દેશમાં ક્રિટિકલ મિનરલ રિસાયક્લિંગને પ્રોત્સાહન આપવા માટે મંત્રીમંડળે રૂ. 1,500 કરોડની પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી

September 03rd, 07:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે દેશમાં ક્રિટિકલ મિનરલને ગૌણ સ્ત્રોતોમાંથી અલગ કરવા અને ઉત્પાદન કરવા માટે રિસાયક્લિંગ ક્ષમતા વિકસાવવા માટે રૂ. 1,500 કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી.

પીએમ 6 ઓગસ્ટે કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કરશે

August 04th, 05:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 ઓગસ્ટના રોજ બપોરે 12:15 વાગ્યે દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે કર્તવ્ય ભવનની મુલાકાત લેશે અને તેનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી સાંજે 6:30 વાગ્યે કર્તવ્ય પથ પર એક જાહેર કાર્યક્રમને સંબોધિત કરશે.

મન કી બાત – (122મી કડી) પ્રસારણ તારીખ-25-05-2025

May 25th, 11:30 am

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે પૂરો દેશ આતંકવાદ વિરૂદ્ધ એક જૂથ છે, આક્રોશથી ભરેલો છે, સંકલ્પબદ્ધ છે, આજે દરેક ભારતીયનો એ જ સંકલ્પ છે કે, આપણે આતંકવાદનો ખાતમો બોલાવવાનો જ છે. સાથીઓ, ઓપરેશન સિંદૂર વખતે આપણી સેનાએ જે પરાક્રમ બતાવ્યું છે, તેનાથી દરેક હિંદુસ્તાનીનું માથું ઉંચું કરી દીધું છે. જે ચોકસાઇની સાથે, જે સટિકતાથી આપણી સેનાઓએ સરહદની પેલે પારના આતંકવાદી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યા છે. તે અદભૂત છે. ઓપરેશન સિંદૂરે દુનિયાભરમાં આતંક વિરૂદ્ધની લડાઇને નવો વિશ્વાસ અને ઉત્સાહ આપ્યા છે.

ઇન્ડિયા સ્ટીલ 2025 કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 24th, 02:00 pm

વિશ્વના આધુનિક અર્થતંત્રોમાં સ્ટીલે કરોડરજ્જુ જેવી ભૂમિકા ભજવી છે. ભલે તે ગગનચુંબી ઇમારતો હોય કે શિપિંગ, હાઇવે હોય કે હાઇ-સ્પીડ રેલ, સ્માર્ટ સિટી હોય કે ઔદ્યોગિક કોરિડોર, દરેક સફળતાની વાર્તા પાછળ સ્ટીલ શક્તિ છે. આજે ભારત 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના સંકલ્પને પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સ્ટીલ ક્ષેત્રની ભૂમિકા પણ ઓછી નથી. અમને ગર્વ છે કે આજે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ બન્યો છે. અમે રાષ્ટ્રીય સ્ટીલ નીતિ હેઠળ 2030 સુધીમાં 300 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આજે આપણો માથાદીઠ સ્ટીલનો વપરાશ લગભગ અઠ્ઠાણુ કિલોગ્રામ છે, અને તે પણ 2030 સુધીમાં વધીને એકસો સાઠ કિલોગ્રામ થવાની સંભાવના છે. સ્ટીલનો આ વધતો વપરાશ દેશના માળખાગત સુવિધાઓ અને અર્થતંત્ર માટે ગોલ્ડન સ્ટાન્ડર્ડ તરીકે કાર્ય કરે છે. આ દેશની દિશા અને સરકારની કાર્યક્ષમતા અને અસરકારકતાની પણ કસોટી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા સ્ટીલ 2025 કાર્યક્રમને સંબોધન કર્યું

April 24th, 01:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે મુંબઈમાં ઇન્ડિયા સ્ટીલ 2025 કાર્યક્રમ દરમિયાન પોતાની ટિપ્પણી કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આગામી બે દિવસ દરમિયાન ચર્ચાવિચારણામાં ભારતનાં સનરાઇઝ સેક્ટર – સ્ટીલ ઉદ્યોગની સંભવિતતા અને તકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમણે નોંધ્યું હતું કે, આ ક્ષેત્ર ભારતની પ્રગતિનો પાયો છે, વિકસિત ભારતનો પાયો મજબૂત કરે છે અને દેશમાં પરિવર્તનનો નવો અધ્યાય લખી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ઇન્ડિયા સ્ટીલ 2025માં દરેકનું સ્વાગત કર્યું હતું અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ ઇવેન્ટ નવા વિચારો વહેંચવા, નવી ભાગીદારી કરવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે લોન્ચપેડ તરીકે કામ કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ સ્ટીલ ક્ષેત્રમાં નવા પ્રકરણ માટે પાયો નાખશે.

'મન કી બાત'ના શ્રોતાઓ આ કાર્યક્રમના અસલી એન્કર છેઃ પીએમ મોદી

September 29th, 11:30 am

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં એક વાર ફરી આપણને જોડાવવાનો અવસર મળ્યો છે. આજનો આ episode મને ભાવુક કરનારો છે, મને ઘણી જૂની યાદોથી ઘેરી રહ્યો છે – કારણ એ છે કે ‘મન કી બાત’ની આપણી આ યાત્રાને 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 10 વર્ષ પહેલા ‘મન કી બાત’નો પ્રારંભ 3 ઓક્ટોબરના વિજયાદશમીના દિવસે થયો હતો અને આ કેટલો પવિત્ર સંયોગ છે, કે આ વર્ષે 3 ઓક્ટોબરે જ્યારે ‘મન કી બાત’ને 10 વર્ષ પૂરા થશે, ત્યારે, નવરાત્રિનો પહેલો દિવસ હશે. ‘મન કી બાત’ની લાંબી યાત્રાના કેટલાય એવા પડાવ છે, જેને હું ક્યારેય ભૂલી નહિ શકું. ‘મન કી બાત’ના કરોડો શ્રોતાઓ આપણી આ યાત્રાના એવા સાથી છે, જેમનો મને નિરંતર સહયોગ મળતો રહ્યો છે. દેશના ખૂણે-ખૂણે તેમણે જાણકારી ઉપલબ્ધ કરાવી. ‘મન કી બાત’ના શ્રોતાઓ જ આ કાર્યક્રમના ખરા સૂત્રધાર છે. સામાન્ય રીતે એક એવી ધારણા ઘર કરી ગઈ છે કે જ્યાં સુધી ચટપટી વાતો ન હોય, નકારાત્મક વાતો ન હોય ત્યાં સુધી તેને વધુ ધ્યાન નથી મળતું. પરંતુ ‘મન કી બાત’એ સાબિત કર્યું છે કે દેશના લોકોમાં positive માહિતીની કેટલી ભૂખ છે. Positive વાતો, પ્રેરણાથી ભરી દેનારા ઉદાહરણો, હિંમત આપનારી ગાથાઓ, લોકોને ખૂબ પસંદ આવે છે. જેમ એક પક્ષી હોય છે ‘ચાતક’ જેના માટે કહેવાય છે કે તે માત્ર વરસાદના ટીપાં જ પીએ છે. ‘મન કી બાત’માં આપણે જોયું કે લોકો પણ ચાતક પક્ષીની જેમ, દેશની સિદ્ધિઓને, લોકોની સામૂહિક સિદ્ધિઓને, કેટલા ગર્વથી સાંભળે છે.

સ્પેસ સેક્ટરમાં સુધારાથી દેશના યુવાનોને ફાયદો થયો છે: વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કહ્યું

August 25th, 11:30 am

સાથીઓ, દેશના યુવાઓને સ્પેસ સેક્ટર રિફૉર્મથી પણ ઘણો ફાયદો થયો છે. આથી મેં વિચાર્યું કે, શા માટે 'મન કી બાત'માં અંતરિક્ષ ક્ષેત્ર સાથે જોડાયેલા મારા કેટલાક યુવા સાથીઓ સાથે વાત ન કરવામાં આવે. મારી સાથે વાત કરવા માટે Spacetech Start-Up GalaxEyeની ટીમ જોડાઈ રહી છે. આ સ્ટાર્ટ અપને IIT Madrasના alumnniએ શરૂ કર્યું હતું. આ બધા નવયુવાનો આજે આપણી સાથે ફૉન લાઇન પર ઉપસ્થિત છે - સૂયશ, ડેનિલ, રક્ષિત, કિશન અને પ્રનિત. આવો, આ યુવાઓના અનુભવોને જાણીએ.

આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીની મંત્રીસ્તરીય બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 14th, 02:45 pm

આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીની મંત્રીસ્તરીય બેઠકમાં દરેકને શુભેચ્છા. તે નોંધપાત્ર છે કે IEA તેની સ્થાપનાની 50મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. આ માઈલસ્ટોન માટે અભિનંદન. આ બેઠકના સહ-અધ્યક્ષ બનવા બદલ હું આયર્લેન્ડ અને ફ્રાન્સનો પણ આભાર માનું છું.

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીની મંત્રીસ્તરીય બેઠકને સંબોધન કર્યું

February 14th, 02:39 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીની મંત્રીસ્તરીય બેઠકને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રી શ્રીએ બેંગલુરુ સ્થિત કાર્ડિયોલોજિસ્ટ અને તેમના પુત્રના રિસાયક્લિંગ માટેના પ્રયાસોને બિરદાવ્યા

March 07th, 02:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુ સ્થિત વરિષ્ઠ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. દીપક કૃષ્ણમૂર્તિ અને તેમના પુત્રના રિસાયક્લિંગ અને 'વેસ્ટ ટુ વેલ્થ' અંગે જાગૃતિ લાવવાના પ્રયાસોની પ્રશંસા કરી છે.

'અર્બન પ્લાનિંગ, ડેવલપમેન્ટ એન્ડ સેનિટેશન' પર બજેટ પછીના વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 01st, 10:20 am

શહેરી વિકાસ જેવા મહત્વના વિષય પર બજેટ વેબિનારમાં આપ સૌનું સ્વાગત છે.

પ્રધાનમંત્રીએ ‘શહેરી આયોજન, વિકાસ અને સ્વચ્છતા’ વિષય પર અંદાજપત્ર પછી યોજાયેલા વેબિનારમાં સંબોધન આપ્યું

March 01st, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરીને શહેરી વિકાસ’ વિષય પર યોજવામાં આવેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવાના ઉદ્દેશથી સરકાર દ્વારા અંદાજપત્ર પછીના 12 વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાંથી આ છઠ્ઠો વેબિનાર યોજાયો હતો.

જળ અંગેની અખિલ ભારતીય વાર્ષિક રાજ્ય મંત્રીઓની પરિષદમાં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ

January 05th, 09:55 am

દેશના જળ મંત્રીઓની પ્રથમ અખિલ ભારતીય પરિષદ પોતાનામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે ભારત જળ સુરક્ષા પર અભૂતપૂર્વ કામ કરી રહ્યું છે, અભૂતપૂર્વ રોકાણ પણ કરી રહ્યું છે. આપણી બંધારણીય વ્યવસ્થામાં પાણીનો વિષય રાજ્યોનાં નિયંત્રણમાં આવે છે. જળ સંરક્ષણ માટે રાજ્યોના પ્રયાસો દેશનાં સામૂહિક લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ખૂબ મદદરૂપ થશે. આવી સ્થિતિમાં 'વૉટર વિઝન એટ 2047' આગામી 25 વર્ષની અમૃત યાત્રાનું એક મહત્વનું પરિમાણ છે.

પ્રધાનમંત્રીએ વીડિયો સંદેશ દ્વારા પાણી અંગે પ્રથમ અખિલ ભારતીય વાર્ષિક રાજ્ય મંત્રીઓની પરિષદને સંબોધન કર્યું

January 05th, 09:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા પાણી અંગે પ્રથમ અખિલ ભારતીય વાર્ષિક રાજ્ય મંત્રીઓની પરિષદને સંબોધિત કરી હતી. આ પરિષદની વિષયવસ્તુ 'વોટર વિઝન @ 2047'છે અને ફોરમનો ઉદ્દેશ્ય ટકાઉ વિકાસ અને માનવ વિકાસ માટે જળ સંસાધનોનો ઉપયોગ કરવાના માર્ગો પર ચર્ચા કરવા માટે મુખ્ય નીતિ નિર્માતાઓને એક મંચ ઉપર એકત્રિત કરવાનો છે.

પ્રધાનમંત્રી 19મી નવેમ્બરના રોજ અરૂણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે

November 17th, 03:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બર, 2022ના રોજ અરૂણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 9:30 વાગ્યે ઇટાનગરમાં ડોની પોલો એરપોર્ટનું ઉદઘાટન કરશે અને 600 મેગાવૉટના કામેંગ હાઇડ્રો પાવર સ્ટેશનનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ તેઓ ઉત્તર પ્રદેશનાં વારાણસી પહોંચશે, જ્યાં તેઓ બપોરે લગભગ 2 વાગ્યે 'કાશી તમિલ સંગમમ'નું ઉદ્ઘાટન કરશે.

Lifestyle of the planet, for the planet and by the planet: PM Modi at launch of Mission LiFE

October 20th, 11:01 am

At the launch of Mission LiFE in Kevadia, PM Modi said, Mission LiFE emboldens the spirit of the P3 model i.e. Pro Planet People. Mission LiFE, unites the people of the earth as pro planet people, uniting them all in their thoughts. It functions on the basic principles of Lifestyle of the planet, for the planet and by the planet.

PM launches Mission LiFE at Statue of Unity in Ekta Nagar, Kevadia, Gujarat

October 20th, 11:00 am

At the launch of Mission LiFE in Kevadia, PM Modi said, Mission LiFE emboldens the spirit of the P3 model i.e. Pro Planet People. Mission LiFE, unites the people of the earth as pro planet people, uniting them all in their thoughts. It functions on the basic principles of Lifestyle of the planet, for the planet and by the planet.

કેબિનેટે નવી દિલ્હી, અમદાવાદ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), મુંબઈ રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસને મંજૂરી આપી

September 28th, 04:58 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આશરે ₹10,000 કરોડના અંદાજિત કુલ રોકાણ સાથે 3 મોટા રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટેની ભારતીય રેલવેની દરખાસ્તને મંજૂરી આપી છે.

ગુજરાતનાં એકતા નગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

September 23rd, 04:26 pm

આ રાષ્ટ્રીય સંમેલનમાં અને ખાસ કરીને એકતા નગરમાં આપ સૌનું સ્વાગત છે. હું એકતા નગરમાં આ રાષ્ટ્રીય પરિષદને પોતાનામાં જ મહત્વપૂર્ણ માનું છું. આપણે વનની વાત કરીએ, આપણા આદિવાસી ભાઈ-બહેનોની વાત કરીએ, આપણે વન્ય જીવનની વાતો કરીએ, જળ સંરક્ષણની ચર્ચા કરીએ, આપણે પ્રવાસનની વાત કરીએ, આપણે પ્રકૃતિ અને પર્યાવરણ અને વિકાસની વાતો કરીએ, એક રીતે એકતા નગરનો જે સંપૂર્ણ વિકાસ થયો છે તે પોતાનામાં જ આ સંદેશ આપે છે, વિશ્વાસ જન્માવે છે કે વન અને પર્યાવરણ ક્ષેત્ર માટે આજે એકતા નગર એક તીર્થક્ષેત્ર બની ગયું છે. આપ પણ આ જ ક્ષેત્ર સાથે જોડાયેલા મંત્રીઓ અને અધિકારીઓ આવ્યા છો. હું ઇચ્છીશ કે એકતા નગરમાં તમે જે પણ સમય વિતાવશો, તે બારીકાઈઓનું જરૂરથી અવલોકન કરજો જેમાં પર્યાવરણ પ્રત્યે, આપણા આદિવાસી સમાજ પ્રત્યે, આપણા વન્યજીવો પ્રત્યે કેટલી સંવેદનશીલતા સાથે કાર્ય રચના કરવામાં આવી છે, નિર્માણ કાર્ય થયું છે અને ભવિષ્યમાં, દેશના અનેક ખૂણામાં વન પર્યાવરણની રક્ષા કરવાની સાથે સાથે વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધી શકાય છે, એનું તમને તેમાંથી ઘણું બધું અહીં જોવા-સમજવા મળશે.

PM inaugurates the National Conference of Environment Ministers of all States in Ekta Nagar, Gujarat

September 23rd, 09:59 am

PM Modi inaugurated National Conference of Environment Ministers in Ekta Nagar, Gujarat via video conferencing. He said that the role of the Environment Ministry was more as a promoter of the environment rather than as a regulator. He urged the states to own the measures like vehicle scrapping policy and ethanol blending.