પ્રધાનમંત્રીએ મિયાગી પ્રાંતના સેન્ડાઈમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લીધી
August 30th, 11:52 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી શિગેરુ ઇશિબા સાથે આજે મિયાગી પ્રાંતમાં સેન્ડાઈની મુલાકાત લીધી હતી. સેન્ડાઈમાં બંને નેતાઓએ સેમિકન્ડક્ટર ક્ષેત્રની અગ્રણી જાપાની કંપની ટોક્યો ઇલેક્ટ્રોન મિયાગી લિમિટેડ (TEL મિયાગી)ની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીને વૈશ્વિક સેમિકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં TELની ભૂમિકા, તેની અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓ અને ભારત સાથે તેના ચાલુ અને આયોજિત સહયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. ફેક્ટરીની મુલાકાતે નેતાઓને સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન, ઉત્પાદન અને પરીક્ષણના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે બંને દેશો વચ્ચે અસ્તિત્વમાં રહેલી તકોની વ્યવહારુ સમજ આપી હતી.પ્રધાનમંત્રીના ભાષણ દરમિયાન પ્રાંતીય રાજ્યપાલો સાથે વાતચીત
August 30th, 08:00 am
મને લાગે છે કે આ રૂમમાં સૈતામાની ગતિ, મિયાગીની સ્થિતિસ્થાપકતા, ફુકુઓકાની જીવંતતા અને નારાના વારસાની સુગંધ છે. આપ સૌ કુમામોતોની હૂંફ, નાગાનોની તાજગી, શિઝુઓકાની સુંદરતા અને નાગાસાકીના ધબકાર છો. આપ સૌ માઉન્ટ ફુજીની શક્તિ, સાકુરાની ભાવનાને મૂર્તિમંત કરો છો. સાથે મળીને, તમે જાપાનને કાલાતીત બનાવો છો.15મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન અંગે સંયુક્ત નિવેદન: આપણી આગામી પેઢીની સુરક્ષા અને સમૃદ્ધિ માટે ભાગીદારી
August 29th, 07:06 pm
જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ઇશિબા શિગેરુના આમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 29-30 ઓગસ્ટ 2025ના રોજ 15મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન માટે જાપાનની સત્તાવાર કાર્યકારી મુલાકાત લીધી. 29 ઓગસ્ટ 2025ના રોજ સાંજે પ્રધાનમંત્રી કાર્યાલય (કાન્ટેઇ) ખાતે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત પ્રધાનમંત્રી ઇશિબા દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યાં તેમને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બંને પ્રધાનમંત્રીઓએ પ્રતિનિધિમંડળ-સ્તરની વાટાઘાટો યોજી હતી. જેમાં તેમણે ભારત અને જાપાન વચ્ચેની લાંબા સમયથી ચાલતી મિત્રતાને યાદ કરી હતી. જે સભ્યતા સંબંધો, સહિયારા મૂલ્યો અને હિતો, સામાન્ય વ્યૂહાત્મક દૃષ્ટિકોણ અને એકબીજા પ્રત્યે પરસ્પર આદરમાં મૂળ ધરાવે છે. બંને પ્રધાનમંત્રીઓએ છેલ્લા દાયકામાં ભારત-જાપાન ભાગીદારી દ્વારા લેવામાં આવેલા નોંધપાત્ર પગલાંની પ્રશંસા કરી હતી અને આગામી દાયકાઓમાં પરસ્પર સુરક્ષા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે વ્યૂહાત્મક અને ભવિષ્યલક્ષી ભાગીદારીને મજબૂત કરવાના માર્ગો પર રચનાત્મક ચર્ચા કરી હતી.જાપાનના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા પ્રેસ નિવેદન
August 29th, 03:59 pm
આજે અમે અમારી ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીમાં એક નવા અને સુવર્ણ પ્રકરણ માટે મજબૂત પાયો નાખ્યો છે. અમે આગામી દાયકા માટે એક રોડમેપ બનાવ્યો છે. રોકાણ, નવીનતા, આર્થિક સુરક્ષા, પર્યાવરણ, ટેકનોલોજી, આરોગ્ય, ગતિશીલતા, લોકો-થી-લોકોના આદાનપ્રદાન અને રાજ્ય-પ્રીફેક્ચર ભાગીદારી અમારા વિઝનના કેન્દ્રમાં મુખ્ય ક્ષેત્રો છે. અમે આગામી દસ વર્ષમાં જાપાન તરફથી ભારતમાં 10 ટ્રિલિયન યેન રોકાણનું લક્ષ્ય રાખ્યું છે. ભારત અને જાપાનના નાના અને મધ્યમ ઉદ્યોગો અને સ્ટાર્ટ-અપ્સને જોડવા પર ખાસ ભાર મૂકવામાં આવશે.ભારત-જાપાન આર્થિક મંચ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
August 29th, 11:20 am
અને તે રીતે ઘણા લોકો છે જેમની સાથે મારો વ્યક્તિગત પરિચય છે. જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે પણ, અને જ્યારે હું ગુજરાતથી દિલ્હી આવ્યો ત્યારે પણ. તમારામાંથી ઘણા લોકો સાથે મારો ગાઢ પરિચય થયો છે. મને ખુશી છે કે મને આજે આપ સૌને મળવાની તક મળી.પ્રધાનમંત્રી ભારત-જાપાન આર્થિક મંચમાં ઉપસ્થિત રહ્યા
August 29th, 11:02 am
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં ભારત-જાપાન સ્પેશિયલ સ્ટ્રેટેજિક અને ગ્લોબલ પાર્ટનરશીપની સફળતા, ખાસ કરીને રોકાણ, ઉત્પાદન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ પર પ્રકાશ પાડ્યો હતો. જાપાની કંપનીઓને ભારતમાં તેમની હાજરીને વધુ વિસ્તૃત કરવા આમંત્રણ આપતાં, તેમણે કહ્યું કે ભારતીય વિકાસ ગાથા તેમના માટે પ્રોત્સાહક તકો રજૂ કરે છે. તેમણે કહ્યું કે વર્તમાન અશાંત વૈશ્વિક આર્થિક પરિસ્થિતિના સંદર્ભમાં વિશ્વસનીય મિત્રો વચ્ચેની ગાઢ આર્થિક ભાગીદારી ખાસ કરીને સુસંગત છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે રાજકીય સ્થિરતા, નીતિગત આગાહી, સુધારાઓ પ્રત્યે પ્રતિબદ્ધતા અને વ્યવસાય કરવાની સરળતા માટેના પ્રયાસોએ ભારતીય બજારમાં રોકાણકારોમાં નવો વિશ્વાસ આપ્યો છે, જે વૈશ્વિક એજન્સીઓ દ્વારા ભારતના નવીનતમ ક્રેડિટ રેટિંગના અપગ્રેડમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે.વડાપ્રધાન મોદી જાપાનના ટોક્યો પહોંચ્યા
August 29th, 06:43 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમય પહેલા જાપાન પહોંચ્યા હતા. જાપાનમાં વડાપ્રધાન 15મા ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબા ભારત અને જાપાન વચ્ચેની ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીની સમીક્ષા કરશે અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે.જાપાન અને ચીનની મુલાકાત માટે રવાના થવાની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નિવેદન
August 28th, 08:40 pm
પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબાના આમંત્રણ પર, હું 15મા વાર્ષિક સમિટ માટે જાપાનની બે દિવસીય મુલાકાતે જઈ રહ્યો છું.વડાપ્રધાનની જાપાન અને ચીનની મુલાકાત
August 22nd, 06:15 pm
જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબા અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર, વડાપ્રધાન મોદી 29-30 ઓગસ્ટ 2025 દરમિયાન જાપાન અને 31 ઓગસ્ટ-1 સપ્ટેમ્બર 2025 દરમિયાન ચીનની મુલાકાત લેશે. જાપાનમાં, પીએમ 15મા ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લેશે અને જાપાનના પીએમ ઇશિબા સાથે ચર્ચા કરશે. ચીનમાં, વડાપ્રધાન તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં હાજરી આપશે.પ્રધાનમંત્રીએ G7 સમિટમાં જાપાનના પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી
June 18th, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17 જૂન 2025ના રોજ કેનેડાના કનાનાસ્કિસ ખાતે 51મી G7 સમિટમાં જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી શિગેરુ ઇશિબા સાથે ગહન ચર્ચા-વિચારણા કરી હતી. નેતાઓએ ખાતરી આપી કે ભારત અને જાપાન વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની દુનિયા સખત નિંદા કરે છે.
April 24th, 03:29 pm
૨૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના જીવ ગયા હતા, જેના કારણે વિશ્વના નેતાઓમાં એકતાની મજબૂત લહેર ફેલાઈ છે. વડાપ્રધાન મોદીએ વૈશ્વિક સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો અને પ્રતિજ્ઞા લીધી કે ભારત આતંકવાદીઓ અને તેમના સમર્થકોનો પૃથ્વીના છેડા સુધી પીછો કરશે.