PM chairs CCS Meeting to review the situation and mitigating measures in the context of ongoing West Asia Conflict

March 22nd, 09:06 pm

Amid the West Asia conflict, PM Modi chaired a meeting of the Cabinet Committee on Security to review the situation and ongoing and proposed mitigating measures. A detailed assessment of the availability of critical needs of the common man, including food, energy and fuel security, was made. The PM instructed that all arms of the government should work together to ensure the least inconvenience to citizens.

ગુજરાતના અમદાવાદમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 25th, 06:42 pm

તમે બધાએ આજે ​​એક વાતાવરણ બનાવ્યું છે. ઘણી વાર મને લાગે છે કે આ લાખો લોકોનો પ્રેમ અને આશીર્વાદ મને મળે છે, હું તમારા બધાનો ગમે તેટલો આભાર માનું, તેટલો ઓછો છે. જુઓ એક નાનો નરેન્દ્ર ત્યાં ઉભો થયો છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ, ગુજરાત ખાતે 5,400 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના ઉદ્ઘાટન, શિલાન્યાસ અને સમર્પિત કર્યા

August 25th, 06:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાતના અમદાવાદમાં 5,400 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યું. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આખો દેશ હાલમાં ગણેશોત્સવના ઉત્સાહમાં ડૂબેલો છે. તેમણે ભાર મૂક્યો હતો કે ગણપતિ બાપ્પાના આશીર્વાદથી, આજે ગુજરાતની પ્રગતિ સાથે જોડાયેલા અનેક વિકાસ પ્રોજેક્ટ્સની શુભ શરૂઆત થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે તેમને લોકોના ચરણોમાં અનેક પ્રોજેક્ટ સમર્પિત કરવાનો સૌભાગ્ય મળ્યો છે અને આ વિકાસ પહેલ માટે તમામ નાગરિકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતાં.

પ્રધાનમંત્રીએ સાઉદી અરેબિયાના મહામહિમ ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી અને ભારત-સાઉદી અરેબિયા વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની સહ-અધ્યક્ષતા કરી

April 23rd, 02:20 am

પ્રધાનમંત્રી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી મહામહિમ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સત્તાવાર વાટાઘાટો કરી અને ભારત-સાઉદી અરેબિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલ (SPC) ની બીજી બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. એચઆરએચ ક્રાઉન પ્રિન્સે પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાની સખત નિંદા કરી અને જીવ ગુમાવનારા નિર્દોષ લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ આતંકવાદ સામે સંપૂર્ણ તાકાતથી લડવાનો સંકલ્પ કર્યો હતો.

હરિયાણાના યમુના નગરમાં વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન/શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 14th, 12:00 pm

હરિયાણાના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ, મનોહર લાલજી, રાવ ઈન્દ્રજીત સિંહજી, કૃષ્ણ પાલજી, હરિયાણા સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો. હરિયાણા કે મેરે ભાઈ-બેહણા ને મોદી કી રામ રામ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરિયાણામાં યમુના નગરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા

April 14th, 11:54 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણામાં યમુના નગરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. હરિયાણાની જનતાને શુભેચ્છા પાઠવતા તેમણે હરિયાણાની પવિત્ર ભૂમિને નમન કરતા તેને મા સરસ્વતીનું ઉદ્દગમ સ્થાન, મંત્ર દેવીનું નિવાસસ્થાન પંચમુખી હનુમાનજીનું સ્થાન અને પવિત્ર કપાલમોચન સાહિબના આશીર્વાદની ભૂમિ તરીકે સ્વીકારી હતી. તેમણે જણાવ્યું હતું કે, હરિયાણા સંસ્કૃતિ, ભક્તિ અને સમર્પણનો સંગમ છે. તેમણે બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ પર તમામ નાગરિકોને હૃદયપૂર્વકની શુભેચ્છાપાઠવી હતી, બાબાસાહેબના વિઝન અને પ્રેરણાને ઉજાગર કરી હતી, જે ભારતની વિકાસ તરફની સફરને સતત માર્ગદર્શન આપતા રહે છે.

મધ્યપ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 24th, 10:35 am

સૌ પ્રથમ, હું અહીં આવવામાં મોડું થવા બદલ આપ સૌની માફી માંગુ છું. વિલંબ એટલા માટે થયો કારણ કે ગઈકાલે જ્યારે હું અહીં પહોંચ્યો ત્યારે મારા મનમાં એક વાત આવી કે આજે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા હતી અને તેમનો સમય અને રાજભવન છોડવાનો મારો સમય એકબીજા સાથે ટકરાઈ રહ્યો હતો. અને તેના કારણે, એવી શક્યતા હતી કે જો સુરક્ષા કારણોસર રસ્તાઓ બંધ કરવામાં આવે, તો બાળકોને પરીક્ષા આપવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અને આ મુશ્કેલી ટાળવા માટે, મેં વિચાર્યું કે બધા બાળકો તેમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા પછી જ હું રાજભવન છોડીશ. આ કારણે, હું 15-20 મિનિટ મોડો નીકળ્યો અને તેના કારણે આપ સૌને થયેલી અસુવિધા માટે, હું ફરી એકવાર માફી માંગુ છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદઘાટન કર્યું

February 24th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ (જીઆઇએસ) 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે આ કાર્યક્રમમાં પહોંચવામાં વિલંબ થવા બદલ માફી માંગી હતી, કારણ કે 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાઓ હતી અને આ કાર્યક્રમમાં તેમના સુરક્ષાના પગલાંથી વિદ્યાર્થીઓને અસુવિધા થઈ શકે તેમ હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, રાજા ભોજની ભૂમિમાં રોકાણકારો અને વ્યાવસાયિક આગેવાનોનું સ્વાગત કરવું એ તેમના માટે ગર્વની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે, આજનો કાર્યક્રમ વિકસિત મધ્યપ્રદેશ તરીકે મહત્ત્વપૂર્ણ છે. વિકસિત મધ્યપ્રદેશ વિકસિત ભારત તરફની યાત્રામાં જરૂરી છે. તેમણે શિખર સંમેલનનાં અદભૂત આયોજન માટે મધ્યપ્રદેશની સરકારને અભિનંદન આપ્યાં હતાં.

ભુવનેશ્વરમાં 'ઉત્કર્ષ ઓડિશા' - મેક ઇન ઓડિશા કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 28th, 11:30 am

આ કાર્યક્રમમાં ઓડિશાના રાજ્યપાલ શ્રી હરિ બાબુ, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી મંત્રીઓ, ઓડિશા સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, ઉદ્યોગ અને વેપાર જગતના અગ્રણી ઉદ્યોગસાહસિકો, દેશ અને દુનિયાના રોકાણકારો, અને ઓડિશાના મારા પ્રિય ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વરમાં 'ઉત્કર્ષ ઓડિશા' – મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદઘાટન કર્યું

January 28th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાનાં ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા – મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025 અને મેક ઇન ઓડિશા પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. અહિં જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી, 2025માં ઓડિશાની આ તેમની બીજી મુલાકાત હતી. જેમાં પ્રવાસી ભારતીય દિવસ 2025નાં કાર્યક્રમનું ઉદઘાટન કરવા માટે તેમની મુલાકાતને યાદ કરવામાં આવી હતી. ઓડિશામાં આ અત્યાર સુધીની સૌથી મોટી બિઝનેસ સમિટ હોવાનું નોંધતા શ્રી મોદીએ કહ્યું હતું કે, મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025માં આશરે 5થી 6 ગણા વધારે રોકાણકારો સહભાગી થયા છે. તેમણે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ ઓડિશાનાં લોકો અને સરકારને અભિનંદન પણ આપ્યાં હતાં.

Congress wants to loot your property and distribute it among its favorite vote bank: PM in Betul

April 24th, 03:00 pm

Prime Minister Narendra Modi addressed massive public gatherings in Madhya Pradesh’s Betul, reaffirming the strong support of the people for the BJP government and emphasizing the importance of stable governance for development.

Congress wants to snatch your property and impose inheritance tax: PM Modi in Sagar

April 24th, 03:00 pm

Prime Minister Narendra Modi addressed a massive public gathering today in Sagar, Madhya Pradesh, reaffirming the strong support of the people for the BJP government and emphasizing the importance of stable governance for development.

PM Modi addresses public meetings in Sagar and Betul, Madhya Pradesh

April 24th, 02:50 pm

Prime Minister Narendra Modi addressed massive public gatherings in Madhya Pradesh’s Sagar and Betul, reaffirming the strong support of the people for the BJP government and emphasizing the importance of stable governance for development.

ગોવા ખાતે ઈન્ડિયા એનર્જી વીક 2024ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 06th, 12:00 pm

ઈન્ડિયા એનર્જી વીકની આ બીજી આવૃત્તિમાં, હું તમને બધાને શુભેચ્છા પાઠવું છું. અમારા માટે ખૂબ જ આનંદની વાત છે કે ભારત ઉર્જા સપ્તાહના આ કાર્યક્રમનું આયોજન ગોવામાં કરવામાં આવી રહ્યું છે જે હંમેશા ઊર્જાથી ભરપૂર હોય છે. ગોવા તેના આતિથ્ય માટે જાણીતું છે. દુનિયાભરમાંથી અહીં આવતા પ્રવાસીઓ અહીંની સુંદરતા અને સંસ્કૃતિથી પ્રભાવિત થાય છે. આજે ગોવા પણ એક એવું રાજ્ય છે જે વિકાસના નવા દાખલાઓને સ્પર્શી રહ્યું છે. તેથી આજે જ્યારે આપણે પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા વિશે વાત કરવા માટે સાથે આવ્યા છીએ…આપણે ટકાઉ ભવિષ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ…તો ગોવા આ માટે ખૂબ જ યોગ્ય સ્થળ છે. મને વિશ્વાસ છે કે આ સમિટમાં આવનારા તમામ વિદેશી મહેમાનો તેમની સાથે ગોવાની જીવનભરની યાદો લઈને જશે.

પ્રધાનમંત્રીએ ભારત ઊર્જા સપ્તાહ 2024નું ઉદઘાટન કર્યું

February 06th, 11:18 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં ભારત ઊર્જા સપ્તાહ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતનું ઊર્જા સપ્તાહ 2024 ભારતનું સૌથી મોટું અને એકમાત્ર સર્વસમાવેશક ઊર્જા પ્રદર્શન અને સંમેલન છે, જે ભારતનાં ઊર્જા પરિવર્તનનાં લક્ષ્યાંકોને ઉત્પ્રેરિત કરવા ઊર્જા મૂલ્યની સંપૂર્ણ સાંકળને એકમંચ પર લાવે છે. પ્રધાનમંત્રીએ વૈશ્વિક ઓઇલ અને ગેસનાં સીઇઓ તથા નિષ્ણાતો સાથે રાઉન્ડટેબલનું પણ આયોજન કર્યું હતું.

ઓડિશાના સંબલપુરમાં પ્રધાનમંત્રીએ વિવિધ પરિયોજનાઓના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમ વખતે આપેલા સંબોધનનો મૂળપાઠ

February 03rd, 02:10 pm

આજનો દિવસ ઓડિશાની વિકાસ યાત્રા માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. હું ઓડિશાના લોકોને મળેલી લગભગ 70 હજાર કરોડ રૂપિયાના મૂલ્યની આ વિકાસ પરિયોજનાઓ બદલ સૌને અભિનંદન પાઠવું છું. આમાં શિક્ષણ, રેલ, માર્ગ, વીજળી, પેટ્રોલિયમ સાથે સંબંધિત અનેક પરિયોજનાઓ સામેલ છે. ગરીબો, શ્રમિકો, કર્મચારીઓ, દુકાનદારો, વેપારીઓ, ખેડૂતો, એટલે કે ઓડિશાના સમાજના તમામ વર્ગોને આ પરિયોજનાઓનો લાભ મળવાનો છે. આ પરિયોજનાઓ ઓડિશામાં સુવિધાઓ લાવવાની સાથે સાથે, અહીંના યુવાનો માટે નવી રોજગારીની હજારો તકો પણ લાવવા જઇ રહી છે.

પ્રધાનમંત્રીએ ઓડિશાના સંબલપુરમાં રૂ. 68,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્‌ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો

February 03rd, 02:07 pm

પ્રધાનમંત્રીએ ભારતના ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી શ્રી લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવાના સરકારના નિર્ણયની જાહેરાત કરતા આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ ભારતના નાયબ પ્રધાનમંત્રી, ગૃહ મંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે શ્રી અડવાણીનાં અપ્રતિમ યોગદાન તેમજ સંસદના પ્રતિષ્ઠિત અને સંનિષ્ઠ સભ્ય તરીકેના દાયકાઓના અનુભવની પ્રશંસા કરી હતી. “અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવા એ એક પ્રતીક છે કે રાષ્ટ્ર તેમની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરનારાઓને ક્યારેય ભૂલી જતું નથી”, એમ પીએમ મોદીએ પ્રતિપાદિત કર્યું. પ્રધાનમંત્રીએ શ્રી એલ. કે. અડવાણી દ્વારા તેમના પર દર્શાવવામાં આવેલા પ્રેમ, આશીર્વાદ અને માર્ગદર્શન માટે તેમના સૌભાગ્યનો આભાર માન્યો હતો અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી અને તમામ નાગરિકો વતી તેમને અભિનંદન પાઠવ્યા હતા.

મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં લેફ્ટનન્ટ શ્રી અરવિંદભાઈ મફતલાલની જન્મ શતાબ્દીની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

October 27th, 02:46 pm

આજે મને ફરીથી ચિત્રકૂટની આ પાવન પૂણ્યભૂમિની મુલાકાત લેવાની તક મળી છે. આ તે અલૌકિક વિસ્તાર છે, જેના વિશે આપણા સંતોએ કહ્યું છે – ચિત્રકૂટ સબ દિન બસત, પ્રભુ સિય લખન સમેત! અર્થાત્‌ ચિત્રકૂટમાં પ્રભુ શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજી સાથે નિત્ય નિવાસ કરે છે. અહીં આવતા પહેલા, હમણાં મને શ્રી રઘુબીર મંદિર અને શ્રી રામ જાનકી મંદિરના દર્શન કરવાનો લહાવો મળ્યો હતો અને હૅલિકોપ્ટરમાંથી જ મેં કામદગિરિ પર્વતને પણ પ્રણામ કર્યા હતા. હું આદરણીય રણછોડદાસજી અને અરવિંદ ભાઈની સમાધિ પર પુષ્પ અર્પણ કરવા ગયો હતો. પ્રભુ શ્રીરામ જાનકીના દર્શન, સંતોનું માર્ગદર્શન અને સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા વેદમંત્રોનું આ અદ્‌ભૂત ગાન, આ અનુભવને, આ અનુભૂતિને વાણીથી વ્યક્ત કરવો મુશ્કેલ છે. માનવ સેવાના મહાન યજ્ઞનો ભાગ બનાવવા બદલ આજે, તમામ પીડિત, શોષિત, ગરીબ અને આદિવાસીઓ વતી, હું શ્રી સદ્‌ગુરુ સેવા સંઘનો આભાર વ્યક્ત કરું છું. મને વિશ્વાસ છે કે જાનકીકુંડ ચિકિત્સાલયની નવી પાંખ જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે તે લાખો દર્દીઓને નવું જીવન આપશે. આવનારા સમયમાં, સદ્‌ગુરુ મેડિસિટીમાં ગરીબોની સેવાના આ અનુષ્ઠાનને નવું વિસ્તરણ મળશે. આજે આ પ્રસંગે ભારત સરકારે અરવિંદભાઈની સ્મૃતિમાં એક ખાસ ટિકિટ પણ બહાર પાડી છે. આ ક્ષણ આપણા બધા માટે ગર્વની ક્ષણ છે, સંતોષની ક્ષણ છે, આ માટે હું તમને બધાને અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રી શ્રીએ મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં સ્વ. શ્રી અરવિંદ ભાઈ મફતલાલના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીને સંબોધન કર્યું

October 27th, 02:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં સ્વ. શ્રી અરવિંદ ભાઈ મફતલાલના શતાબ્દી જન્મ વર્ષની ઉજવણીના પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. શ્રી સદ્ગુરુ સેવા સંઘ ટ્રસ્ટની સ્થાપના પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજે 1968માં કરી હતી. શ્રી અરવિંદભાઈ મફતલાલ પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજથી પ્રેરિત થયા હતા અને ટ્રસ્ટની સ્થાપનામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. શ્રી અરવિંદભાઈ મફતલાલ આઝાદી પછીના ભારતના અગ્રણી ઉદ્યોગસાહસિકોમાંના એક હતા, જેમણે દેશની વિકાસગાથામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

મધ્યપ્રદેશના બીના ખાતે વિકાસ કાર્યોના શિલાન્યાસ સમારોહમાં પીએમના સંબોધનનો મૂળપાઠ

September 14th, 12:15 pm

બુંદેલખંડની આ ભૂમિ બહાદુરોની ભૂમિ છે, શૂરવીરોની ભૂમિ છે. આ જમીન બીના અને બેતવા બંનેના આશીર્વાદ ધરાવે છે. અને એક મહિનામાં બીજી વખત મને સાગરમાં આવવાનો અને તમારા બધાના દર્શનનો લ્હાવો મળ્યો છે. અને હું શિવરાજજીની સરકારને પણ અભિનંદન આપું છું અને આભાર માનું છું કે મને તમારા બધાની વચ્ચે જવાની અને તમારા બધાના દર્શન કરવાની તક આપવા માટે. છેલ્લી વાર હું સંત રવિદાસજીના તે ભવ્ય સ્મારકના ભૂમિપૂજન પ્રસંગે તમારી વચ્ચે આવ્યો હતો. આજે મને ઘણા પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરવાની તક મળી છે જે મધ્યપ્રદેશના વિકાસને નવી ગતિ આપશે. આ પ્રોજેક્ટ્સ આ વિસ્તારના ઔદ્યોગિક વિકાસને નવી ઊર્જા આપશે. કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટ્સ પર 50 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવા જઈ રહી છે. શું તમે કલ્પના કરી શકો છો, પચાસ હજાર કરોડ શું છે? આપણા દેશના ઘણા રાજ્યોનું આખા વર્ષનું બજેટ એટલુ નથી જેટલું ભારત સરકાર આજે એક કાર્યક્રમ માટે ખર્ચે છે. આ દર્શાવે છે કે મધ્યપ્રદેશ માટે અમારા સંકલ્પો કેટલા મોટા છે. આ તમામ પ્રોજેક્ટ આવનારા સમયમાં મધ્યપ્રદેશના હજારો યુવાનોને રોજગાર આપશે. આ પ્રોજેક્ટ્સ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના સપના સાકાર કરવા જઈ રહ્યા છે. બીના રિફાઈનરીના વિસ્તરણ અને અનેક નવી સુવિધાઓનો શિલાન્યાસ કરવા બદલ હું મધ્યપ્રદેશના લાખો લોકોને અભિનંદન પાઠવું છું.