રોજગાર મેળા અંતર્ગત નિમણૂક પત્રોના વિતરણ અવસર પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 23rd, 11:15 am
તમે બધા જાણો છો કે બે દિવસ પહેલા જ હું પાંચ દેશોની યાત્રા કરીને પાછો ફર્યો છું. ભલે તે ફક્ત પાંચ દેશોની યાત્રા હતી, મેં ડઝનબંધ દેશોની મોટી કંપનીઓના નેતાઓ સાથે વાત કરી, ચર્ચા કરી અને તેમને મળ્યો, અને મને એક વાત સતત અનુભવાઈ. વિશ્વ ભારતના યુવાનો અને તેની ટેકનોલોજીકલ પ્રગતિ પ્રત્યે ખૂબ જ ઉત્સાહિત છે. આજે, વિશ્વ ભારતની વિકાસ યાત્રાનો ભાગ બનવા માંગે છે. ભારત વિશ્વભરના વિવિધ દેશો સાથે પણ ભાગીદારી કરી રહ્યું છે. ઉદ્દેશ્ય ભારતના યુવાનોને તકો અને રોજગાર પૂરો પાડવાનો અને તેમની ક્ષમતાને બહાર કાઢવાનો છે. હું ખરેખર ઇચ્છું છું કે મારા દેશના યુવાનો વૈશ્વિક સ્તરે એક્સપોઝર મેળવે. આ મુલાકાત દરમિયાન, જો હું નેધરલેન્ડનો ઉલ્લેખ કરી શકું તો, તેમની સાથે સેમિકન્ડક્ટર, પાણી, કૃષિ અને અદ્યતન ઉત્પાદન પર ચર્ચાઓ થઈ. સ્વીડન સાથે, કૃત્રિમ બુદ્ધિ (AI) અને ડિજિટલ નવીનતામાં સહયોગ પર અસંખ્ય ચર્ચાઓ થઈ. નોર્વે સાથે, ગ્રીન ટેકનોલોજી અને દરિયાઈ સહયોગ પર ચર્ચાઓ આગળ વધી છે. યુએઈ સાથે વ્યૂહાત્મક ઉર્જા અને ટેકનોલોજી ભાગીદારી પર મહત્વપૂર્ણ કરારો થયા. ઇટાલી સાથે, સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનિજો અને વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભાગીદારી પર કરારો થયા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'રોજગાર મેળા' અંતર્ગત સરકારી નોકરીઓ માટે નવા ભરતી થયેલા યુવાનોને 51,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યું
May 23rd, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સવારે 11 વાગ્યે 19મા રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવ નિયુક્ત યુવાનોને 51,000 થી વધુ નિમણૂક પત્રો વિતરીત કર્યા હતા. સભાને સંબોધતા તેમણે આ પ્રસંગને દેશભરના હજારો યુવાનો માટે અત્યંત મહત્વપૂર્ણ દિવસ ગણાવ્યો હતો. સરકારી સેવામાં નવા પ્રવેશ મેળવનારાઓનું સ્વાગત કરતા તેમણે રેલવે, બેંકિંગ, સંરક્ષણ, આરોગ્ય અને શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં ભારતના વિકાસમાં તેમના આગામી યોગદાન પર ભાર મૂક્યો હતો. આવનારા વર્ષોમાં, તમે બધા વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશો, શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું. નિમણૂક પામેલા ઉમેદવારોને આ સીમાચિહ્નરૂપ સ્થાન સુધી પહોંચાડનારી તેમની સમર્પણ અને સખત તૈયારીનું સન્માન કરતા, પ્રધાનમંત્રીએ તે દરેકને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. કોઈપણ વ્યક્તિગત સિદ્ધિ એકલી હોતી નથી તે સ્વીકારતા, તેમણે તે પરિવારો અને માતા-પિતાને પણ પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી જેમનો સહયોગ આ સફરમાં અનિવાર્ય રહ્યો હતો.ઇટાલીના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત અખબારી નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું નિવેદન
May 20th, 05:00 pm
ભારતમાં હાજર 800 થી વધુ ઇટાલિયન કંપનીઓ ભારતની વિકાસ ગાથા (ગ્રોથ સ્ટોરી) માં સક્રિય ભાગીદાર બની રહી છે. આજે આયોજિત કરવામાં આવી રહેલા બિઝનેસ ફોરમ પરથી એ સ્પષ્ટ છે કે બંને દેશોના બિઝનેસ લીડર્સમાં એક નવો ઉત્સાહ, નવો આત્મવિશ્વાસ (કોન્ફિડન્સ) અને નવી મહત્વાકાંક્ષા (એમ્બિશન) છે. ઇટાલી વિશ્વમાં ડિઝાઇન અને પ્રિસિઝન (ચોકસાઈ) માટે જાણીતું છે.નોર્વે-ભારત વ્યાપાર અને સંશોધન સમિટમાં પ્રધાનમંત્રીનું સંબોધન
May 18th, 11:49 pm
મને એ જાણીને આનંદ થાય છે કે તમારામાંથી ઘણા CEOઓએ ભારતના 'વાઇબ્રન્ટ ગુજરાત' અને અન્ય રોકાણકાર સમિટમાં સતત ઉત્સાહ સાથે ભાગ લીધો છે. આપણે હવે આ ભાગીદારીની તીવ્રતા વધારવી જોઈએ અને તેને નવી સીમાઓ તરફ દોરી જવી જોઈએ.પ્રધાનમંત્રી ભારત-નોર્વે બિઝનેસ એન્ડ રિસર્ચ સમિટમાં ઉપસ્થિત રહ્યા
May 18th, 08:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ઓસ્લો ખાતે ભારત-નોર્વે બિઝનેસ એન્ડ રિસર્ચ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા. હિઝ રોયલ હાઇનેસ ક્રાઉન પ્રિન્સ હાકોન અને નોર્વેના પ્રધાનમંત્રી મહામહિમ જોનાસ ગહર સ્ટોરે પણ આ સમિટમાં ભાગ લીધો હતો.ટકાઉપણું (Sustainability) ના ક્ષેત્રમાં સહકાર અંગે ભારત - રિપબ્લિક ઓફ કોરિયાનું સંયુક્ત નિવેદન
April 20th, 10:55 pm
રિપબ્લિક ઓફ ઇન્ડિયા અને રિપબ્લિક ઓફ કોરિયા, જેમને હવે પછી બંને પક્ષો તરીકે ઓળખવામાં આવશે, તેઓ જળવાયુ પરિવર્તન (climate change), મેરીટાઇમ અને આર્કટિક મુદ્દાઓમાં વ્યવહારુ સહયોગ દ્વારા વૈશ્વિક ટકાઉપણાના પડકારોને ઉકેલવા માટે દ્વિપક્ષીય સહકારને મજબૂત કરવા સંમત થયા છે.ભારત-ROK સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ માટે સંયુક્ત વ્યૂહાત્મક વિઝન
April 20th, 10:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, રિપબ્લિક ઓફ કોરિયા (ROK) ના રાષ્ટ્રપતિ મહામહિમ લી જે મ્યુંગે 19 થી 21 એપ્રિલ 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી, જે કોઈ કોરિયન રાષ્ટ્રપતિ દ્વારા પદ સંભાળ્યા પછી ભારતની સૌથી વહેલી મુલાકાત છે. રાષ્ટ્રપતિ લી જે મ્યુંગની સાથે મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને કોરિયન કંપનીઓના અગ્રણી CEOs સહિતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આવ્યું હતું.