દિલ્હીના યશોભૂમિ ખાતે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2025માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 04th, 10:45 am
મારા કેબિનેટ સાથીદાર જ્યોતિરાદિત્ય સિંધિયાજી, રાજ્યમંત્રી ચંદ્રશેખર પેમ્માસાનીજી, વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ, વિદેશથી આવેલા અમારા મહેમાનો, ટેલિકોમ ક્ષેત્રના બધા મહાનુભાવો, અહીં હાજર વિવિધ કોલેજોના મારા યુવા સાથીદારો, મહિલાઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કૌશલ્ય દિક્ષાંત સમારોહને સંબોધિત કરતી વખતે ₹62,000 કરોડથી વધુ મૂલ્યના યુવા-કેન્દ્રિત પહેલો શરૂ કરી
October 04th, 10:29 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત કૌશલ્ય દિક્ષાંત સમારોહમાં ₹62,000 કરોડથી વધુની વિવિધ યુવા-કેન્દ્રિત પહેલો શરૂ કરી હતી. દેશભરના ITIના લાખો વિદ્યાર્થીઓ તેમજ બિહારના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે થોડા વર્ષો પહેલા સરકારે ITI વિદ્યાર્થીઓ માટે મોટા પાયે દીક્ષાંત સમારોહ યોજવાની નવી પરંપરા શરૂ કરી હતી. તેમણે કહ્યું કે આજે તે પરંપરામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે.પ્રધાનમંત્રી 4 ઓક્ટોબરના રોજ 62,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ યુવા-કેન્દ્રિત પહેલોનું અનાવરણ કરશે
October 03rd, 03:54 pm
એક ઐતિહાસિક યુવા વિકાસ પહેલમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ₹62,000 કરોડથી વધુની વિવિધ યુવા-કેન્દ્રિત પહેલોનું અનાવરણ કરશે, જે દેશભરમાં શિક્ષણ, કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતાને નિર્ણાયક પ્રોત્સાહન આપશે. આ કાર્યક્રમમાં કૌશલ્ય દિક્ષાંત સમારોહનો પણ સમાવેશ થશે, જે પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ રાષ્ટ્રીય કૌશલ્ય દિક્ષાંત સમારોહનું ચોથું સંસ્કરણ છે, જ્યાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના 46 અખિલ ભારતીય ટોચના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.