કેન્દ્રીય મંત્રીમંડળે તમિલનાડુમાં રૂ. 1853 કરોડના ખર્ચે 4-લેન પરમાકુડી - રામનાથપુરમ સેક્શન (NH-87)ના બાંધકામને મંજૂરી આપી
July 01st, 03:13 pm
હાલમાં, મદુરાઈ, પરમાકુડી, રામનાથપુરમ, મંડપમ, રામેશ્વરમ અને ધનુષકોડી વચ્ચેની કનેક્ટિવિટી હાલના 2-લેન રાષ્ટ્રીય ધોરીમાર્ગ 87 (NH-87) અને સંકળાયેલ રાજ્ય ધોરીમાર્ગો પર આધારિત છે. જે ખાસ કરીને ગીચ વસ્તીવાળા વિસ્તારો અને કોરિડોર સાથેના મુખ્ય શહેરોમાં ટ્રાફિકના જથ્થાને કારણે નોંધપાત્ર ભીડનો અનુભવ કરે છે. આ પડકારોનો સામનો કરવા માટે, પ્રોજેક્ટ પરમાકુડીથી રામનાથપુરમ સુધીના NH-87 ના આશરે 46.7 કિમીને 4-લેન ગોઠવણીમાં અપગ્રેડ કરાશે. આનાથી હાલના કોરિડોરમાં ભીડ ઓછી થશે, સલામતીમાં સુધારો થશે અને પરમાકુડી, સથિરાકુડી, અચુન્ડનવાયલ અને રામનાથપુરમ જેવા ઝડપથી વિકસતા શહેરોની ગતિશીલતા જરૂરિયાતો પૂરી થશે.ડૉ. કલામે ભારતના યુવાનોને પ્રેરણા આપી હતી: વડાપ્રધાન મોદી
July 27th, 12:34 pm
એક સભાને સંબોધતા વડાપ્રધાને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ પી જે અબ્દુલ કલામને ભાવભીની શ્રધ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાને કહ્યું, “ડૉ. કલામે કાયમ રામેશ્વરમની સાદાઈ, ઉંડાઈ અને શાંતિ દર્શાવી હતી. શ્રી મોદીએ ડૉ. કલામના યુવાનો સાથેના સંબંધોને યાદ કરીને કહ્યું હતું, ‘ડૉ કલામે ભારતના યુવાનોને પ્રેરણા આપી હતી. હું એ જોઈ રહ્યો છું કે આજનો યુવાન વિકાસની નવી ઉંચાઈએ પહોંચવા માંગે છે અને નોકરીઓ આપવા માંગે છે.”ડૉ એ પી જે અબ્દુલ કલામ મેમોરીયલનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન મોદી
July 27th, 12:29 pm
વડાપ્રધાન મોદી આજે રામેશ્વરમમાં ડૉ. એ પી જે અબ્દુલ કલામના મેમોરીયલનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન કલામ સંદેશ વાહીનીને ઝંડી બતાવી હતી, જે એક પ્રદર્શની બસ છે અને તે દેશના વિવિધ રાજ્યોમાં સફર કરશે. વડાપ્રધાને લાંબા અંતરના ટ્રોલરોને મંજૂરી પત્રો પણ આપ્યા હતા, રામેશ્વરમથી અયોધ્યાની ટ્રેનની એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડી હતી તેમજ ગ્રીન રામેશ્વર પ્રોજેક્ટના ઝલકીનું પણ અનાવરણ કર્યું હતું.