પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતમાં ભારતની સંરક્ષણ ક્ષમતા, નવીનતા અને સામૂહિક પ્રયાસો પર ભાર મૂક્યો

July 26th, 11:30 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું. તેમના સંબોધનમાં, તેમણે કારગીલ વિજય દિવસ, કૅચ ધ રેન અભિયાન, અવકાશ ક્ષેત્રમાં ભારતનું સામર્થ્ય, સાયન્સ ઓલિમ્પિયાડ્સ, પર્યાવરણ સંરક્ષણ, ખાદી જેવા મહત્વપૂર્ણ વિષયો પર ભાર મૂક્યો. તેમણે નાગરિકોને MyGov દ્વારા સ્વતંત્રતા દિવસ માટે તેમના વિચારો અને સૂચનો રજૂ કરવા આહ્વાન કર્યું.

સેશેલ્સની નેશનલ એસેમ્બલીમાં પ્રધાનમંત્રીનું સંબોધન

June 28th, 05:00 pm

પ્રધાનમંત્રી તરીકે મેં હિંદ મહાસાગર ક્ષેત્રના જે પ્રથમ દેશની મુલાકાત લીધી હતી તે 2015 માં સેશેલ્સ હતો. પ્રધાનમંત્રી તરીકે આ મારી આફ્રિકાની પણ પ્રથમ મુલાકાત હતી. હું અહીં એટલા માટે આવ્યો હતો કારણ કે હું માનતો હતો કે હિંદ મહાસાગર માટેના ભારતના વિઝનમાં સેશેલ્સ એક વિશેષ સ્થાન ધરાવે છે. આજે, એક દાયકા પછી જ્યારે હું અહીં પરત ફર્યો છું, ત્યારે મારો તે વિશ્વાસ અગાઉ કરતાં વધુ મજબૂત બન્યો છે.

પ્રધાનમંત્રીએ પશ્ચિમબંગ દિવસ પર શુભેચ્છાઓ પાઠવી, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના યોગદાનને યાદ કર્યું

June 20th, 08:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમબંગ દિવસના અવસરે પશ્ચિમ બંગાળના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની આગેવાની હેઠળના વિકાસને વધુ વેગ આપવાના સરકારના પ્રયાસો પર ભાર મૂક્યો

June 12th, 12:39 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષોમાં સરકારે મહિલાઓની આગેવાની હેઠળના વિકાસને વધુ વેગ આપવા માટે કામ કર્યું છે, જે તમામ ક્ષેત્રોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેમણે નોંધ્યું હતું કે નાણાકીય સમાવેશ અને સાહસિકતાથી લઈને શિક્ષણ, આરોગ્ય સંભાળ, સ્વચ્છતા, આવાસ, રમતગમત, વિજ્ઞાન અને સુશાસન સુધીના વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ અગ્રણી ભૂમિકા ભજવી રહી છે.

પ્રધાનમંત્રીએ જય પ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્યને ભારતના 100મા રામસર સ્થળ તરીકે નિયુક્ત કરવા બદલ પ્રશંસા કરી

June 05th, 11:58 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઉત્તર પ્રદેશના બલિયામાં આવેલા જય પ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય (સુરહા તાલ) ને દેશના 100મા રામસર સ્થળ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બાદ, ભારતે રામસર સ્થળોની સદી પૂર્ણ કરવા પર ભારે ખુશી વ્યક્ત કરી છે.

સાયપ્રસ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિની સત્તાવાર મુલાકાત અંગે સંયુક્ત નિવેદન

May 22nd, 09:31 pm

ભારત પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, સાયપ્રસ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ શ્રી નિકોસ ક્રિસ્ટોડોલાઇડ્સે 20-23 મે 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ મુલાકાત વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે તે યુરોપિયન યુનિયનની કાઉન્સિલના સાયપ્રસના અધ્યક્ષપદ દરમિયાન થઈ રહી છે.

ભારત-ઇટાલી સંયુક્ત ડેક્લેરેશન

May 20th, 10:28 pm

ઇટાલિયન રિપબ્લિકના મંત્રી પરિષદના અધ્યક્ષ (પ્રધાનમંત્રી) જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 19-20 મે 2026 ના રોજ ઇટાલીની સત્તાવાર મુલાકાત લીધી હતી. જી7 (G7) શિખર સંમેલન માટે જૂન 2024 માં પ્રધાનમંત્રી મોદીની ઇટાલી મુલાકાત અને વર્ષ 2023 માં જી20 (G20) શિખર સંમેલન માટે પ્રધાનમંત્રી મેલોનીની ભારત મુલાકાત બાદ યોજાયેલી આ મુલાકાતે દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ પૂરી પાડી છે. બંને નેતાઓએ ભારત-ઇટાલી સંબંધોને 'વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી' (સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ) ના સ્તર સુધી લઈ જવાનો નિર્ણય કર્યો હતો.

ભારતે અને નેધરલેન્ડ્સે ભારતના પ્રધાનમંત્રીની નેધરલેન્ડ્સની મુલાકાત અંગે સંયુક્ત નિવેદન જાહેર કર્યું

May 17th, 03:45 am

નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી માનનીય શ્રી રોબ જેટનના આમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16-17 મે 2026 દરમિયાન નેધરલેન્ડ્સની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ પ્રધાનમંત્રી મોદીની નેધરલેન્ડ્સની બીજી મુલાકાત હતી.

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્ર દિવસ પર મહારાષ્ટ્રના લોકોને શુભેચ્છાઓ પાઠવી

May 01st, 09:14 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે મહારાષ્ટ્રના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.

પીએમ મોદીએ 'મન કી બાત'માં દેશવાસીઓને ડિજિટલ વસ્તી ગણતરી 2027માં ભાગ લેવા અને તેને સફળ બનાવવાનો આગ્રહ કર્યો.

April 26th, 11:30 am

આ મહિનાના મન કી બાત કાર્યક્રમમાં, પીએમ મોદીએ પરમાણુ અને પવન ઉર્જા ક્ષેત્રોમાં ભારતની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો. તેમણે ભગવાન બુદ્ધના ઉપદેશો, બીટિંગ રિટ્રીટ સમારોહ, પ્રકૃતિ સંરક્ષણ, વાંસ ક્ષેત્ર, પ્રાચીન ગ્રંથો અને ગણિત ઓલિમ્પિયાડ કાર્યક્રમ સહિત અનેક મહત્વપૂર્ણ વિષયો પર પણ ચર્ચા કરી. પીએમએ ચાલુ ડિજિટલ સેન્સસ અભિયાન વિશે પણ વાત કરી અને દરેકને આ પ્રક્રિયામાં ભાગ લેવાનો આગ્રહ કર્યો.

પ્રધાનમંત્રીએ પ્રો. ગોવર્ધન દાસને તેમની નિમણૂક બદલ અભિનંદન પાઠવ્યા

April 25th, 10:47 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રો. ગોવર્ધન દાસને નીતિ આયોગના સભ્ય તરીકે તેમની નિમણૂક બદલ અભિનંદન પાઠવ્યા છે અને સફળ કાર્યકાળ માટે તેમની શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે પ્રો. દાસની સફર, જે અથાક સમર્પણ અને નમ્રતા દ્વારા ચિહ્નિત થયેલ છે, તે ખરેખર પ્રેરણાદાયી છે. તેમણે જાહેર આરોગ્ય, વિજ્ઞાન અને નવીનતાના ક્ષેત્રોમાં પ્રો. દાસના અમૂલ્ય યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો અને નોંધ્યું હતું કે સમગ્ર રાષ્ટ્રને તેમની સિદ્ધિઓ પર ગર્વ છે.

PM 13મી એપ્રિલે ‘નારી શક્તિ વંદન સંમેલન’ને સંબોધિત કરશે

April 12th, 04:43 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13મી એપ્રિલ 2026ના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાના ‘નારી શક્તિ વંદન સંમેલન’માં હાજરી આપશે. તેઓ આ પ્રસંગે ઉપસ્થિત મેદનીને સંબોધિત પણ કરશે.

વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં પશ્ચિમ એશિયાના સંકટને દૂર કરવા માટે 140 કરોડ ભારતીયોની એકતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

March 29th, 11:30 am

આ મહિનાના મન કી બાત કાર્યક્રમમાં, વડાપ્રધાન મોદીએ પશ્ચિમ એશિયાના સંઘર્ષ વિશે વાત કરી અને કટોકટીને દૂર કરવા માટે એકતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે નાગરિકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરવા અને ફક્ત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી પર આધાર રાખવાની અપીલ કરી. પ્રધાનમંત્રીએ જ્ઞાન ભારતમ સર્વે, રમતગમત અને તંદુરસ્તી, જળ સંરક્ષણ, મત્સ્યઉદ્યોગ અને સૌર ઉર્જા જેવા મુખ્ય વિષયો પર પણ વાત કરી.

દિલ્હીમાં વિવિધ વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 08th, 03:54 pm

આજે આપણે સૌ દિલ્હીમાં વિકાસને નવી ગતિ આપવા માટે અહીં એકઠા થયા છીએ. થોડીવાર પહેલા જ અહીં સાડા તેત્રીસ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સના શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. મેટ્રોના વિસ્તરણથી લઈને હજારો સરકારી કર્મચારીઓના આવાસ સુધી દેશની રાજધાનીમાં સુવિધાઓનું સતત મજબૂત વિસ્તરણ થઈ રહ્યું છે, એક નવી મજબૂતી આપવામાં આવી રહી છે. દિલ્હીના આપ લોકોએ એક વર્ષ પહેલા જે નવી આશા અને નવા સંકલ્પ સાથે, અહીં ભાજપની ડબલ એન્જિન સરકાર બનાવી હતી, તેનું પરિણામ આજે અહીં વિકાસ કાર્યોમાં દેખાઈ રહ્યું છે. હું દિલ્હીના તમામ નાગરિકોને આ વિકાસની અવિરત ધારા માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે ₹33,500 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

March 08th, 10:26 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે ₹33,500 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. જનસભાને સંબોધતા શ્રી મોદીએ ભાર મૂકતા કહ્યું કે, આજે આપણે સૌ દિલ્હીના વિકાસને નવી ગતિ આપવા માટે અહીં એકઠા થયા છીએ.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર રાષ્ટ્રીય વિકાસ અને વૈશ્વિક હિત માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરવાના પોતાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો

February 28th, 10:08 am

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર, આપણે સંશોધન, નવીનતા અને વૈજ્ઞાનિક જિજ્ઞાસાની ભાવનાની ઉજવણી કરીએ છીએ જે આપણા દેશને આગળ ધપાવે છે.

પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓની અમર્યાદિત ક્ષમતા અને 'પરીક્ષા પે ચર્ચા' ની ભાવનાને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું

February 09th, 09:06 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણા વિદ્યાર્થીઓ અસાધારણ પ્રતિભાથી સંપન્ન છે અને તેમના સપનાઓને વાસ્તવિકતામાં ફેરવવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. તેમણે નોંધ્યું કે પરીક્ષા પે ચર્ચાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને વ્યક્તિગત વિકાસ અને સફળતા માટે તેમની ક્ષમતાઓ અને કુશળતાનો અર્થપૂર્ણ ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવાનો છે.

ભારત – જર્મની સંયુક્ત નિવેદન

January 12th, 03:50 pm

ચાન્સેલર મર્ઝની આ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત હતી અને ફેડરલ ચાન્સેલર તરીકે તેમની એશિયાની પ્રથમ મુલાકાત હતી, જે ઈન્ડો-પેસિફિકમાં એક મુખ્ય વ્યૂહાત્મક ભાગીદાર તરીકે જર્મની ભારતને જે ઉચ્ચ અગ્રતા આપે છે તે પ્રતિબિંબિત કરે છે. આ મુલાકાત 25 ઓક્ટોબર 2024 ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી સફળ 7મી ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શ (IGC) પછી થઈ છે, અને તે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સફરના ઉચ્ચ બિંદુ પર આવી છે, જેમાં 2025માં ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ થયા છે, અને 2026માં રાજદ્વારી સંબંધોના 75 વર્ષની સ્મૃતિ ઉજવવામાં આવી રહી છે. બંને નેતાઓએ સરકાર, વ્યાપાર, નાગરિક સમાજ અને શિક્ષણ જગતમાં દ્વિપક્ષીય જોડાણમાં નવેસરથી આવેલી ગતિની સાચા દિલથી પ્રશંસા કરી હતી, જેણે વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવામાં અને ઊંડી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પિપ્રહવા પવિત્ર અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 03rd, 12:00 pm

કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી, ગજેન્દ્ર સિંહ શેખાવતજી, કિરણ રિજિજુજી, રામદાસ અઠાવલેજી, રાવ ઇન્દ્રજીતજી, દિલ્હીના મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો, તેમને નીકળવું પડ્યું અને દિલ્હીના તમામ મંત્રીગણના સાથીઓ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાજી, Excellencies, Diplomatic communityના તમામ માનનીય સભ્યો, Buddhist Scholars, ધમ્મના અનુયાયીઓ, દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું

January 03rd, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના રાય પિથોરા કલ્ચરલ કોમ્પ્લેક્સ ખાતે ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન, જેનું શીર્ષક “ધ લાઈટ એન્ડ ધ લોટસ: રેલિક્સ ઓફ ધ અવેકન્ડ વન” છે, તેનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે એકસો પચ્ચીસ વર્ષની રાહ જોયા બાદ ભારતનો વારસો પરત આવ્યો છે, ભારતની વિરાસત પાછી આવી છે. તેમણે હાઇલાઇટ કર્યું કે આજથી ભારતના લોકો ભગવાન બુદ્ધના આ પવિત્ર અવશેષોના દર્શન કરી શકશે અને તેમના આશીર્વાદ મેળવી શકશે. શ્રી મોદીએ આ પવિત્ર અવશેષોના આગમન પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. તેમણે નોંધ્યું હતું કે બૌદ્ધ પરંપરા સાથે સંકળાયેલા સાધુઓ અને ધર્મ આચાર્યો પણ ઉપસ્થિત છે અને તેમની પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની ઉપસ્થિતિ આ કાર્યક્રમને નવી ઊર્જા આપી રહી છે. પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું કે 2026 ના પ્રારંભમાં જ આ શુભ ઉજવણી અત્યંત પ્રેરણાદાયી છે. તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભગવાન બુદ્ધના આશીર્વાદથી વર્ષ 2026 વિશ્વ માટે શાંતિ, સમૃદ્ધિ અને સંવાદિતાના નવા યુગની શરૂઆત કરે.