પ્રધાનમંત્રી 12 ઓગસ્ટનાં રોજ મધ્યપ્રદેશની મુલાકાત લેશે

August 10th, 04:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ઓગસ્ટ, 2023નાં રોજ મધ્યપ્રદેશની મુલાકાત લેશે. લગભગ 2:15 વાગ્યે તેઓ સાગર જિલ્લા પહોંચશે, જ્યાં તેઓ સંત શિરોમણી ગુરુદેવ શ્રી રવિદાસજી સ્મારક સ્થળ ખાતે ભૂમિ પૂજન કરશે. પ્રધાનમંત્રી બપોરે લગભગ 3:15 વાગ્યે ધનામાં એક જાહેર કાર્યક્રમમાં સહભાગી થશે, જ્યાં તેઓ સંત શિરોમણી ગુરુદેવ શ્રી રવિદાસજી સ્મારકનો શિલાન્યાસ કરશે.