નવી દિલ્હીમાં રિપબ્લિક સમિટ 2026માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 22nd, 10:24 pm

હું રિપબ્લિક ટીવી નેટવર્કના તમામ દર્શકોને મારા અભિનંદન પાઠવું છું, જે હવે ઘણી ભાષાઓમાં પ્રસારિત થાય છે. આ સમિટમાં ભાગ લેવા આવેલા તમામ સાથીઓનું પણ હું સ્વાગત કરું છું. 24 કલાક ચાલતી ન્યૂઝ ચેનલોમાં બ્રેકિંગ ન્યૂઝનું ઘણું મહત્વ હોય છે. અને આજકાલ જો તમે દુનિયામાં ગમે ત્યાં જુઓ તો આખી દુનિયા બ્રેકિંગ ન્યૂઝ મોડમાં હોય તેવું લાગે છે. આટલી ધમાલ વચ્ચે તમે આ સમિટનું આયોજન કરી રહ્યા છો અને તેમાં ભાગ લઈ રહ્યા છો, અને તેથી તમે વિશેષ અભિનંદનને પાત્ર છો. આ વખતે, તમારી ચર્ચાની થીમ પણ એટલી જ મહત્વપૂર્ણ છે: ગ્રેટ પાવર ઇન્ડિયા: નેશન ફર્સ્ટ (મહાન શક્તિ ભારત: રાષ્ટ્ર પ્રથમ).

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રિપબ્લિક સમિટ 2026 ને સંબોધિત કરી

June 22nd, 08:00 pm

સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે “રાષ્ટ્ર પ્રથમ” ની ભાવના છેલ્લા એક દાયકામાં ભારતની સિદ્ધિઓ અને એક વિશ્વસનીય વૈશ્વિક શક્તિ તરીકે તેના ઉદય પાછળનો માર્ગદર્શક સિદ્ધાંત રહ્યો છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારત એક લાંબી ઐતિહાસિક સ્મૃતિ અને પ્રગતિ તેમજ પ્રતિકૂળતા બંનેમાંથી પાઠ શીખવાની અદભૂત ક્ષમતા ધરાવતી સભ્યતા છે. તેમણે ટિપ્પણી કરી હતી કે આજે જે નિર્ણયો અને કાર્યો કરવામાં આવી રહ્યા છે તે આગામી સદીઓમાં દેશના ભવિષ્યનો પાયો નાખી રહ્યા છે. “દેશ માત્ર વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંના એક તરીકે જ નહીં પરંતુ એક વિશ્વસનીય અને ભરોસાપાત્ર ભાગીદાર તરીકે પણ ઉભરી આવ્યો છે. ભારતનો ઉદય વિશ્વાસ, સ્થિરતા અને વ્યાપક વૈશ્વિક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર આધારિત છે”, તેમ તેમણે નોંધ્યું હતું.

પ્રધાનમંત્રી 23 જાન્યુઆરીએ કેરળની મુલાકાત લેશે

January 22nd, 02:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જાન્યુઆરી, 2026ના રોજ કેરળની મુલાકાત લેશે. સવારે લગભગ 10:45 વાગ્યે, પ્રધાનમંત્રી તિરુવનંતપુરમમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને લીલી ઝંડી આપશે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધન પણ કરશે.

રોજગાર મેળા હેઠળ 51,000થી વધુ નિમણૂક પત્રોના વિતરણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 12th, 11:30 am

કેન્દ્ર સરકારમાં યુવાનોને કાયમી નોકરીઓ પૂરી પાડવાનું અમારું અભિયાન અવિરતપણે ચાલુ છે. અને અમારી ઓળખ પણ છે, કાપલી વિના, ખર્ચ વિના. આજે, 51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. આવા રોજગાર મેળાઓ દ્વારા, અત્યાર સુધીમાં લાખો યુવાનોને ભારત સરકારમાં કાયમી નોકરીઓ મળી છે. હવે આ યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. આજે પણ, તમારામાંથી ઘણાએ ભારતીય રેલવેમાં તમારી જવાબદારીઓ શરૂ કરી દીધી છે, ઘણા સાથીઓ હવે દેશની સુરક્ષાના રક્ષક બનશે, ટપાલ વિભાગમાં નિયુક્ત સાથીઓ સરકારની સુવિધાઓને દરેક ગામ સુધી લઈ જશે, કેટલાક સાથીઓ હેલ્થ ફોર ઓલ મિશનના સૈનિક હશે, ઘણા યુવાનો નાણાકીય સમાવેશના એન્જિનને વધુ વેગ આપશે અને ઘણા સાથીઓ ભારતના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપશે. તમારા વિભાગો અલગ અલગ છે, પરંતુ ધ્યેય એક છે અને તે ધ્યેય શું છે, આપણે વારંવાર યાદ રાખવું પડશે કે, એક જ ધ્યેય છે, ગમે તે વિભાગ હોય, ગમે તે કાર્ય હોય, ગમે તે પદ હોય, ગમે તે ક્ષેત્ર હોય, એક જ ધ્યેય છે - રાષ્ટ્રની સેવા. સૂત્ર એક છે - નાગરિક પહેલા. દેશના લોકોની સેવા કરવા માટે તમારી પાસે ખૂબ મોટું પ્લેટફોર્મ છે. જીવનના આ મહત્વપૂર્ણ તબક્કામાં આટલી મોટી સફળતા માટે હું આપ સૌ યુવાનોને અભિનંદન આપું છું. આપની આ નવી સફર માટે હું આપ સૌને શુભકામનાઓ પાઠવું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધિત કર્યો

July 12th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળાને સંબોધિત કર્યો અને વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000 થી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. સભાને સંબોધતા તેમણે ભાર મૂક્યો હતો કે, આજે ભારત સરકારના વિવિધ વિભાગોમાં આ યુવાનો માટે નવી જવાબદારીઓની શરૂઆતનો દિવસ છે. તેમણે વિવિધ વિભાગોમાં જોડાતા યુવાનોને અભિનંદન આપ્યા હતા અને ભાર મૂક્યો હતો કે તેમની વિવિધ ભૂમિકાઓ હોવા છતાં, તેમનું સામાન્ય લક્ષ્ય નાગરિક પ્રથમના સિદ્ધાંત પર આધારિત રાષ્ટ્રની સેવા કરવાનું છે.

પ્રધાનમંત્રીએ કેમ્બ્રિજ લેઆઉટ, બેંગલુરુ ખાતેની ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસની પ્રશંસા કરી

August 18th, 01:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેમ્બ્રિજ લેઆઉટ, બેંગલુરુ ખાતે ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસને આપણા રાષ્ટ્રની નવીનતા અને પ્રગતિનું પ્રમાણપત્ર ગણાવ્યું છે.