અમદાવાદમાં સરદારધામ ફેઝ-II, કન્યા છાત્રાલયના શિલાન્યાસ સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 24th, 10:39 pm

કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા બધા સાથીઓ, ગુજરાત સરકારના બધા મંત્રીઓ, ઉપસ્થિત બધા સાથી સાંસદો, બધા ધારાસભ્યો, સરદારધામના પ્રમુખ ભાઈ શ્રી ગગજી ભાઈ, ટ્રસ્ટી વી.કે. પટેલ, દિલીપ ભાઈ, અન્ય બધા મહાનુભાવો, અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો, ખાસ કરીને પ્રિય દીકરીઓ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના કન્યા છાત્રાલયમાં સરદારધામ ફેઝ-IIના શિલાન્યાસ સમારોહને સંબોધિત કર્યો

August 24th, 10:25 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાતના અમદાવાદમાં સરદારધામ ફેઝ-II, કન્યા છાત્રાલયના શિલાન્યાસ સમારોહને એક વિડિઓ સંદેશ દ્વારા સંબોધિત કર્યો હતો. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે સરદારધામનું નામ તેના કાર્ય જેટલું જ પવિત્ર છે, દીકરીઓની સેવા અને શિક્ષણ માટે સમર્પિત છાત્રાલયના ઉદ્ઘાટન અંગે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે આ છાત્રાલયમાં રહેતી દીકરીઓ આકાંક્ષાઓ અને સપનાઓ લઈને આવશે, અને તેમને પૂર્ણ કરવા માટે અસંખ્ય તકો પૂરી પાડવામાં આવશે. શ્રી મોદીએ ભાર મૂક્યો કે એકવાર આ દીકરીઓ આત્મનિર્ભર અને સક્ષમ બનશે, તો તેઓ સ્વાભાવિક રીતે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, અને તેમના પરિવારો પણ સશક્ત બનશે. પ્રધાનમંત્રીએ આ છાત્રાલયમાં રહેવાની તક મેળવનારી તમામ દીકરીઓને અને તેમના પરિવારના સભ્યોને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

સરદારધામ ભવનના લોકાર્પણ અને સરદારધામ ફેઝ-2ના ભૂમિપૂજન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 11th, 11:01 am

આ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત રહેલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન વિજય ભાઈ રૂપાણીજી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રી પુરૂષોત્તમ રૂપાલાજી, શ્રી મનસુખ માંડવિયાજી, બહેન અનુપ્રિયા પટેલજી, લોકસભામાં સંસદમાં મારા સાથી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રીમાન સી. આર પાટીલજી, ગુજરાત સરકારના તમામ મંત્રી, અહીં ઉપસ્થિત તમામ સહયોગી સાંસદ સાથીદારો, ગુજરાતનો ધારાસભ્ય સમુદાય, સરદારધામના તમામ ટ્રસ્ટી, મારા મિત્ર ભાઈશ્રી ગાગજી ભાઈ, ટ્રસ્ટના તમામ સન્માનિત સભ્યો, આ પવિત્ર કાર્યને આગળ ધપાવવામાં યોગદાન આપનારા મારા તમામ સાથીદારો, ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રીએ સરદારધામ ભવનનું લોકાર્પણ અને સરદારધામ ફેઝ -II કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન કર્યું

September 11th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સરદારધામ ભવનનું લોકાર્પણ કર્યું હતું અને સરદારધામ ફેઝ- II કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી 11 સપ્ટેમ્બરના રોજ સરદારધામ ભવનનું લોકાર્પણ અને સરદારધામ ફેઝ- II કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન કરશે

September 10th, 01:25 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બર, 2021ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરદારધામ ભવનનું લોકાર્પણ અને સરદારધામ ફેઝ- II કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન કરશે.