લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 25th, 06:16 pm

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા વરિષ્ઠ સહયોગી અને લખનૌના સાંસદ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહજી, યુપી ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન પંકજ ચૌધરીજી, પ્રદેશ સરકારના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠકજી, ઉપસ્થિત અન્ય મંત્રીગણ, જનપ્રતિનિધિગણ, દેવીઓ અને સજ્જનો,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું

December 25th, 05:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જીવન અને આદર્શોના સન્માનમાં ઉત્તર પ્રદેશના લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી વાજપેયીની 101મી જન્મજયંતી નિમિત્તે આયોજિત આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આજે લખનૌની ધરતી નવી પ્રેરણાની સાક્ષી બની રહી છે. તેમણે રાષ્ટ્ર અને વિશ્વને ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. શ્રી મોદીએ હાઇલાઇટ કર્યું હતું કે ભારતમાં પણ લાખો ખ્રિસ્તી પરિવારો આજે આ તહેવાર ઉજવી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ક્રિસમસની આ ઉજવણી દરેકના જીવનમાં ખુશીઓ લાવે, જે સૌની સામૂહિક ઈચ્છા છે.

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી 25 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશની મુલાકાતે

December 24th, 11:04 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે ઉત્તર પ્રદેશના લખનઉની મુલાકાત લેશે. બપોરે લગભગ 2:30 વાગ્યે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે અને આ પ્રસંગે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.