સેશેલ્સના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

June 28th, 02:02 pm

અમારો વિશ્વાસ છે કે હિંદ મહાસાગર આપણું સહિયારું ઘર છે; આની સુરક્ષા, ટકાઉપણું અને સમૃદ્ધિ આપણી સામૂહિક જવાબદારી છે. આ જ ભાવના આપણા મહાસાગર વિઝનનો આધાર છે.

પ્રધાનમંત્રીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, સંસ્કૃત સુભાષિત શેર કર્યું

June 23rd, 03:39 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું.

નવી દિલ્હીમાં રિપબ્લિક સમિટ 2026માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 22nd, 10:24 pm

સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે “રાષ્ટ્ર પ્રથમ” ની ભાવના છેલ્લા એક દાયકામાં ભારતની સિદ્ધિઓ અને એક વિશ્વસનીય વૈશ્વિક શક્તિ તરીકે તેના ઉદય પાછળનો માર્ગદર્શક સિદ્ધાંત રહ્યો છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારત એક લાંબી ઐતિહાસિક સ્મૃતિ અને પ્રગતિ તેમજ પ્રતિકૂળતા બંનેમાંથી પાઠ શીખવાની અદભૂત ક્ષમતા ધરાવતી સભ્યતા છે. તેમણે ટિપ્પણી કરી હતી કે આજે જે નિર્ણયો અને કાર્યો કરવામાં આવી રહ્યા છે તે આગામી સદીઓમાં દેશના ભવિષ્યનો પાયો નાખી રહ્યા છે. “દેશ માત્ર વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંના એક તરીકે જ નહીં પરંતુ એક વિશ્વસનીય અને ભરોસાપાત્ર ભાગીદાર તરીકે પણ ઉભરી આવ્યો છે. ભારતનો ઉદય વિશ્વાસ, સ્થિરતા અને વ્યાપક વૈશ્વિક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર આધારિત છે”, તેમ તેમણે નોંધ્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રિપબ્લિક સમિટ 2026 ને સંબોધિત કરી

June 22nd, 08:00 pm

સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે “રાષ્ટ્ર પ્રથમ” ની ભાવના છેલ્લા એક દાયકામાં ભારતની સિદ્ધિઓ અને એક વિશ્વસનીય વૈશ્વિક શક્તિ તરીકે તેના ઉદય પાછળનો માર્ગદર્શક સિદ્ધાંત રહ્યો છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારત એક લાંબી ઐતિહાસિક સ્મૃતિ અને પ્રગતિ તેમજ પ્રતિકૂળતા બંનેમાંથી પાઠ શીખવાની અદભૂત ક્ષમતા ધરાવતી સભ્યતા છે. તેમણે ટિપ્પણી કરી હતી કે આજે જે નિર્ણયો અને કાર્યો કરવામાં આવી રહ્યા છે તે આગામી સદીઓમાં દેશના ભવિષ્યનો પાયો નાખી રહ્યા છે. “દેશ માત્ર વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંના એક તરીકે જ નહીં પરંતુ એક વિશ્વસનીય અને ભરોસાપાત્ર ભાગીદાર તરીકે પણ ઉભરી આવ્યો છે. ભારતનો ઉદય વિશ્વાસ, સ્થિરતા અને વ્યાપક વૈશ્વિક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર આધારિત છે”, તેમ તેમણે નોંધ્યું હતું.

ભારત-ફ્રાન્સ ઇનોવેશન રોડમેપ 2030

June 15th, 05:42 am

17 ફેબ્રુઆરી 2026 ના રોજ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને દ્વિપક્ષીય સંબંધોને સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ” સુધી વધાર્યા અને સંયુક્ત રીતે ભારત-ફ્રાન્સ ઇનોવેશન વર્ષ 2026નું ઉદ્ઘાટન કર્યું, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇનોવેશન, રિસર્ચ, ટેકનોલોજી, ડિજિટલ ટેકનોલોજી અને સાયબર સ્પેસ, હેલ્થ, કલ્ચર, ઇકોનોમી, શૈક્ષણિક જોડાણો અને લોકો-થી-લોકોના સંબંધો જેવા ક્ષેત્રોમાં વિસ્તૃત અને વૈવિધ્યસભર સહયોગ માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.

સતત કાર્યકાળના આધારે સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતો પ્રસ્તાવ પસાર કર્યો

June 10th, 01:50 pm

કેન્દ્રિય મંત્રીમંડળે આજે ભારતીય લોકશાહીની યાત્રામાં 10 જૂન, 2026ના દિવસને એક ઐતિહાસિક સીમાચિહ્ન તરીકે અંકિત કરતો પ્રસ્તાવ પસાર કર્યો છે, જેમાં શ્રી નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબી મુદત સુધી સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ બિરદાવવામાં આવ્યા છે. એક ચૂંટાયેલા પીએમ તરીકે 4,399 દિવસની સતત સેવાનો રેકોર્ડ સ્થાપિત કરીને, તેમણે શ્રી જવાહરલાલ નેહરુ દ્વારા રાખવામાં આવેલા અગાઉના રેકોર્ડને વટાવી દીધો છે, જેમણે 1952 થી 1964 સુધી સતત 4,398 દિવસ સેવા આપી હતી. આ પ્રસ્તાવમાં જણાવાયું છે કે આ પ્રસંગ ભારતની લોકશાહી ચેતના, જનવિશ્વાસ અને જનભાગીદારીની શક્તિના પ્રતીક તરીકે ઊભો છે, જે 'રાષ્ટ્ર પ્રથમ’ ના સંકલ્પ દ્વારા માર્ગદર્શિત નેતા પર જનતા દ્વારા વરસાવવામાં આવેલા અભૂતપૂર્વ સમર્થનને પ્રતિબિંબિત કરે છે.

પ્રધાનમંત્રીએ જાહેર સેવાને સુશાસન અને જાહેર વિશ્વાસ મેળવવાની સૌથી મોટી કસોટી તરીકે દર્શાવતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું

June 10th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે જે દર્શાવે છે કે જાહેર સેવા એ સુશાસનની સૌથી મોટી કસોટી છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે જે વ્યક્તિ સતત નમ્રતા, સમર્પણ અને ફરજ પ્રત્યે નિષ્ઠા સાથે કામ કરે છે તે જ જાહેર વિશ્વાસ મેળવે છે.

પ્રધાનમંત્રીએ સરકારના 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણ માટે સમર્પિત ગણાવ્યા

June 09th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​જણાવ્યું હતું કે સરકારના છેલ્લા 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણ માટે સમર્પિત રહ્યા છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે 140 કરોડ દેશવાસીઓના આશીર્વાદ અને રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી, યુવાનો, મહિલાઓ અને ખેડૂત ભાઈ-બહેનોને સશક્ત બનાવવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી નથી.

પ્રધાનમંત્રીએ સમાજના કલ્યાણ માટે સમર્પિત ખરેખર જ્ઞાની વ્યક્તિના ગુણો પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું

June 09th, 10:27 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સમાજના કલ્યાણ માટે સમર્પિત ખરેખર જ્ઞાની વ્યક્તિના ગુણો પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું.

ગુજરાતના સુરતમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીજીના સંબોધનનો મૂળપાઠ

June 05th, 04:30 pm

મારી વાત શરૂ કરું તે પહેલાં, થોડા દિવસ પહેલાં જ મારા અનન્ય સાથી, જેમની સાથે મેં વર્ષો સુધી કામ કર્યું અને જીવનની અંતિમ ક્ષણ સુધી જે કાર્યરત રહ્યા, એવા કનુભાઈ માવાણીની વિદાય, આદર પૂર્વક હું તેમને શ્રદ્ધાંજલિ અર્પું છું. એક સાથી ગુમાવવાનું દર્દ સ્વાભાવિક છે, પરંતુ આજે સુરતની ધરતી પર આવ્યો છું ત્યારે, તેમના પુણ્ય સ્મરણ સાથે મારી વાત આગળ વધારું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરત, ગુજરાતમાં ₹18,800 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો

June 05th, 04:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સુરત, ગુજરાતમાં કેટલાક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. એક વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ગુજરાતના લોકોનો તેમના અડગ સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી, હું પહેલીવાર સુરતની મુલાકાતે આવ્યો છું. સુરતની ધરતી પરથી હું સમગ્ર ગુજરાતની જનતાને પ્રણામ કરું છું અને અભિનંદન પાઠવું છું, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રી 5 જૂને સુરત અને દમણની મુલાકાત લેશે

June 04th, 10:03 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 જૂન, 2026ના રોજ ગુજરાત અને દમણની મુલાકાત લેશે. બપોરે આશરે 2:30 વાગ્યે, પ્રધાનમંત્રી સુરત જિલ્લાના હજીરાની મુલાકાત લેશે અને ત્યાં ચાલી રહેલી ઔદ્યોગિક કામગીરી તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે. બપોરે આશરે 4:15 વાગ્યે, પ્રધાનમંત્રી સુરતમાં આશરે ₹18,800 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે.

'મન કી બાત' માં PM મોદીએ ગરમીથી બચવા માટે ટિપ્સ શેર કરી અને નાગરિકોને હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપી

May 31st, 11:30 am

મન કી બાતમાં આજે ફરી એકવાર આપને મળીને મને અત્યંત આનંદ થઇ રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં આપણા દેશના લોકો દેશહિતમાં, સમાજહિતમાં અદભૂત કાર્યો કરી રહ્યા છે. જ્યારે તેમના વિશે સાંભળીએ છીએ તો, આપણને એક નવી પ્રેરણા મળે છે. આજે કાર્યક્રમની શરૂઆત હું રમતગમતમાં દેશની એવી સિદ્ધિ વિશે વાત કરીશ. થોડા દિવસ પહેલાં જ ઝારખંડના રાંચીમાં રાષ્ટ્રીય રમતગમત મહાસંઘની સ્પર્ધાઓ થઇ. તેમાં લગભગ આઠસો ખેલાડીઓએ ભાગ લીધો. તેઓ આખા દેશમાંથી આવ્યા હતા. આ દરમિયાન ચાર અલગ અલગ સ્પર્ધામાં ચાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યા. ગુરિંદરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપક કુમાર, આ સાથીઓએ અલગ અલગ વર્ગમાં નવા વિક્રમ સ્થાપ્યા. હું સૌથી પહેલાં તો આ ચારેય સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ લોકમાતા અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

May 31st, 11:15 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકમાતા અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ એનટીઆર ગારુને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

May 28th, 09:56 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એનટીઆર ગારુને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ શ્રી સમ્રાટ ચૌધરીને બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા

April 15th, 02:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સમ્રાટ ચૌધરીને બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ , બુદ્ધિમત્તા અને AI ના ગુણો પર ભાર મુકતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું

February 17th, 08:53 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિજ્ઞાન અને ટેકનોલોજીને સમાજ માટે ખરેખર ઉપયોગી બનાવવા માટે બુદ્ધિ, તર્ક અને નિર્ણય લેવાની ક્ષમતાના મહત્વ પર ભાર મૂક્યો. ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમામ નાગરિકોના કલ્યાણ માટે કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે શોધવું.

પ્રધાનમંત્રીએ ‘નાગરિકદેવો ભવ’ની ભાવનાથી પ્રેરિત થઈને ‘સેવા તીર્થ’ રાષ્ટ્રને સમર્પિત કર્યું

February 13th, 05:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતની જનતાની સેવા કરવાના તેમના અડગ સંકલ્પને પુનરોચ્ચારતા અને તેના માર્ગદર્શક બળ તરીકે ‘નાગરિકદેવો ભવ’ની પવિત્ર ભાવનાને ઉજાગર કરતા સેવા તીર્થ રાષ્ટ્રને સમર્પિત કર્યું.

પ્રધાનમંત્રીએ મહાન સંત શ્રી ગુરુ રવિદાસ મહારાજજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

February 01st, 09:15 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન સંત શ્રી ગુરુ રવિદાસ મહારાજજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમના વિચારોમાં ન્યાય અને કરુણાની ભાવના સર્વોચ્ચ હતી, જે જન કલ્યાણ માટેની આપણી યોજનાઓનો પાયો બનાવે છે. તેમણે પ્રગટાવેલો સામાજિક સંવાદિતા અને સદ્ભાવનાનો દીવો હંમેશા દેશવાસીઓના માર્ગને પ્રકાશિત કરતો રહેશે, શ્રી મોદીએ કહ્યું.

કેરળમાં આર્ય વૈદ્ય શાળા ચેરિટેબલ હોસ્પિટલના શતાબ્દી સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 28th, 02:39 pm

આ ગૌરવપૂર્ણ પ્રસંગે આપ સૌ સાથે જોડાવાનો મને ખૂબ આનંદ છે. આર્ય વૈદ્ય શાળાએ આયુર્વેદના સંરક્ષણ, રક્ષણ અને પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેની 125 વર્ષની સફર દરમિયાન, આ સંસ્થાએ આયુર્વેદને એક શક્તિશાળી દવા પ્રણાલી તરીકે સ્થાપિત કર્યું છે. આ પ્રસંગે, હું આર્ય વૈદ્ય શાળાના સ્થાપક, વૈદ્ય રત્નમ પી.એસ. વારિયરના યોગદાનને યાદ કરું છું. આયુર્વેદ પ્રત્યેનો તેમનો અભિગમ અને જાહેર કલ્યાણ પ્રત્યેનું તેમનું સમર્પણ આપણને પ્રેરણા આપે છે.