ગુવાહાટી, આસામમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 13th, 05:30 pm

મુર મરોમોર ગુવાહાટી બાશી રાઈઝ, આપુનાલોકક મોઈ મુર, આંતોરિક નમોશ્કાર જોનાઈશુ। આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી સર્બાનંદ સોનોવાલજી, ઉપસ્થિત રાજ્ય સરકારના તમામ મંત્રીગણ, જનપ્રતિનિધિગણ, દેશભરમાંથી ટેકનોલોજીના માધ્યમથી, આ કાર્યક્રમમાં જોડાયેલા આપણા તમામ અન્નદાતા સાથી, ટી-ગાર્ડનમાં કામ કરતા મારા ભાઈ-બહેન, અને હું જોઈ રહ્યો છું કે ઘણા સિનિયર આપણા તમામ મુખ્યમંત્રીજી પણ આજે આપણી સાથે આ કાર્યક્રમમાં દેશના ખૂણે-ખૂણેથી જોડાયેલા છે, મારા સૌને નમસ્કાર.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુવાહાટી, આસામમાં ₹1,94,800 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો; દેશભરના કરોડો ખેડૂતોને ₹18,000 કરોડથી વધુની PM કિસાન સન્માન નિધિ જાહેર

March 13th, 05:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુવાહાટી, આસામમાં આશરે ₹1,94,800 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રીએ ગુવાહાટીમાં એક ભવ્ય જનસભાને સંબોધિત કરી અને શહેરના લોકોને હાર્દિક અભિવાદન પાઠવ્યું. તેમણે દેશભરમાંથી જોડાયેલા ખેડૂતો તેમજ ચાના બગીચાઓમાં કામ કરતા ભાઈઓ અને બહેનોનું પણ અભિવાદન કર્યું. પ્રધાનમંત્રીએ નવરાત્રિની પૂર્વ સંધ્યાએ મા કામાખ્યાની પવિત્ર ભૂમિ પર હોવા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી. મને નવરાત્રિ શરૂ થાય તે પહેલાં મા કામાખ્યાની આ પવિત્ર ભૂમિ પર તમારા દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું છે, શ્રી મોદીએ કહ્યું.

નેસેટમાં પ્રધાનમંત્રીનું સંબોધન

February 25th, 08:20 pm

આ પ્રતિષ્ઠિત ગૃહ સમક્ષ ઊભા રહેવું મારા માટે એક વિશેષાધિકાર અને સન્માનની વાત છે. હું ભારતના પ્રધાનમંત્રી તરીકે અને એક પ્રાચીન સભ્યતાના પ્રતિનિધિ તરીકે બીજી પ્રાચીન સભ્યતાને સંબોધિત કરવા માટે અહીં ઉપસ્થિત થયો છું. હું મારી સાથે 1.4 બિલિયન ભારતીયોની શુભેચ્છાઓ અને મિત્રતા, આદર અને ભાગીદારીનો સંદેશ લાવ્યો છું.

પ્રધાનમંત્રીએ ઇઝરાયેલની સંસદ - નેસેટને સંબોધિત કરી

February 25th, 08:00 pm

નેસેટ ખાતે તેમના આગમન પર, પ્રધાનમંત્રીનું નેસેટના સ્પીકર, મહામહિમ અમીર ઓહાના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ઔપચારિક સન્માન આપવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીના સંબોધન પહેલા ઇઝરાયેલના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી બેન્જામિન નેતન્યાહુ; વિરોધ પક્ષના નેતા, મહામહિમ શ્રી યાયર લેપિડ; અને સ્પીકર ઓહાનાએ પૂર્ણ સત્રમાં વક્તવ્ય આપ્યું હતું, જેમાં ભારત-ઇઝરાયેલ સંબંધો માટે મજબૂત દ્વિપક્ષીય સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું હતું.

નવી દિલ્હીમાં પોંગલ ઉજવણીમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 14th, 11:00 am

આજે પોંગલ એક વૈશ્વિક તહેવાર બની ગયો છે. તમિલ સમુદાય અને તમિલ સંસ્કૃતિને પ્રેમ કરનારા લોકો તેને સમગ્ર વિશ્વમાં ઉત્સાહથી ઉજવે છે અને હું તેમાંથી એક છું. તમારા બધા સાથે આ ખાસ તહેવાર ઉજવવાનો લહાવો મળ્યો છે. પોંગલ આપણા તમિલ જીવનમાં એક આનંદદાયક અનુભવ છે. તે આપણા ખેડૂતો, પૃથ્વી અને સૂર્યની મહેનત માટે કૃતજ્ઞતાનું પ્રતિનિધિત્વ કરે છે. તે આપણને પ્રકૃતિ, પરિવાર અને સમાજ વચ્ચે સંતુલનનો માર્ગ પણ બતાવે છે. લોહરી, મકરસંક્રાંતિ, માઘ બિહુ અને અન્ય તહેવારો દેશના વિવિધ ભાગોમાં પણ ઉજવવામાં આવી રહ્યા છે. હું ભારત અને વિશ્વભરના મારા બધા તમિલ ભાઈઓ અને બહેનોને પોંગલ અને બધા તહેવારો માટે હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં પોંગલ સમારંભને સંબોધિત કર્યો

January 14th, 10:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીમાં પોંગલ ઉજવણીને સંબોધિત કરી હતી. તમિલમાં શુભેચ્છા પાઠવતા શ્રી મોદીએ કહ્યું, આજે પોંગલ એક વૈશ્વિક તહેવાર બની ગયો છે, જે તમિલ સમુદાય અને વિશ્વભરના તમિલ સંસ્કૃતિને અપનાવનારાઓ દ્વારા ઉત્સાહથી ઉજવવામાં આવે છે અને તેઓ પણ તેમાંથી એક છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ખાસ તહેવાર બધા સાથે ઉજવવાનો લહાવો મળ્યો. તમિલ જીવનમાં, પોંગલ એક આનંદદાયક અનુભવ છે જે ખેડૂતો, પૃથ્વી અને સૂર્યની મહેનત પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને પ્રકૃતિ, પરિવાર અને સમાજમાં સંતુલન તરફ પણ માર્ગદર્શન આપે છે. શ્રી મોદીએ નોંધ્યું કે આ સમયે લોહરી, મકરસંક્રાંતિ, માઘ બિહુ અને અન્ય તહેવારો પણ દેશના વિવિધ ભાગોમાં ઉજવવામાં આવી રહ્યા છે. તેમણે ભારત અને વિશ્વભરના તમામ તમિલ ભાઈઓ અને બહેનોને પોંગલની હાર્દિક શુભેચ્છાઓ અને બધા તહેવારો માટે શુભેચ્છાઓ પાઠવી છે.

નવી દિલ્હી સ્થિત ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ખાતે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાના ઉદ્ઘાટન અને પ્રોજેક્ટ્સના શિલાન્યાસ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 11th, 12:30 pm

મંચ પર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણજી, રાજીવ રંજન સિંહજી, શ્રી ભગીરથ ચૌધરીજી, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય મહાનુભાવો અને દેશભરના મારા બધા ખેડૂત ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્રમાં રૂ. 35440 કરોડના ખર્ચે બે મુખ્ય યોજનાઓ શરૂ કરી

October 11th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ખાતે એક ખાસ કૃષિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જાહેર કાર્યક્રમમાં ભાગ લેતા પહેલા પ્રધાનમંત્રીએ ખેડૂતો સાથે પણ વાતચીત કરી હતી.

ભારત ગ્રામીણ મહોત્સવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 04th, 11:15 am

નાણાં મંત્રી નિર્મલા સીતારમણજી, નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીજી, અહીં ઉપસ્થિત નાબાર્ડના વરિષ્ઠ વ્યવસ્થાપનના આદરણીય સભ્યો, સ્વસહાય જૂથો, સહકારી બેંકો, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (એફપીઓ)ના સભ્યો, અન્ય તમામ વિશિષ્ટ અતિથિઓ, દેવીઓ અને સજ્જનો,

PM Modi inaugurates the Grameen Bharat Mahotsav 2025

January 04th, 10:59 am

PM Modi inaugurated Grameen Bharat Mahotsav in Delhi. He highlighted the launch of campaigns like the Swamitva Yojana, through which people in villages are receiving property papers. He remarked that over the past 10 years, several policies have been implemented to promote MSMEs and also mentioned the significant contribution of cooperatives in transforming the rural landscape.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'જલ સંચય જન ભાગીદારી' પહેલ શરૂ કરી

September 06th, 01:00 pm

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જલ શક્તિ મંત્રાલય દ્વારા આજે ગુજરાતની ભૂમિ પરથી એક મહત્ત્વપૂર્ણ અભિયાન શરૂ થઈ રહ્યું છે. ચોમાસાની ઋતુએ વેરેલી તબાહી વિશે વાત કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, દેશનાં લગભગ તમામ પ્રદેશોને તેનાં કારણે ઊભી થયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, તેમણે ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેનાં કાર્યકાળ દરમિયાન લગભગ દરેક તાલુકામાં આવો મુશળધાર વરસાદ જોયો નથી કે સાંભળ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતને આ વખતે ભારે કટોકટીનો સામનો કરવો પડ્યો હતો અને વિભાગો પરિસ્થિતિને સંભાળવા માટે સંપૂર્ણપણે સજ્જ નહોતા, જો કે, આવી વિકટ પરિસ્થિતિમાં ગુજરાત અને દેશની જનતા ખભેખભા મિલાવીને ઊભી રહી અને એકબીજાને મદદ કરી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશના ઘણા ભાગો હજી પણ ચોમાસાની ઋતુની અસરો હેઠળ છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'જલ સંચય જન ભાગીદારી' પહેલ શરૂ કરી

September 06th, 12:30 pm

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જલ શક્તિ મંત્રાલય દ્વારા આજે ગુજરાતની ભૂમિ પરથી એક મહત્ત્વપૂર્ણ અભિયાન શરૂ થઈ રહ્યું છે. ચોમાસાની ઋતુએ વેરેલી તબાહી વિશે વાત કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, દેશનાં લગભગ તમામ પ્રદેશોને તેનાં કારણે ઊભી થયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, તેમણે ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેનાં કાર્યકાળ દરમિયાન લગભગ દરેક તાલુકામાં આવો મુશળધાર વરસાદ જોયો નથી કે સાંભળ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતને આ વખતે ભારે કટોકટીનો સામનો કરવો પડ્યો હતો અને વિભાગો પરિસ્થિતિને સંભાળવા માટે સંપૂર્ણપણે સજ્જ નહોતા, જો કે, આવી વિકટ પરિસ્થિતિમાં ગુજરાત અને દેશની જનતા ખભેખભા મિલાવીને ઊભી રહી અને એકબીજાને મદદ કરી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશના ઘણા ભાગો હજી પણ ચોમાસાની ઋતુની અસરો હેઠળ છે.

વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

February 10th, 01:40 pm

કેમ છો... મજા મા! આજે વિકસિત ભારત – વિકસિત ગુજરાત નામનું એક બહુ મોટું અભિયાન શરૂ થઈ રહ્યું છે. અને મને જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતની તમામ 182 વિધાનસભાઓની બેઠકો પર એકસાથે, ગુજરાતનાં દરેક ખૂણામાં લાખો લોકો ટેકનોલોજીનાં માધ્યમથી જોડાયેલા છે. વિકસિત ગુજરાતની સફરમાં તમે તમામ લોકોને આટલા ઉત્સાહ સાથે સામેલ થયા છો..આ માટે હું તમને બધાને અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ 'વિકસિત ભારત વિકસિત ગુજરાત' કાર્યક્રમને સંબોધન કર્યું

February 10th, 01:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 'વિકસિત ભારત વિકસિત ગુજરાત' કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) અને અન્ય આવાસ યોજનાઓ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં નિર્માણ પામેલા 1.3 લાખથી વધુ મકાનોનું ભૂમિ પૂજન અને ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.

PM Modi campaigns in Madhya Pradesh’s Betul, Shajapur and Jhabua

November 14th, 11:30 am

Amidst the ongoing election campaigning in Madhya Pradesh, Prime Minister Modi’s rally spree continued as he addressed multiple public meetings in Betul, Shajapur and Jhabua today. PM Modi said, “In the past few days, I have traveled to every corner of the state. The affection and trust towards the BJP are unprecedented. Your enthusiasm and this spirit have decided in Madhya Pradesh – ‘Phir Ek Baar, Bhajpa Sarkar’. The people of Madhya Pradesh will come out of their homes on 17th November to create history.”

કર્ણાટકના કોડેકલ, યાદગીર જિલ્લાના કોડેકલમાં શિલાન્યાસ તથા વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ સમારંભ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

January 19th, 12:11 pm

કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોતજી, મુખ્યમંત્રી શ્રી બાસવરાજ બોમ્માઈજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી શ્રી ભગવંત ખુબાજી, કર્ણાટક સરકારના મંત્રીગણ, સાંસદ તથા વિધાયકગણ અને વિશાળ સંખ્યામાં અમને આશીર્વાદ આપવા માટે પધારેલા મારા પ્રિય ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રી શ્રીએ કર્ણાટકના કોડેકલમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

January 19th, 12:10 pm

પ્રધાનમંત્રી શ્રીએ આજે કર્ણાટકના યાદગીરના કોડેકલમાં સિંચાઈ, પીવાનાં પાણી અને રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પ્રોજેક્ટ સાથે સંબંધિત વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં જલ જીવન મિશન અંતર્ગત યાદગીર મલ્ટી વિલેજ પીવાનાં પાણી પુરવઠા યોજના અને સુરત– ચેન્નાઈ એક્સપ્રેસવે એનએચ– 150સીના 65.5 કિલોમીટરનાં સેક્શન (બદાદલથી મરાદાગી એસ અંદોલા સુધી)નો શિલાન્યાસ તથા નારાયણપુર લેફ્ટ બૅન્ક કેનાલ – એક્સટેન્શન રિનોવેશન એન્ડ મૉડર્નાઇઝેશન પ્રોજેક્ટ (એનએલબીસી – ઇઆરએમ)નું ઉદ્‌ઘાટન સામેલ છે.

પીએમ કિસાન યોજના હેઠળ સન્માન નિધિનો 10મો હપ્તો ચૂકવતી વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળપાઠ

January 01st, 12:31 pm

ઉપસ્થિત તમામ આદરણીય મહાનુભાવો, સૌ પ્રથમ, હું માતા વૈષ્ણોદેવી સંકુલમાં બનેલી દુ:ખદ દુર્ઘટના પર શોક વ્યક્ત કરું છું. આ દુર્ઘટના દરમિયાન નાસભાગમાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું તથા જેઓ ઘાયલ થયા છે તેઓ વહેલી તકે સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીર પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે. મેં ઉપ-રાજ્યપાલ મનોજ સિંહાજી સાથે પણ વાત કરી છે. રાહત કાર્ય જારી છે અને ઘાયલોની સારવાર માટે સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીએ PM-KISANનો 10મો હપ્તો રિલીઝ કર્યો

January 01st, 12:30 pm

દેશના ખેડૂતોને પાયાના સ્તરેથી સશક્ત બનાવવા માટેની અવિરત કટિબદ્ધતા અને સંકલ્પ અનુસાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી આર્થિક લાભની 10મા હપતાની રકમ રીલિઝ કરી છે. આના કારણે 10 કરોડ કરતાં વધારે ખેડૂત પરિવારોના બેંક ખાતામાં સીધા જ રૂપિયા 20,000 કરોડ કરતાં વધારે રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ અંદાજે 351 ખેડૂત ઉત્પાદક સંઘ (FPO)ને રૂ. 14 કરોડ કરતાં વધારે ઇક્વિટી ગ્રાન્ટ પેટે રીલિઝ કર્યા છે, જેનાથી 1.24 લાખ કરતાં વધારે ખેડૂતોને ફાયદો થશે. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન FPO સાથે સંવાદ પણ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, લેફ્ટેનન્ટ ગવર્નર, કૃષિ મંત્રીઓ અને ખેડૂતો ઑનલાઇન લિંક દ્વારા જોડાયા હતા.

રાયપુર, છત્તીસગઢમાં વિશેષ ગુણો ધરાવતા 35 વિવિધ પાકોની પ્રજાતિઓ રાષ્ટ્રને અર્પિત કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 28th, 11:01 am

નમસ્કારજી! કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રીમાન નરેન્દ્ર સિંહ તોમરજી, છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેશ બઘેલજી, મંત્રીમંડળના મારા અન્ય સહયોગી શ્રી પુરુષોત્તમ રૂપાલાજી, શ્રી કૈલાશ ચૌધરીજી, બહેન શોભાજી, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી શ્રી રમણ સિંહજી, નેતા વિપક્ષ શ્રી ધર્મલાલ કૌશિકજી, કૃષિ શિક્ષણ સાથે જોડાયેલ તમામ ઉપકુલપતિ, અધ્યક્ષ, વૈજ્ઞાનિક સાથીઓ અને મારા વ્હાલા ખેડૂત બહેનો અને ભાઈઓ!