે તૈયાર છે. પીએમએ ડેવલપ્ડ ઈન્ડિયા યંગ લીડર્સ ડાયલોગ, ક્વિઝ કોમ્પિટિશન, સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2025 અને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ જેવી યુવા-કેન્દ્રિત પહેલો પર પણ ભાર મૂક્યો હતો.

શ્રી સંસ્થાન ગોકર્ણ પરતગાલી જીવોત્તમ મઠના 550મા વર્ષની ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 28th, 03:35 pm

આજના આ પાવન અવસરથી મન ગહન શાંતિથી ભરાઈ ગયું છે. સાધુ સંતોના સાનિધ્યમાં બેસવું એ પોતાનામાં એક આધ્યાત્મિક અનુભવ હોય છે. અહીં ઉપસ્થિત શ્રદ્ધાળુઓની વિશાળ સંખ્યા આ મઠની સદીઓ જૂની જીવંત શક્તિને વધુ વધારી રહી છે. હું મારી જાતને સૌભાગ્યશાળી માનું છું, કે આજે આ સમારોહમાં તમારી વચ્ચે ઉપસ્થિત છું. અહીં આવતા પહેલા મને રામ મંદિર અને વીર વિઠ્ઠલ મંદિરના દર્શનનું સૌભાગ્ય મળ્યું. તે શાંતિ, તે વાતાવરણે આ સમારોહની આધ્યાત્મિકતાને વધુ ગાઢ બનાવી દીધી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવામાં શ્રી સંસ્થાન ગોકર્ણ પરતગાલી જીવોત્તમ મઠના 550મા વર્ષની ઉજવણીને સંબોધન કર્યું

November 28th, 03:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગોવામાં શ્રી સંસ્થાન ગોકર્ણ પરતગાલી જીવોત્તમ મઠના 550મા વર્ષની ઉજવણીને સંબોધન કર્યું. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે આ પવિત્ર અવસર પર તેમનું મન શાંતિથી ભરાઈ ગયું છે. તેમણે પ્રકાશ પાડ્યો કે સંતોની હાજરીમાં બેસવું એ પોતે જ એક આધ્યાત્મિક અનુભવ છે. અહીં હાજર મોટી સંખ્યામાં ભક્તો આ મઠની સદીઓ જૂની જીવંત શક્તિને વધુ વધારી રહ્યા છે તેની નોંધ લેતા, શ્રી મોદીએ જણાવ્યું કે તેઓ આજે આ સમારોહમાં લોકો વચ્ચે હાજર રહેવા બદલ પોતાને ભાગ્યશાળી માને છે. તેમણે ઉલ્લેખ કર્યો કે અહીં આવતા પહેલા, તેમને રામ મંદિર અને વીર વિઠ્ઠલ મંદિરની મુલાકાત લેવાનો વિશેષાધિકાર મળ્યો હતો. તેમણે ટિપ્પણી કરી કે ત્યાંની શાંતિ અને વાતાવરણે આ સમારોહની આધ્યાત્મિકતાને વધુ ગાઢ બનાવી છે.

કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠ ખાતે લક્ષ કંઠ ગીતા પારાયણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 28th, 11:45 am

હું મારી વાત શરૂ કરું તે પહેલાં, કેટલાક બાળકો અહીં ચિત્રો લાવ્યા છે. કૃપા કરીને SPG અને સ્થાનિક પોલીસ તે એકત્રિત કરવામાં મદદ કરો. જો તમે પાછળ તમારું સરનામું લખ્યું હશે, તો હું ચોક્કસપણે તમને આભાર પત્ર મોકલીશ. જેની પાસે કંઈક છે, કૃપા કરીને તેમને આપો; તેઓ તે એકત્રિત કરશે, અને પછી તમે શાંતિથી બેસી શકો છો. આ બાળકો ખૂબ મહેનત કરે છે, અને ક્યારેક, જો હું તેમને અન્યાય કરું છું, તો મને દુઃખ થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠ ખાતે લક્ષ કંઠ ગીતા પારાયણ કાર્યક્રમને સંબોધિત કર્યો

November 28th, 11:30 am

માત્ર ત્રણ દિવસ પહેલા તેઓ ગીતાની ભૂમિ કુરુક્ષેત્રમાં હતા તે યાદ કરતાં, શ્રી મોદીએ કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ અને જગદગુરુ શ્રી માધવાચાર્યના મહિમાથી શણગારેલી આ ભૂમિની મુલાકાત લેવી તેમના માટે ખૂબ જ સંતોષની ક્ષણ હતી. તેમણે કહ્યું કે આ પ્રસંગે, જ્યારે એક લાખ લોકોએ ભગવદ્ ગીતાના શ્લોકોનો એકસાથે પાઠ કર્યોં છે ત્યારે વિશ્વભરના લોકોએ ભારતના હજારો વર્ષ જૂના આધ્યાત્મિક વારસાની જીવંત દિવ્યતાના સાક્ષી બન્યા.

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 25th, 10:20 am

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરમ પૂજનીય સરસંઘચાલક ડો. મોહન ભાગવતજી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ પૂજ્ય મહંત નૃત્ય ગોપાલ દાસજી, પૂજ્ય સંત સમાજ, અહીં પધારેલા તમામ ભક્તગણ, દેશ અને દુનિયામાંથી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની રહેલા કરોડો રામભક્ત, દેવીઓ અને સજ્જનો!

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ, અયોધ્યા ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

November 25th, 10:13 am

દેશના સામાજિક-સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિદૃશ્યમાં એક મહત્ત્વપૂર્ણ અવસરને ચિહ્નિત કરતાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પવિત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર વિધિવત રીતે કેસરી ધ્વજ ફરકાવ્યો. ધ્વજારોહણ ઉત્સવ મંદિરના નિર્માણની પૂર્ણતા અને સાંસ્કૃતિક ઉત્સવ તેમજ રાષ્ટ્રીય એકતાના નવા અધ્યાયની શરૂઆતનું પ્રતીક છે. આ અવસર પર એક સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજે અયોધ્યા શહેર ભારતની સાંસ્કૃતિક ચેતનાના વધુ એક શિખરનો સાક્ષી બની રહ્યું છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી, આજે સમગ્ર ભારત અને વિશ્વ ભગવાન શ્રી રામની ભાવનાથી ભરપૂર છે, અને પ્રકાશ પાડ્યો કે દરેક રામ ભક્તના હૃદયમાં એક અનોખો સંતોષ, અપાર કૃતજ્ઞતા અને અમર્યાદિત પારલૌકિક આનંદ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સદીઓ જૂના ઘાવ રૂઝાઈ રહ્યા છે, સદીઓનો પીડા સમાપ્ત થઈ રહી છે, અને સદીઓના સંકલ્પ આજે પૂર્ણતા પ્રાપ્ત કરી રહ્યા છે. તેમણે ઘોષણા કરી કે આ એક યજ્ઞની પૂર્ણાહુતિ છે જેની અગ્નિ 500 વર્ષ સુધી પ્રજ્વલિત રહી, એક યજ્ઞ જેણે ક્યારેય વિશ્વાસમાં ડગમગાહટ ન અનુભવી, ક્યારેય એક ક્ષણ માટે પણ શ્રદ્ધા ન તોડી. તેમણે રેખાંકિત કર્યું કે આજે ભગવાન શ્રી રામના ગર્ભગૃહની અનંત ઊર્જા અને શ્રી રામના પરિવારની દિવ્ય મહિમા આ ધર્મધ્વજાના રૂપમાં સૌથી દિવ્ય અને ભવ્ય મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી 25 નવેમ્બરે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરની મુલાકાત લેશે

November 24th, 12:01 pm

સવારે લગભગ 10 વાગ્યે પ્રધાનમંત્રી સપ્તમંદિરની મુલાકાત લેશે, જ્યાં મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, મહર્ષિ વાલ્મીકિ, દેવી અહલ્યા, નિષાદરાજ ગુહા અને માતા શબરીને સમર્પિત મંદિરો છે. ત્યારબાદ તેઓ શેષાવતાર મંદિરની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રીએ ભૂટાનના પ્રધાનમંત્રીની શ્રી રામ જન્મભૂમિ મંદિરની મુલાકાતને આવકારી

September 06th, 08:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પીએમ ટોબગે અને તેમની પત્નીને પ્રાર્થના કરતા જોઈને આનંદ વ્યક્ત કર્યો છે. પ્રભુ શ્રી રામના આદર્શો વિશ્વભરના લાખો લોકોને શક્તિ અને પ્રેરણા આપે છે, શ્રી મોદીએ જણાવ્યું.

People's hearts in Ayodhya as big as Prabhu Shri Ram, says PM as he holds a spectacular roadshow

May 05th, 07:45 pm

After praying to Prabhu Shri Ram at the Ramjanmabhoomi Teerth Kshetra in Ayodhya, Prime Minister Narendra Modi held a spectacular roadshow in the iconic city of Uttar Pradesh. People's hearts in Ayodhya as big as Prabhu Shri Ram, PM Modi wrote on social media platform 'X'.

શ્રી રામ મંદિર પર વિશેષ સ્ટેમ્પ અને પુસ્તકના વિમોચન પર પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ

January 18th, 02:10 pm

આજે મને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અભિયાન સંબંધિત અન્ય એક અદ્ભુત કાર્યક્રમ સાથે જોડાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આજે શ્રી રામ જન્મભૂમિ મંદિરને સમર્પિત 6 વિશેષ સ્મારક ટપાલ ટિકિટો બહાર પાડવામાં આવી છે. આજે, ભગવાન શ્રી રામ સાથે સંબંધિત ટપાલ ટિકિટોનું આલ્બમ વિશ્વના વિવિધ દેશોમાં અગાઉ બહાર પાડવામાં આવ્યું છે. હું દેશ-વિદેશના તમામ રામ ભક્તોને અને તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવું છું.

પ્રધાનમંત્રીએ શ્રી રામ જન્મભૂમિ મંદિરને સમર્પિત 6 સ્મારક ટપાલ ટિકિટો શેર કરી

January 18th, 02:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી રામ જન્મભૂમિ મંદિરને સમર્પિત 6 વિશેષ સ્મારક ટપાલ ટિકિટો બહાર પાડી હતી અને આ સાથે જ અગાઉ વિશ્વના વિવિધ દેશોમાં ભગવાન રામ સાથે સંબંધિત સમાન પ્રકારની ટિકિટો બહાર પાડવામાં આવી હતી, જેનું એક આલ્બમ પણ બહાર પાડવામાં આવ્યું હતું. તેમણે આ પ્રસંગે ભારત અને વિદેશમાં ભગવાન રામના તમામ ભક્તોને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રીએ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓને મળ્યા

October 25th, 08:18 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓ સાથે મુલાકાત કરી. શ્રી મોદીને તેમના દ્વારા શ્રી રામ મંદિરના અભિષેક (પ્રાણ પ્રતિષ્ઠા) માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી શ્રીએ હર ઘર તિરંગા અભિયાન પ્રત્યેના ઉત્સાહની ઘટનાઓ શેર કરી

August 14th, 02:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાંથી હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીના વિવિધ ઉદાહરણો શેર કર્યા છે.

રાજમાતા વિજયા રાજે સિંધિયાની જન્મ શતાબ્દી ઉજવણીના સમાપન પ્રસંગે રૂ.100ની કીંમતના વિશેષ સ્મૃતિ સિક્કાના વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 12th, 11:01 am

કેન્દ્રીય મંત્રી મંડળના મારા તમામ સહયોગીઓ, અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા રાજ્યપાલ અને મુખ્ય મંત્રીઓ, દેશ-વિદેશથી આ ક્રાયક્રમમાં જોડાયેલા રાજમાતા વિજયા રાજે સિંધિયાજીના પ્રશંસકો અને તેમના પરિવારના સભ્યો, સ્નેહીઓ તેમજ મારા પ્રિય ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ રાજમાતા વિજ્યારાજે સિંધિયાની જન્મ શતાબ્દી ઉજવણીના સમાપન પ્રસંગે તેમના માનમાં 100 રૂપિયાના ચલણી સિક્કાનું વિમોચન કર્યું હતું

October 12th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજમાતા વિજ્યારાજે સિંધિયાની 100મી જન્મજયંતિની ઉજવણીના સમાપન પ્રસંગે તેમના માનમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 100 રૂપિયાના ચલણી સિક્કાનું વિમોચન કર્યું હતું. તેમણે રાજમાતાની જન્મજયંતિ નિમિત્તે તેમને સ્મરણાંલિ પણ અર્પણ કરી હતી.

Ram Temple will unify the entire nation, says PM Modi in Ayodhya

August 05th, 01:21 pm

Prime Minister Narendra Modi said the process of construction of Ram Temple will unify the entire nation. He said the historic moment is a proof of the resolve of crores of devotees of Ram.