નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય આર્ય મહાસંમેલન 2025માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 31st, 07:00 pm

સૌ પ્રથમ, હું પહોંચવામાં વિલંબ બદલ માફી માંગુ છું. આજે સરદાર સાહેબની જન્મજયંતી હતી, તેમની 150મી જન્મજયંતી. એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તેમનો કાર્યક્રમ હતો, અને તેના કારણે હું સમયસર પહોંચી શક્યો નહીં. આ માટે હું તમારા બધાની માફી માંગુ છું. જ્યારે આપણે અહીં પહોંચ્યા, ત્યારે આપણે બધા શરૂઆતમાં સાંભળેલા મંત્રોચ્ચારની ઉર્જા હજુ પણ અનુભવી શકીએ છીએ. જ્યારે પણ મને તમારી વચ્ચે રહેવાની તક મળી છે, ત્યારે અનુભવ દૈવી રહ્યો છે, અદ્ભુત. સ્વામી દયાનંદના આશીર્વાદ, તેમના આદર્શો પ્રત્યેનો આપણો આદર અને આપ બધા વિચારકો સાથેના મારા દાયકાઓ જૂના સ્નેહને કારણે મને વારંવાર તમારી વચ્ચે રહેવાની તક મળે છે. જ્યારે પણ હું તમને મળું છું અને તમારી સાથે વાતચીત કરું છું, ત્યારે હું એક અલગ જ ઉર્જા અને પ્રેરણાથી ભરાઈ જાઉં છું. મને હમણાં જ જાણ કરવામાં આવી છે કે આવા નવ વધુ મીટિંગ હોલ બનાવવામાં આવ્યા છે. અમારા બધા આર્ય સમાજના સભ્યો ત્યાં આ કાર્યક્રમ વિડિઓ દ્વારા જોઈ રહ્યા છે. હું તેમને જોઈ શકતો નથી, પરંતુ હું અહીંથી તેમને સલામ કરું છું.

કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 31st, 09:00 am

સરદાર પટેલની 150મી જન્મજયંતિનો ઐતિહાસિક પ્રસંગ. એકતાનગરમાં આ દિવ્ય સવાર, આ મનોહર દૃશ્ય, સરદાર સાહેબના ચરણોમાં આપણી હાજરી, આજે આપણે બધા એક મહાન ક્ષણના સાક્ષી બની રહ્યા છીએ. દેશભરમાં યોજાઈ રહેલી એકતા દોડ, લાખો ભારતીયોનો ઉત્સાહ, આપણે નવા ભારતનો સંકલ્પ અનુભવી રહ્યા છીએ. તાજેતરમાં અહીં થયેલા કાર્યક્રમો અને ગઈકાલે સાંજે થયેલી અદ્ભુત રજૂઆતમાં ભૂતકાળની પરંપરાઓ, વર્તમાનની મહેનત અને બહાદુરી અને ભવિષ્યની સિદ્ધિઓની ઝલક પણ હતી. સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે, એક સ્મારક સિક્કો અને એક ખાસ ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી છે. હું સરદાર સાહેબની જન્મજયંતિ, રાષ્ટ્રીય એકતા દિવસ પર તમામ 1.4 અબજ દેશવાસીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમને સંબોધિત કર્યો

October 31st, 08:44 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાતના કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સરદાર પટેલની 150મી જન્મજયંતિ એક ઐતિહાસિક પ્રસંગ છે. એકતા નગરના સવારના દૃશ્યને દિવ્ય અને શ્વાસ લેનાર ગણાવતા, શ્રી મોદીએ સરદાર પટેલના ચરણોમાં જનમેદનીની નોંધ લીધી અને કહ્યું કે રાષ્ટ્ર એક ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણનો સાક્ષી બની રહ્યું છે. તેમણે રાષ્ટ્રવ્યાપી એકતા દોડ અને લાખો ભારતીયોની ઉત્સાહી ભાગીદારી પર પ્રકાશ પાડ્યો, ભાર મૂક્યો કે નવા ભારતનો સંકલ્પ સ્પષ્ટપણે સાકાર થઈ રહ્યો છે. અગાઉ યોજાયેલી ઘટનાઓ અને ગઈકાલે સાંજે નોંધપાત્ર પ્રસ્તુતિનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે તે ભૂતકાળની પરંપરાઓ, વર્તમાનની મહેનત અને બહાદુરી અને ભવિષ્યની સિદ્ધિઓને પ્રતિબિંબિત કરે છે. તેમણે માહિતી આપી કે સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એક સ્મારક સિક્કો અને એક ખાસ ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. પ્રધાનમંત્રીએ સરદાર પટેલની જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે દેશના તમામ 140 કરોડ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી.

સરદાર પટેલના વારસાને માન આપવા માટે પ્રધાનમંત્રીએ નાગરિકોને 31 ઓક્ટોબરે રન ફોર યુનિટીમાં જોડાવા વિનંતી કરી

October 27th, 09:15 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેશભરના નાગરિકોને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી માટે 31 ઓક્ટોબરે રન ફોર યુનિટીમાં ભાગ લેવા હાકલ કરી છે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરે છે અને સરદાર પટેલે ભારત માટે જે એકતા અને એકજુટતાની કલ્પના કરી હતી તેની કાયમી ભાવનાની ઉજવણી કરે છે.

'વંદે માતરમ' ની ભાવના ભારતની શાશ્વત ચેતના સાથે જોડાયેલી છે: મન કી બાતમાં પ્રધાનમંત્રી મોદી

October 26th, 11:30 am

આ મહિનાની મન કી બાત સંબોધનમાં, પ્રધાનમંત્રી મોદીએ 31 ઓક્ટોબરે સરદાર પટેલને તેમની 150મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે છઠ પૂજા ઉત્સવ, પર્યાવરણીય સંરક્ષણ, ભારતીય શ્વાનની જાતિઓ, ભારતીય કોફી, આદિવાસી સમુદાયના નેતાઓ અને સંસ્કૃત ભાષાના મહત્વ જેવા રસપ્રદ વિષયો પર પણ વાત કરી. પ્રધાનમંત્રીએ 'વંદે માતરમ' ગીતના 150મા વર્ષનો ખાસ ઉલ્લેખ કર્યો.

'મન કી બાત'ના 120મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (30.03.2025)

March 30th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે ખૂબ જ પાવન દિવસ પર મને તમારી સાથે 'મન કી બાત' કરવાનો અવસર મળ્યો છે. આજે ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આજથી ભારતીય નવ વર્ષનો પણ આરંભ થઈ રહ્યો છે. આ વખતે વિક્રમ સંવત 2082 શરૂ થઈ રહ્યું છે. આ સમયે મારી સામે તમારા ઘણા બધા પત્રો રખાયા છે. કોઈ બિહારથી છે, કોઈ બંગાળથી, કોઈ તમિલનાડુથી, કોઈ ગુજરાતથી છે. તેમાં ઘણી રોચક રીતે લોકોએ પોતાના મનની વાતો લખીને મોકલી છે. ઘણા બધા પત્રોમાં શુભકામનાઓ પણ છે, અભિનંદનના સંદેશ પણ છે. પરંતુ આજે મારું મન કહે છે કે કેટલાક સંદેશાઓ તમને સંભળાવું :-

સૌર અને અવકાશ ક્ષેત્રે ભારતના અજાયબીઓથી વિશ્વ આશ્ચર્યચકિત છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી

October 30th, 11:30 am

ગુજરાતના અનેક હિસ્સાઓમાં છઠનું મોટા સ્તર પર આયોજન થવા લાગ્યું છે. મને તો યાદ છે કે પહેલાં ગુજરાતમાં આટલી છઠ પૂજા નહોતી થતી. પરંતુ સમયની સાથે આજે લગભગ આખા ગુજરાતમાં છઠ પૂજાના રંગ નજરે પડવા લાગ્યા છે. આ જોઈને મને પણ ખૂબ જ આનંદ થાય છે. આજકાલ આપણે જોઈએ છીએ કે વિદેશોમાં થી પણ છઠ પૂજાની કેટલી ભવ્ય તસવીરો સામે આવે છે. એટલે કે ભારતનો સમૃદ્ધ વારસો, આપણી આસ્થા, દુનિયાના ખૂણા-ખૂણામાં પોતાની ઓળખ વધારી રહ્યાં છે. આ મહાપર્વમાં સહભાગી થનારા દરેક આસ્થાવાનને મારા તરફથી ખૂબ-ખૂબ શુભકામનાઓ.

પ્રધાનમંત્રીએ કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ પર રાષ્ટ્રીય એકતાની પ્રતિજ્ઞા લેવડાવી

October 31st, 03:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય એકતા દિવસનાં પ્રસંગે કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવી હતી. તેમણે સમગ્ર દેશમાંથી આવેલી વિવિધ પોલીસ ટુકડીઓ દ્વારા પ્રસ્તુત રાષ્ટ્રીય એકતા દિવસની પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કેવડિયામાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલને પૂષ્પાંજલિ અર્પણ કરી

October 31st, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર પટેલની જયંતી નિમિત્તે ગુજરાતના કેવડિયામાં વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રી 31 ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે

October 30th, 02:28 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં કેવડિયામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલને 31 ઓક્ટોબર,2019ના રોજ તેમની જન્મજંયતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

દેશની એકતાને મજબૂત બનાવવામાં સમાજે હંમેશાં સક્રિય ભૂમિકા નિભાવી છે: મન કી બાત દરમિયાન પ્રધાનમંત્રી

October 27th, 11:00 am

કેટલો ઉત્તમ સંદેશ છે ! આ શ્લોકમાં કહ્યું છે – “પ્રકાશ જીવનમાં સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લઇને આવે છે, જે વિપરીત બુદ્ધિનો નાશ કરીને સદબુદ્ધિના દર્શન કરાવે છે. આવી દિવ્યજયોતિને મારા વંદન” આ દીવાળીને યાદ રાખવા માટે તેનાથી વધુ સારો વિચાર બીજો કયો હોઇ શકે કે, આપણે પ્રકાશને ફેલાવીએ, હકારાત્મકતાનો ફેલાવો કરીએ અને શત્રુતાની ભાવનાને જ નષ્ટ કરવાની પ્રાર્થના કરીએ.

પ્રધાનમંત્રીએ સ્ટેચ્યુ ઑફ યુનિટી રાષ્ટ્રને સમર્પિત કર્યું

October 31st, 10:50 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લ્ભભાઈ પટેલની પ્રતિમા, સ્ટેચ્યુ ઑફ યુનિટી રાષ્ટ્રનું લોકાર્પણ કર્યુ હતુ.

Sardar Patel wanted India to be strong, secure, sensitive, alert and inclusive: PM Modi

October 31st, 10:31 am

PM Modi dedicated the world’s largest statue, the ‘Statue of Unity’ to the nation. The 182 metres high statue of Sardar Patel, on the banks of River Narmada is a tribute to the great leader. Addressing a gathering at the event, the PM recalled Sardar Patel’s invaluable contribution towards India’s unification and termed the statue to be reflection of New India’s aspirations, which could be fulfilled through the mantra of ‘Ek Bharat, Shreshtha Bharat.’

We want create an India where every citizen is empowered: PM Modi

February 25th, 08:05 pm

PM Narendra Modi today flagged off New India marathon from Surat. Speaking at the event, PM Modi urged to build a New India, which is free from politics of caste, communalism and corruption. He said, “We want create an India where every citizen is empowered.”

સોશ્યલ મીડિયા કોર્નર 31 ઓક્ટોબર 2017

October 31st, 06:51 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

India is proud of its diversity: PM Narendra Modi

October 31st, 07:30 am

PM Narendra Modi flagged off the 'Run for Unity’ today. The PM remarked, “We are proud of Sardar Patel’s contribution to India before we attained freedom and during the early years after we became independent.”

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ સરદાર પટેલને એમની જન્મજયંતિ પર પુષ્પાજંલિ અર્પણ કરી; પ્રધાનમંત્રીએ “એકતા દોડ”ને લીલી ઝંડી દેખાડી

October 31st, 07:28 am

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકયા નાયડુ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર નવી દિલ્હીનાં પટેલ ચોકમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

વડોદરા, ગુજરાતમાં વડાપ્રધાને અસંખ્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું અને ઉદ્ઘાટન કર્યા

October 22nd, 05:07 pm

વડાપ્રધાન મોદીએ આજે વડોદરા, ગુજરાત ખાતે રૂ. 3600 કરોડના મૂલ્યના અસંખ્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને ટિપ્પણી કરી હતી કે 'અમે અમારા કાર્યમાં સ્પષ્ટ છીએ. અમારા દરેક સ્તોત્ર દરેક નાગરિકની સુખાકારી પર જ ખર્ચ કરવામાં આવે. અમારી પ્રાથમિકતા વિકાસ છે.

રાજ્યપાલોની બેઠકના અંતિમ સત્રમાં વડાપ્રધાનની ટીપ્પણીઓ

October 13th, 03:36 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજ્યપાલોની બેઠકના અંતિમ સત્રમાં ઉદબોધન કર્યું હતું.

ઓલ ઇન્ડિયા રેડિયો પર 24 સપ્ટેમ્બર, 2017 ના રોજ મન કી બાતના 36માં અંકમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

September 24th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, આપ સહુને નમસ્કાર. આકાશવાણીના માધ્યમથી મન કી બાત કરતાં કરતાં ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા. આજે આ 36 મો એપીસોડ છે. મન કી બાત એક પ્રકારથી ભારતની જે સકારાત્મક શક્તિ છે, દેશના ખૂણે-ખૂણામાં જે ભાવનાઓ પડેલી છે, ઈચ્છાઓ છે, અપેક્ષાઓ છે, ક્યાંક-ક્યાંક ફરિયાદો પણ છે – એક જનમાનસમાં જે ભાવ ઉમટી રહ્યા હોય છે, મન કી બાતે, એ દરેક ભાવનાઓ સાથે મને જોડાવાનો એક અદભુત અવસર આપ્યો છે અને મેં ક્યારેય એમ નથી કહ્યું કે મારા મનની વાત છે. આ મન કી બાત દેશવાસીઓના મન સાથે જોડાયેલી છે, તેમના ભાવ સાથે જોડાયેલી છે, તેમની આશા-અપેક્ષાઓ સાથે જોડાયેલી છે. અને જ્યારે મન કી બાતમાં જે વાતો હું જણાવું છું તે વાતો દેશના દરેક ખૂણેથી લોકો મારા સુધી પહોંચાડે છે, આપને તો કદાચ હું બહુ ઓછી વાતો કહી શકું છું પરંતુ મને તો ભરપૂર ખજાનો મળી જાય છે. ઈ-મેલ દ્વારા, ટેલિફોન દ્વારા, mygov દ્વારા નરેન્દ્ર મોદી એપ દ્વારા, કેટલી બધી વાતો મારા સુધી પહોંચે છે. મોટા ભાગની તો તેમાંથી મને પ્રેરણા આપનારી હોય છે. ઘણી તો સરકારમાં સુધારા માટે હોય છે. ક્યાંક વ્યક્તિગત ફરિયાદ પણ હોય છે તો ક્યારેક સામૂહિક સમસ્યા પ્રત્યે ધ્યાન આકર્ષિત કરવામાં આવે છે. અને હું તો મહિનામાં એકવાર આપનો અડધો કલાક લઉ છું પરંતુ લોકો ત્રીસેય દિવસ મન કી બાત ઉપર તેમની વાત પહોંચાડતા હોય છે. અને તેનું પરિણામ એ આવ્યું કે સરકારમાં પણ સંવેદનશીલતા, દૂર-દૂરના સમાજમાં કેવીકેવી શક્તિઓ પડી છે, તેના પર તેનું ધ્યાન પડવું, એ સહજ અનુભવ મળી રહ્યો છે. અને એટલે જ મન કી બાતની ત્રણ વર્ષની આ યાત્રા દેશવાસીઓની ભાવનાઓની, અનુભૂતિની એક યાત્રા છે. અને કદાચ આટલા ઓછા સમયમાં દેશના સામાન્ય વ્યક્તિના ભાવને જાણવાનો-સમજવાનો મને જે અવસર મળ્યો છે અને તેના માટે હું દેશવાસીઓનો ખૂબ આભારી છું. મન કી બાતમાં મેં હંમેશા આચાર્ય વિનોબા ભાવેની એ વાતને યાદ રાખી છે, આચાર્ય વિનોબા ભાવે હંમેશા કહેતા હતા કે અ-સરકારી, અસરકારી. મેં પણ મનની વાતને, આ દેશના લોકોને કેન્દ્રમાં રાખવાનો પ્રયાસ કર્યો છે. રાજનીતિના રંગથી તેને દૂર રાખી છે. તત્કાલીન જે ગરમી હોય છે, આક્રોશ હોય છે તેમાં વહી જવાને બદલે, એક સ્થિર મનથી આપની સાથે જોડાયેલા રહેવાનો પ્રયાસ કર્યો છે. હું જરૂર માનું છું કે હવે ત્રણ વર્ષ બાદ social scientists, universities, research scholars, media experts જરૂર તેનું એનાલિસીસ કરશે. સારી-નરસી દરેક બાબતને આગળ લાવશે. અને મને વિશ્વાસ છે કે આ વિચાર-વિમર્શ ભવિષ્યમાં મન કી બાત માટે પણ ઉપયોગી થશે, તેમાં એક નવી ચેતના, નવી ઉર્જા પ્રાપ્ત થશે. મેં જ્યારે એકવાર મન કી બાત માં કહ્યું હતું કે આપણે ભોજન કરતી વખતે ચિંતા કરવી જોઈએ કે જેટલી જરૂરિયાત છે તેટલું જ લઈએ, આપણે તેને બરબાદ ન કરીએ. પરંતુ ત્યારબાદ મેં જોયું કે દેશના દરેક ખૂણેથી મને એટલા બધા પત્રો આવ્યા, અનેક સામાજિક સંગઠન, અનેક નવયુવાનો પહેલાથી જ આ કાર્ય કરી રહ્યા છે. જે અન્ન થાળીમાં છોડી દેવામાં આવે છે, તેને ભેગું કરીને તેનો સદઉપયોગ કેવી રીતે થાય તેના પર કામ કરનારા કેટલાય લોકો મારા ધ્યાનમાં આવ્યા જેથી મારા મનને ખૂબ સંતોષ થયો, ઘણો આનંદ થયો.