પ્રધાનમંત્રીએ પ્રખ્યાત ફોટોગ્રાફર શ્રી રઘુ રાયના નિધન પર શોક વ્યક્ત કર્યો

April 26th, 08:34 pm

પ્રધાનમંત્રીએ પ્રખ્યાત ફોટોગ્રાફર રઘુ રાયના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને તેમને એક સર્જનાત્મક દિગ્ગજ ગણાવ્યા છે જેમણે પોતાના લેન્સ દ્વારા ભારતની જીવંતતાને અમર બનાવી દીધી હતી. શ્રી મોદીએ નોંધ્યું હતું કે શ્રી રઘુ રાયનું કાર્ય અસાધારણ સંવેદનશીલતા, ઊંડાણ અને વિવિધતા દ્વારા ચિહ્નિત હતું, જે સમગ્ર ભારતમાં જીવનના અનેક પાસાઓને કેદ કરતું હતું અને તેમને લોકોની નજીક લાવતું હતું. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે ફોટોગ્રાફી અને સંસ્કૃતિની દુનિયામાં તેમનું યોગદાન અપ્રતિમ છે, અને તેમનું નિધન કલા જગત માટે ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ છે.