સાણંદ, ગુજરાત ખાતે સીજી સેમીની ઓએસએટી (OSAT) ફેસિલિટીના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 04th, 05:15 pm

સાથીઓ, 2024માં આ પ્લાન્ટનો શિલાન્યાસ કરવાનો અવસર મને મળ્યો હતો. 2025ના ઓગસ્ટ મહિનામાં અહીં ટેસ્ટિંગ ચિપ્સનું કામ શરૂ થયું, અને આજે, આ પ્લાન્ટનું ઉદ્ઘાટન થઈ ગયું છે. શિલાન્યાસથી પ્રોડક્શન સુધીની આ સફર, ચોક્કસપણે અનેક સાથીઓના પરિશ્રમનું પરિણામ છે. સુબૈયા જી જેવા લોકોના નેતૃત્વનું પરિણામ છે. હમણાં મંચ પર આવતા પહેલા, મને આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અનેક સાથીઓ સાથે વાતચીત કરવાનો પણ મોકો મળ્યો. એક રીતે એવું લાગે છે કે આ પરિસરમાં એક મિની ઇન્ડિયા વસે છે. દરેક ભાષાના, દરેક પહેરવેશના, દરેક ખાન-પાનના લોકો અહીં છે. એટલે કે એક અલગ જ પ્રકારનો માહોલ મેં અનુભવ્યો. પ્રદર્શનની મુલાકાત (Exhibition Visit) દરમિયાન પણ, મેં કેટલાય દીકરા-દીકરીઓ સાથે વાતચીત કરી. અને એક વાત જેનો હું બહુ ગર્વથી ઉલ્લેખ કરવા માંગીશ, આ બાળકોનું કોન્ફિડન્સ લેવલ (આત્મવિશ્વાસનું સ્તર). જે આત્મવિશ્વાસથી તેઓ વાતો કરી રહ્યા હતા, ટેકનોલોજીના સંદર્ભમાં જે તેમનો કહેવાનો વિશ્વાસ હતો, તેનાથી ઓછામાં ઓછું હું તો ઇમ્પ્રેસ થઈ ગયો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું

July 04th, 05:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગના મહત્વ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ આ લોન્ચિંગને દેશના તેના લક્ષ્યો પ્રત્યેના અતૂટ સંકલ્પના પુરાવા તરીકે ગણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશ કોઈપણ ખચકાટ વિના તેના મજબૂત સંકલ્પોને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરે છે. શ્રી મોદીએ મક્કમતાપૂર્વક જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ પુરાવો છે કે ભારત જે પણ કરવાનો સંકલ્પ કરે છે, તેને દ્રઢતાપૂર્વક પૂર્ણ કરે છે.

પ્રધાનમંત્રીએ નોર્વેના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય મંત્રણા યોજી

May 18th, 08:21 pm

બંને નેતાઓ આર્થિક અને વ્યાપારી ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે વિશાળ સંભાવનાઓ હોવા અંગે સંમત થયા હતા. પ્રધાનમંત્રીએ ભારતમાં નોર્વેજીયન સાહસો દ્વારા વધુ રોકાણ કરવાનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ 2030 સુધીમાં ભારત અને નોર્વે વચ્ચેના વર્તમાન વેપારના મૂલ્યને બમણું કરવાના લક્ષ્યને રેખાંકિત કર્યો હતો અને TEPA હેઠળ 100 અબજ યુએસ ડોલર (USD) ના રોકાણની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા તેમજ ભારતમાં 10 લાખ (1 મિલિયન) નોકરીઓની વિભાવનાને સાકાર કરવા માટે વિવિધ ક્ષેત્રોમાં ગતિશીલ જોડાણ તરફ કામ કરવા માટે વ્યવસાયિક પ્રતિનિધિઓને પ્રોત્સાહિત કર્યા હતા.

"પરીક્ષા પે ચર્ચા 2026" કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ

February 06th, 10:21 am

જુઓ, જીવનભર આવું જ રહે છે. જો હું પ્રધાનમંત્રી બન્યો પણ કોઈ મને આ કરવાનું કહે છે, અને કોઈ મને તે કરવાનું કહે છે. જો તમે ઘરે ભોજન જુઓ, તો બધા ભાઈ-બહેનો જમવા બેઠા હશે અને દરેકની ખાવાની રીત અલગ હશે. કોઈ શાકભાજીથી શરૂઆત કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા 2026 દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો

February 06th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચા (PPC) ની 9મી આવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રીએ દિલ્હીમાં તેમના નિવાસસ્થાને એક્ઝામ વોરિયર્સ સાથે અનૌપચારિક વાતચીત કરી હતી.

વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026ના સમાપન સત્ર દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 12th, 06:45 pm

કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ, બધા સંસદ સભ્યો, વિકસિત ભારત યંગ લીડર્સ ચેલેન્જના વિજેતાઓ, અન્ય મહાનુભાવો અને દેશભરના મારા બધા યુવા મિત્રો, જેમાં વિદેશના લોકોનો પણ સમાવેશ થાય છે, તેમને અહીં એક નવો અનુભવ થયો હશે. શું તમે થાકી નથી ગયા? બે દિવસથી આ જ ચાલી રહ્યું છે, તો હવે સાંભળતાં–સાંભળતાં થાક તો નથી ગયા ને? વાત તો એવી છે કે બેક સીટમાં મેં જેટલું કહેવું હતું, કહી દીધું. જ્યારે મેં પહેલી વાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, ત્યારે મને લાગે છે કે તમારામાંથી ઘણા એવા યુવાનો હતા જેઓ જન્મ્યા પણ નહોતા. અને જ્યારે મેં 2014માં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા, ત્યારે તમારામાંથી મોટાભાગના લોકો બાળકો હતા. પરંતુ પહેલા મુખ્યમંત્રી તરીકે અને પછી હવે પ્રધાનમંત્રી તરીકે મને હંમેશા યુવા પેઢીમાં ખૂબ વિશ્વાસ રહ્યો છે. તમારી શક્તિ, તમારી પ્રતિભા અને તમારી ઊર્જાએ હંમેશા મને ઊર્જા આપી છે. અને આજે જુઓ, તમે બધા વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવાની બાગડોર સંભાળી રહ્યા છો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026ને સંબોધિત કર્યું

January 12th, 06:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026' ના સમાપન સત્રને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે મેળાવડાને સંબોધતા શ્રી મોદીએ નોંધ્યું હતું કે જ્યારે તેમણે પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારે આજના ઘણા યુવાન નાગરિકોનો જન્મ પણ થયો ન હતો, અને જ્યારે તેમણે 2014 માં પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળ્યું ત્યારે તેમાંથી મોટાભાગના બાળકો હતા. આટલો સમય વીતી ગયો હોવા છતાં, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુવા પેઢીમાં તેમનો વિશ્વાસ સ્થિર અને અટલ રહ્યો છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, તમારી ક્ષમતા, તમારી પ્રતિભા, મેં હંમેશા તમારી ઊર્જામાંથી ઊર્જા મેળવી છે. અને આજે જુઓ, તમે બધા વિકસિત ભારતના લક્ષ્યની લગામ સંભાળી રહ્યા છો.

દિલ્હીમાં વીર બાળ દિવસના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 26th, 01:30 pm

આજે આપણે એ વીર સાહિબઝાદાઓને યાદ કરી રહ્યા છીએ, જે આપણા ભારતનું ગૌરવ છે. તેઓ ભારતની અદમ્ય સાહસિકતા, શૌર્ય અને વીરતાની પરાકાષ્ઠા હતા. એ વીર સાહિબઝાદાઓએ ઉંમર અને અવસ્થાની સીમાઓ વટાવી, ક્રૂર મુઘલ સલ્તનત સામે ખડક જેવા અડગ રહ્યા, અને જેનાથી ધાર્મિક કટ્ટરતા અને આતંકનું અસ્તિત્વ જ હચમચી ગયું. જે રાષ્ટ્ર પાસે આટલો ગૌરવપૂર્ણ ઇતિહાસ હોય અને યુવા પેઢીને આવી પ્રેરણા વારસામાં મળે, તે રાષ્ટ્ર કંઈ પણ કરી શકે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વીર બાલ દિવસ કાર્યક્રમને સંબોધિત કર્યો

December 26th, 01:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે 'વીર બાલ દિવસ' નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ દેશભરમાંથી આવેલા મહેમાનોનું સ્વાગત કર્યું અને હાજર બાળકોને સંબોધતા કહ્યું કે આજે દેશ વીર બાલ દિવસ ઉજવી રહ્યો છે. તેમણે વંદે માતરમની સુંદર પ્રસ્તુતિ પર પ્રકાશ પાડ્યો અને નોંધ્યું કે કલાકારોનું સમર્પણ અને પ્રયત્ન સ્પષ્ટપણે દેખાતા હતા.

નવી દિલ્હીમાં પરંપરાગત દવા પર બીજા WHO ગ્લોબલ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 19th, 08:11 pm

આજે પરંપરાગત દવા પર બીજા WHO ગ્લોબલ સમિટનો સમાપન દિવસ છે. છેલ્લા ત્રણ દિવસમાં, પરંપરાગત દવા ક્ષેત્રના વિશ્વભરના નિષ્ણાતોએ ગંભીર અને અર્થપૂર્ણ ચર્ચાઓમાં ભાગ લીધો છે. મને આનંદ છે કે ભારત આ માટે એક મજબૂત પ્લેટફોર્મ તરીકે સેવા આપી રહ્યું છે, અને WHO એ પણ આમાં સક્રિય ભૂમિકા ભજવી છે. આ સફળ કાર્યક્રમ માટે હું WHO, આયુષ મંત્રાલય, ભારત સરકાર અને અહીં હાજર રહેલા તમામ સહભાગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરંપરાગત ચિકિત્સા પર બીજી WHO ગ્લોબલ સમિટના સમાપન સમારોહને સંબોધિત કર્યો

December 19th, 07:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પરંપરાગત ચિકિત્સા પર બીજી WHO ગ્લોબલ સમિટના સમાપન સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ હાઈલાઈટ કર્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં, પરંપરાગત ચિકિત્સા ક્ષેત્રે વિશ્વભરના નિષ્ણાતો ગંભીર અને અર્થપૂર્ણ ચર્ચાઓમાં વ્યસ્ત રહ્યા છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે ભારત આ હેતુ માટે એક મજબૂત પ્લેટફોર્મ તરીકે સેવા આપી રહ્યું છે અને પ્રક્રિયામાં WHO ની સક્રિય ભૂમિકાની નોંધ લીધી હતી. તેમણે સમિટના સફળ આયોજન માટે WHO, આયુષ મંત્રાલય, ભારત સરકાર અને ઉપસ્થિત તમામ સહભાગીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રી 2 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે ‘સેમિકોન ઇન્ડિયા - 2025’નું ઉદ્ઘાટન કરશે

September 01st, 03:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે ભારતના સેમિકોન ઇકોસિસ્ટમને ઉત્પ્રેરિત કરવાના હેતુથી ‘સેમિકોન ઇન્ડિયા - 2025’નું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી 3 સપ્ટેમ્બરના રોજ સવારે 9.30 વાગ્યે કોન્ફરન્સમાં પણ ભાગ લેશે, જેમાં તેઓ સીઈઓ રાઉન્ડ ટેબલમાં પણ ભાગ લેશે.

ભારત-જાપાન આર્થિક મંચ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

August 29th, 11:20 am

અને તે રીતે ઘણા લોકો છે જેમની સાથે મારો વ્યક્તિગત પરિચય છે. જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે પણ, અને જ્યારે હું ગુજરાતથી દિલ્હી આવ્યો ત્યારે પણ. તમારામાંથી ઘણા લોકો સાથે મારો ગાઢ પરિચય થયો છે. મને ખુશી છે કે મને આજે આપ સૌને મળવાની તક મળી.

પ્રધાનમંત્રી ભારત-જાપાન આર્થિક મંચમાં ઉપસ્થિત રહ્યા

August 29th, 11:02 am

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં ભારત-જાપાન સ્પેશિયલ સ્ટ્રેટેજિક અને ગ્લોબલ પાર્ટનરશીપની સફળતા, ખાસ કરીને રોકાણ, ઉત્પાદન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ પર પ્રકાશ પાડ્યો હતો. જાપાની કંપનીઓને ભારતમાં તેમની હાજરીને વધુ વિસ્તૃત કરવા આમંત્રણ આપતાં, તેમણે કહ્યું કે ભારતીય વિકાસ ગાથા તેમના માટે પ્રોત્સાહક તકો રજૂ કરે છે. તેમણે કહ્યું કે વર્તમાન અશાંત વૈશ્વિક આર્થિક પરિસ્થિતિના સંદર્ભમાં વિશ્વસનીય મિત્રો વચ્ચેની ગાઢ આર્થિક ભાગીદારી ખાસ કરીને સુસંગત છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે રાજકીય સ્થિરતા, નીતિગત આગાહી, સુધારાઓ પ્રત્યે પ્રતિબદ્ધતા અને વ્યવસાય કરવાની સરળતા માટેના પ્રયાસોએ ભારતીય બજારમાં રોકાણકારોમાં નવો વિશ્વાસ આપ્યો છે, જે વૈશ્વિક એજન્સીઓ દ્વારા ભારતના નવીનતમ ક્રેડિટ રેટિંગના અપગ્રેડમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે.

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

April 27th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે જ્યારે હું તમારી સાથે 'મન કી બાત' કરી રહ્યો છું તો મનમાં ભારે પીડા છે. 22 એપ્રિલે પહલગામમાં થયેલા ત્રાસવાદી આક્રમણે દેશના દરેક નાગરિકને દુઃખ પહોંચાડ્યું છે. પીડિત પરિવારો પ્રત્યે દરેક ભારતીયના મનમાં ઊંડી સંવેદના છે. ભલે તે કોઈ પણ રાજ્યનો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, પરંતુ તે એ લોકોની પીડાને અનુભવી રહ્યો છે, જેમણે આ આક્રમણમાં પોતાના પરિજનોને ખોયા છે. મને અનુભૂતિ છે કે દરેક ભારતીયનું લોહી, ત્રાસવાદી આક્રમણની છબિઓને જોઈને ઉકળી રહ્યું છે. પહલગામમાં થયેલું આ આક્રમણ, ત્રાસવાદીના સંરક્ષકોની હતાશા દેખાડે છે, તેમની કાયરતા દેખાડે છે. જ્યારે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી, શાળા-કૉલેજોમાં એક ઉમંગ હતો, નિર્માણ કાર્યોમાં અભૂતપૂર્વ ગતિ આવી હતી, લોકતંત્ર મજબૂત થઈ રહ્યું હતું, પર્યટકોની સંખ્યામાં વિક્રમી વૃદ્ધિ થઈ રહી હતી, લોકોની કમાણી વધી રહી હતી, યુવાનો માટે નવા અવસર તૈયાર થઈ રહ્યા હતા. દેશના દુશ્મનોને, જમ્મુ-કાશ્મીરના દુશ્મનોને આ રુચ્યું નહીં. આતંકવાદી અને આતંકવાદીઓના આકા ઇચ્છે છે કે કાશ્મીર ફરીથી નાશ પામે અને એટલા માટે આટલા મોટા ષડયંત્રને તેમણે પાર પાડ્યું. આતંકવાદ વિરુદ્ધ આ યુદ્ધમાં દેશની એકતા, 140 કરોડ ભારતીયોનો સંપ, આપણી સૌથી મોટી શક્તિ છે. આ એકતા જ આતંકવાદ વિરુદ્ધ આપણી નિર્ણાયક લડાઈનો આધાર છે. આપણે દેશ સામે આવેલા આ પડકારનો સામનો કરવા માટે આપણા સંકલ્પને મજબૂત કરવાનો છે. આપણે એક રાષ્ટ્રના રૂપમાં દૃઢ ઇચ્છાશક્તિનું પ્રદર્શન કરવું છે.

પ્રધાનમંત્રીના "પેરીક્ષા પે ચર્ચા 2025" કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથેની વાતચીતનો મૂળપાઠ

February 10th, 11:30 am

આ વખતે સુંદર નર્સરી નામની ખુલ્લી જગ્યામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા 2025 દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો

February 10th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચા (પીપીસી)ની આઠમી આવૃત્તિ દરમિયાન સુંદર નર્સરી, નવી દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ દેશભરના વિદ્યાર્થીઓ સાથે અનૌપચારિક વાતચીતમાં અનેક વિષયો પર ચર્ચા કરી હતી. તેમણે તલની બનેલી મીઠાઈઓ વહેંચી હતી. જે પરંપરાગત રીતે શિયાળા દરમિયાન પીરસવામાં આવે છે, જેથી શરીર ગરમ રહે.

લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર પ્રધાનમંત્રી દ્વારા આભાર પ્રસ્તાવનો મૂળપાઠ

February 04th, 07:00 pm

હું અહીં માનનીય રાષ્ટ્રપતિના સંબોધન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવા ઉપસ્થિત થયો છું. ગઈકાલે, આજે અને મોડી રાત સુધી, બધા માનનીય સાંસદોએ તેમના વિચારોથી આ આભાર પ્રસ્તાવને સમૃદ્ધ બનાવ્યો. ઘણા માનનીય અને અનુભવી સંસદસભ્યોએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા, અને સ્વાભાવિક રીતે, લોકશાહીની પરંપરાની જેમ, જ્યાં જરૂર હતી, ત્યાં પ્રશંસા હતી, જ્યાં મુશ્કેલી હતી, ત્યાં કેટલીક નકારાત્મક બાબતો પણ હતી, પરંતુ આ ખૂબ જ સ્વાભાવિક છે! માનનીય અધ્યક્ષજી, મારા માટે એ ખૂબ જ સૌભાગ્યની વાત છે કે દેશના લોકોએ મને 14મી વખત આ સ્થાન પર બેસીને રાષ્ટ્રપતિના સંબોધન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક આપી છે અને તેથી, આજે હું તેમનો આભાર માનવા માંગુ છું. લોકોનો ખૂબ આદર સાથે આભાર. ગૃહમાં ચર્ચામાં ભાગ લેનારા અને તેને સમૃદ્ધ બનાવનારા બધાનો હું આભાર વ્યક્ત કરવા માંગુ છું.

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો પ્રત્યુત્તર

February 04th, 06:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં સંસદને રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. ગૃહને સંબોધતા પ્રધાનમંત્રીએ ગઈકાલે અને આજની ચર્ચામાં ભાગ લેનારા તમામ માનનીય સાંસદોના યોગદાનની પ્રશંસા કરી હતી અને નોંધ્યું હતું કે, લોકશાહીની પરંપરામાં જ્યાં જરૂરી હોય ત્યાં પ્રશંસા અને જ્યાં જરૂર હોય ત્યાં કેટલીક નકારાત્મક ટિપ્પણીઓનો સમાવેશ થાય છે, જે સ્વાભાવિક છે. 14મી વખત રાષ્ટ્રપતિના અભિભાષણ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક લોકો દ્વારા આપવામાં આવી હોવાના મહાન વિશેષાધિકારને ઉજાગર કરતા તેમણે નાગરિકોનો આદરપૂર્વક આભાર માન્યો હતો અને આ પ્રસ્તાવને તેમના વિચારોથી સમૃદ્ધ બનાવવા માટે ચર્ચામાં સામેલ તમામ સહભાગીઓનો સ્વીકાર કર્યો હતો.

સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 11th, 05:00 pm

તમને બધાને યાદ હશે કે મેં હંમેશા લાલ કિલ્લા પરથી એક વાત કહી છે. મેં કહ્યું છે કે દરેકના પ્રયાસોથી જ આજનો ભારત ઝડપી ગતિએ આગળ વધી શકે છે. આજનો દિવસ તેનું ઉદાહરણ છે. હું સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનના આ ગ્રાન્ડ ફિનાલેની ખૂબ રાહ જોઈ રહ્યો હતો. જ્યારે પણ તમારા જેવા યુવા ઈનોવેટર્સમાં સામેલ થવાની તક મળે છે. મને પણ ઘણું જાણવા અને સમજવાનો મોકો મળે છે. મને તમારા બધા પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તમે બધા યુવા સંશોધકો 21મી સદીના ભારતને જોવાનો અલગ દ્રષ્ટિકોણ ધરાવો છો અને તેથી તમારા ઉકેલો પણ અલગ છે. તેથી, જ્યારે તમને નવા પડકારો મળે છે, ત્યારે તમે તેના માટે નવા અને અનન્ય ઉકેલો શોધો છો. હું પહેલા પણ ઘણી હેકાથોન્સનો ભાગ રહ્યો છું. તમે ક્યારેય નિરાશ થયા નથી. હંમેશા મારો વિશ્વાસ વધાર્યો છે. તમારી પહેલા જે ટીમ રહી છે. તેમણે ઉકેલો આપ્યા છે. આજે તેઓ વિવિધ મંત્રાલયોમાં ખૂબ જ ઉપયોગી છે. હવે આ હેકાથોનમાં દેશના વિવિધ ભાગોમાં ટીમો શું કરી રહી છે? હું તમારી નવીનતાઓ વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સુક છું. તો ચાલો શરૂઆત કરીએ કે આપણી સાથે પહેલા કોણ વાત કરશે.