પ્રધાનમંત્રીએ ઉત્સાહ અને રાષ્ટ્રીય ગૌરવ સાથે ઉજવવામાં આવેલા પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પ્રશંસા કરી

January 26th, 04:50 pm

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કર્તવ્ય પથ પરની ભવ્ય પરેડે ભારતની લોકશાહીની તાકાત, તેના વારસાની સમૃદ્ધિ અને રાષ્ટ્રને એકસાથે બાંધતી એકતાનું પ્રદર્શન કર્યું હતું. ઉજવણીની ઝલક શેર કરતા તેમણે કહ્યું કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન કર્તવ્ય પથ રાષ્ટ્રીય ગૌરવના શક્તિશાળી પ્રદર્શનનો સાક્ષી બન્યો હતો.

પ્રધાનમંત્રીએ માલદીવની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠની ઉજવણીમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપી

July 26th, 06:47 pm

માલેની તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે માલદીવની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠની ઉજવણીમાં 'ગેસ્ટ ઓફ ઓનર' તરીકે હાજરી આપી હતી. આ પહેલી વાર છે જ્યારે કોઈ ભારતીય પ્રધાનમંત્રી માલદીવમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હાજરી આપી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ મુઇઝુ દ્વારા આયોજિત રાજ્ય અથવા સરકારના વડા સ્તરે પ્રથમ વિદેશી નેતા પણ છે.

ભવ્ય પરેડમાં સાંસ્કૃતિક વારસો અને લશ્કરી પરાક્રમનું પ્રદર્શન કરવામાં આવ્યું: પ્રધાનમંત્રી

January 26th, 03:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2025 ના પ્રજાસત્તાક દિવસ ઉજવણીના દૃશ્યો શેર કરતા તેને ભારતની વિવિધતામાં એકતાનું જીવંત પ્રદર્શન ગણાવ્યું. તેમણે ઉમેર્યું કે ભવ્ય પરેડમાં સાંસ્કૃતિક વારસો અને લશ્કરી પરાક્રમનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.