Prime Minister Expresses Gratitude to President of Sri Lanka for Inaugurating the Exposition of the Holy Devnimori Relics
February 05th, 10:45 am
PM Modi conveyed his gratitude to Sri Lankan President Anura Kumara Dissanayake for inaugurating the Exposition of the Holy Devnimori Relics at the sacred Gangaramaya Temple in Colombo. He recalled his visit to Sri Lanka in April 2025, during which the decision to bring the revered relics to the country was taken. The PM expressed hope that Lord Buddha’s timeless message of compassion, peace and harmony will continue to guide humanity.Prime Minister shares Sanskrit Subhashitam emphasising on peace and contentment
January 27th, 08:57 am
PM Modi shared a Sanskrit verse emphasising on peace and contentment. The verse conveys that there is no endeavour nobler than peace, no pleasure bigger than contentment, no disease worse than greed and no duty higher than compassion.પ્રધાનમંત્રીને ઇઝરાયલના પ્રધાનમંત્રીનો ફોન આવ્યો
January 07th, 03:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ઇઝરાયલના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી બેન્જામિન નેતન્યાહૂનો ફોન આવ્યો હતો.ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પિપ્રહવા પવિત્ર અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 03rd, 12:00 pm
કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી, ગજેન્દ્ર સિંહ શેખાવતજી, કિરણ રિજિજુજી, રામદાસ અઠાવલેજી, રાવ ઇન્દ્રજીતજી, દિલ્હીના મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો, તેમને નીકળવું પડ્યું અને દિલ્હીના તમામ મંત્રીગણના સાથીઓ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાજી, Excellencies, Diplomatic communityના તમામ માનનીય સભ્યો, Buddhist Scholars, ધમ્મના અનુયાયીઓ, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું
January 03rd, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના રાય પિથોરા કલ્ચરલ કોમ્પ્લેક્સ ખાતે ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન, જેનું શીર્ષક “ધ લાઈટ એન્ડ ધ લોટસ: રેલિક્સ ઓફ ધ અવેકન્ડ વન” છે, તેનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે એકસો પચ્ચીસ વર્ષની રાહ જોયા બાદ ભારતનો વારસો પરત આવ્યો છે, ભારતની વિરાસત પાછી આવી છે. તેમણે હાઇલાઇટ કર્યું કે આજથી ભારતના લોકો ભગવાન બુદ્ધના આ પવિત્ર અવશેષોના દર્શન કરી શકશે અને તેમના આશીર્વાદ મેળવી શકશે. શ્રી મોદીએ આ પવિત્ર અવશેષોના આગમન પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. તેમણે નોંધ્યું હતું કે બૌદ્ધ પરંપરા સાથે સંકળાયેલા સાધુઓ અને ધર્મ આચાર્યો પણ ઉપસ્થિત છે અને તેમની પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની ઉપસ્થિતિ આ કાર્યક્રમને નવી ઊર્જા આપી રહી છે. પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું કે 2026 ના પ્રારંભમાં જ આ શુભ ઉજવણી અત્યંત પ્રેરણાદાયી છે. તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભગવાન બુદ્ધના આશીર્વાદથી વર્ષ 2026 વિશ્વ માટે શાંતિ, સમૃદ્ધિ અને સંવાદિતાના નવા યુગની શરૂઆત કરે.પ્રધાનમંત્રીએ ક્રિસમસની સવારની પ્રાર્થનામાં ભાગ લીધો
December 25th, 10:43 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન ખાતે નાતાલની સવારની પ્રાર્થનામાં ભાગ લીધો. શ્રી મોદીએ કહ્યું, આ પ્રાર્થના પ્રેમ, શાંતિ અને કરુણાના શાશ્વત સંદેશને પ્રતિબિંબિત કરે છે. નાતાલની ભાવના આપણા સમાજમાં સંવાદિતા અને ભાઈચારાને પ્રેરણા આપે છે.પ્રધાનમંત્રીએ સૌને ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી
December 25th, 09:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌને શાંતિ, કરુણા અને આશાથી ભરેલા નાતાલની શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું, ઈસુ ખ્રિસ્તના ઉપદેશો આપણા સમાજમાં સંવાદિતાને મજબૂત બનાવે.પ્રધાનમંત્રીએ યુએસએના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી
December 11th, 08:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ, એચ.ઇ. શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરી.પ્રધાનમંત્રીનો જોર્ડન, ઇથોપિયા અને ઓમાનનો પ્રવાસ
December 11th, 08:43 pm
મેજેસ્ટી કિંગ અબ્દુલ્લા II બિન અલ હુસૈનના આમંત્રણ પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 - 16 ડિસેમ્બર, 2025 દરમિયાન હશેમાઇટ કિંગડમ ઓફ જોર્ડનની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ભારત અને જોર્ડન વચ્ચેના સમગ્ર સંબંધોની સમીક્ષા કરવા અને પ્રાદેશિક મુદ્દાઓ પર દૃષ્ટિકોણનું આદાનપ્રદાન કરવા માટે મહાસન્માનિત કિંગ અબ્દુલ્લા II બિન અલ હુસૈનને મળશે. બે દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનારી આ મુલાકાત ભારત-જોર્ડન દ્વિપક્ષીય જોડાણને વધુ મજબૂત કરવાની, પરસ્પર વૃદ્ધિ અને સમૃદ્ધિ માટે સહયોગના નવા માર્ગો શોધવાની અને પ્રાદેશિક શાંતિ, સમૃદ્ધિ, સુરક્ષા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવાની અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવાની તક પૂરી પાડે છે.પ્રધાનમંત્રીને ઇઝરાયલના પ્રધાનમંત્રીનો ટેલિફોન કોલ આવ્યો
December 10th, 07:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ઇઝરાયલના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી બેન્જામિન નેતન્યાહૂનો ટેલિફોન કોલ આવ્યો હતો.રશિયાના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ સ્ટેટમેન્ટ
December 05th, 02:00 pm
આજે 23મી ભારત-રશિયા સમિટમાં રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કરતાં મને આનંદ થાય છે. તેમની યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે આપણા દ્વિપક્ષીય સંબંધો અનેક ઐતિહાસિક સીમાચિહ્નો પાર કરી રહ્યા છે. બરાબર 25 વર્ષ પહેલાં, રાષ્ટ્રપતિ પુતિને આપણી Strategic Partnership (વ્યૂહાત્મક ભાગીદારી) નો પાયો નાખ્યો હતો. પંદર વર્ષ પહેલાં, 2010 માં, આપણી ભાગીદારીને Special and Privileged Strategic Partnership” (વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી)ના દરજ્જા સુધી પહોંચાડવામાં આવી હતી.PM Modi’s remarks during the joint press meet with Russian President Vladimir Putin
December 05th, 01:50 pm
PM Modi addressed the joint press meet with President Putin, highlighting the strong and time-tested India-Russia partnership. He said the relationship has remained steady like the Pole Star through global challenges. PM Modi announced new steps to boost economic cooperation, connectivity, energy security, cultural ties and people-to-people linkages. He reaffirmed India’s commitment to peace in Ukraine and emphasised the need for global unity in the fight against terrorism.IBSA નેતાઓની બેઠકમાં પ્રધાનમંત્રીનું નિવેદન
November 23rd, 12:45 pm
જોહાનિસબર્ગ જેવા જીવંત અને સુંદર શહેરમાં IBSA નેતાઓની બેઠકમાં ભાગ લેવાનો મારા માટે ખૂબ આનંદ છે. હું આ પહેલ માટે IBSA ના અધ્યક્ષ રાષ્ટ્રપતિ લુલાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને હું રાષ્ટ્રપતિ રામાફોસાનો તેમના આતિથ્ય માટે આભાર માનું છું.પ્રધાનમંત્રીએ જોહાનિસબર્ગમાં IBSA નેતાઓની બેઠકમાં ભાગ લીધો
November 23rd, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આયોજિત IBSA નેતાઓની બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકનું આયોજન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મહામહિમ સિરિલ રામાફોસા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ મહામહિમ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ હાજરી આપી હતી.ભૂટાનના ચોથા રાજાની 70મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 11th, 12:00 pm
અમારી એજન્સીઓ આ ષડયંત્રની પૂરી તપાસ કરશે. તેની પાછળના ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનના થિમ્પુમાં ચાંગલિમિથાંગ સેરેમોનિયલ ગ્રાઉન્ડ ખાતે એક જાહેર સભાને સંબોધિત કરી
November 11th, 11:39 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂટાનના થિમ્પુમાં ચાંગલિમિથાંગ સમારોહ સ્થળ ખાતે એક જાહેર સભાને સંબોધિત કરી. પ્રધાનમંત્રીએ ભૂટાનના રાજા મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ચોથા રાજા મહામહિમ જિગ્મે સિંગ્યે વાંગચુકનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમણે રાજવી પરિવારના આદરણીય સભ્યો, ભૂટાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ત્શેરિંગ ટોબગે અને ઉપસ્થિત અન્ય મહાનુભાવોનો આદરપૂર્વક આભાર માન્યો હતો.ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોનું સન્માનપૂર્વક સ્વાગત કરવા બદલ પ્રધાનમંત્રીએ ભૂટાનના લોકો અને નેતૃત્વનો આભાર માન્યો
November 09th, 03:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત તરફથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોનું સન્માનપૂર્વક સ્વાગત કરવા બદલ ભૂટાનના લોકો અને નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ અવશેષો શાંતિ, કરુણા અને સંવાદિતાના કાલાતીત સંદેશનું પ્રતીક છે. ભગવાન બુદ્ધના ઉપદેશો આપણા બે રાષ્ટ્રોના સહિયારા આધ્યાત્મિક વારસા વચ્ચે એક પવિત્ર કડી છે, શ્રી મોદીએ કહ્યું.પ્રધાનમંત્રીએ કારતક પૂર્ણિમા અને દેવ દીવાળીની સૌને શુભેચ્છા પાઠવી
November 05th, 10:08 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કારતક પૂર્ણિમા અને દેવ દીવાળી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું, ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતામાં મૂળ ધરાવતો આ દિવ્ય પ્રસંગ સૌના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ લાવે. પવિત્ર સ્નાન, દાન, આરતી અને પૂજાની આપણી પવિત્ર પરંપરાઓ દરેકના જીવનને પ્રકાશિત કરે.નવા રાયપુરમાં શાંતિ શિખર - બ્રહ્મા કુમારિસ ધ્યાન કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
November 01st, 11:15 am
આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે, આપણું છત્તીસગઢ તેની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. છત્તીસગઢની સાથે, ઝારખંડ અને ઉત્તરાખંડે પણ તેમની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કર્યા. આજે, દેશના ઘણા અન્ય રાજ્યો તેમના સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યા છે. હું આ બધા રાજ્યોના રહેવાસીઓને તેમના સ્થાપના દિવસ પર હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. રાજ્યનો વિકાસ દેશના વિકાસ તરફ દોરી જાય છે ના મંત્રને અનુસરીને, આપણે ભારતના વિકાસના અભિયાનમાં રોકાયેલા છીએ.છત્તીસગઢના નવા રાયપુરમાં શાંતિ શિખર - ધ્યાન કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ બ્રહ્મા કુમારીઓને સંબોધન કર્યું
November 01st, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢના નવા રાયપુરમાં આધ્યાત્મિક શિક્ષણ, શાંતિ અને ધ્યાન માટેના આધુનિક કેન્દ્ર શાંતિ શિખરના ઉદ્ઘાટન પ્રસંગે બ્રહ્માકુમારીઓને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે છત્તીસગઢ તેની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. તેમણે ભાર મૂક્યો કે છત્તીસગઢની સાથે, ઝારખંડ અને ઉત્તરાખંડે પણ તેમની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમણે ધ્યાન દોર્યું કે દેશભરના ઘણા અન્ય રાજ્યો આજે તેમના સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યા છે. શ્રી મોદીએ આ તમામ રાજ્યોના રહેવાસીઓને તેમના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીએ ભાર મુકતા જણાવ્યું કે, રાજ્યોનો વિકાસ રાષ્ટ્રની પ્રગતિને વેગ આપે છે તે માર્ગદર્શક સિદ્ધાંતથી પ્રેરિત થઈને, અમે વિકસિત ભારતના નિર્માણના મિશનમાં સક્રિયપણે જોડાયેલા છીએ.