પ્રધાનમંત્રી 1લી ઓક્ટોબરના રોજ RSS શતાબ્દી સમારોહમાં ભાગ લેશે
September 30th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 10:30 વાગ્યે નવી દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી રાષ્ટ્રમાં RSSના યોગદાનને દર્શાવતી ખાસ ડિઝાઇન કરેલી સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડશે અને સભાને સંબોધન પણ કરશે.