પ્રધાનમંત્રીએ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના જન્મદિવસે તેમની સાથે ઓડિશાના પહાડપુર ગામની મુલાકાત લીધી

June 20th, 08:58 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના જન્મદિવસે તેમની સાથે ઓડિશાના પહાડપુર ગામમાં ઉપસ્થિત રહેવા બદલ તેઓ ગૌરવની લાગણી અનુભવે છે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પહાડપુર ગામમાં ગોસાણી પીઠ ખાતે પૂજા-અર્ચના કરી

June 20th, 08:54 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે તેઓએ અને ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ પહાડપુર ગામમાં ગોસાણી પીઠ ખાતે પૂજા-અર્ચના કરી હતી.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે પહાડપુર ગામમાં સંથાલી જાહેરા અને હો જાહેરા ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

June 20th, 08:51 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે પહાડપુર ગામમાં સંથાલી જાહેરા (Santhali Jahera) અને હો જાહેરા (Ho Jahera) ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે.

પ્રધાનમંત્રીએ પહાડપુર ગામમાં કૌશલ્ય કેન્દ્રની મુલાકાત લીધી, સ્કીલ ડેવલપમેન્ટ (કૌશલ્ય વિકાસ) પરના ધ્યાન સરાહના કરી

June 20th, 08:49 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પહાડપુર ગામમાં એક કૌશલ્ય કેન્દ્રની (સ્કીલિંગ સેન્ટર) મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રીએ પહાડપુરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પરિવારના સભ્યોના સમાધિ સ્થળ પર પુષ્પાંજલિ અર્પણ કરી

June 20th, 08:47 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પહાડપુરના શાળા પરિસરમાં સ્વર્ગસ્થ શ્રી શ્યામ ચરણ મુર્મુ, સ્વર્ગસ્થ શ્રી લખન મુર્મુ અને સ્વર્ગસ્થ શ્રી સિપુન મુર્મુના સમાધિ સ્થળ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ પહાડપુર ગામની શાળાની મુલાકાત લીધી, શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો

June 20th, 08:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેઓ પહાડપુર ગામની એક શાળાની મુલાકાત લઈને અત્યંત આનંદિત થયા છે.

ઓડિશા સરકારના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 20th, 01:10 pm

હાલના દિવસોમાં આપણું ઓડિશા ઉત્સવોના આનંદમાં ડૂબેલું છે. અહીંનો ગણપર્વ રજ, ગયા અઠવાડિયે જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. મહાપ્રભુ જગન્નાથ જીની રથયાત્રાની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. મયુરભંજના બારીપદા રથયાત્રાને લઈને પણ ઉત્સાહનો માહોલ છે. અને આ બધાની વચ્ચે જ લોકશાહીના વિકાસનો ઉત્સવ પણ ચાલી રહ્યો છે. ઓડિશાની ભાજપ સરકારે પોતાના 2 વર્ષ પણ પૂર્ણ કર્યા છે. આ અવસરે, આપ સૌની વચ્ચે આવવાનું, મયુરભંજ આવવાનું આ સૌભાગ્ય અને આટલી મોટી સંખ્યામાં આપ સૌની ઉપસ્થિતિ, આ અવસર મારા માટે બહુ ખાસ છે. તમારો પોતાનો ભાવ મને વારંવાર અહીં ખેંચી લાવે છે. હું આપ સૌનું હૃદયપૂર્વક બહુ-બહુ અભિનંદન કરું છું. અને ઓડિશાની જનતાને ડબલ એન્જિન સરકારમાં વિકાસ યાત્રાની પણ વધામણી આપું છું, શુભેચ્છાઓ આપું છું. સાથે જ, આ અવસરે હું પંડિત રઘુનાથ મુર્મુ જી, ડો. દમયંતી બેશ્રા જી, અને શ્રી ચરણ હેમ્બ્રમ જી જેવી વિભૂતિઓને પણ નમન કરું છું. રઘુનાથ મુર્મુ જીએ સંથાલી ભાષા માટે ઓલ ચિકી લિપિનું નિર્માણ કર્યું હતું. આપણી સરકારે સંથાલી ભાષામાં ભારતનું સંવિધાન પ્રસ્તુત કર્યું છે. ઓડિશાના સંતાનોને પદ્મ સન્માન આપીને સન્માનિત કર્યા છે. વિતેલા 2 વર્ષોમાં ઓડિશા સરકાર પણ આ બધી વિભૂતિઓના સપનાઓને પૂરા કરવામાં દિવસ રાત પુરુષાર્થ કરી રહી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશા સરકારના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મયૂરભંજ જિલ્લાના રાયરંગપુર ખાતે ₹47,600 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

June 20th, 01:00 pm

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મયૂરભંજ જિલ્લાના પહાડપુર ગામની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પવિત્ર ઉપવન સંથાલી જાહેરા અને હો જાહેરા, સ્કિલ સેન્ટર અને પહાડપુર શાળામાં પૂજા-અર્ચના કરી હતી. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઓડિશા સરકારના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મયૂરભંજ જિલ્લાના રાયરંગપુર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમની થીમ “વિકાસ રા ધારા, ઓડિશા સારા” (Vikas ra Dhara, Odisha Sara) છે. શ્રી મોદીએ ₹47,600 કરોડથી વધુની કિંમતના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

પ્રધાનમંત્રી 20 જૂનના રોજ ઓડિશાની મુલાકાત લેશે

June 19th, 11:53 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 જૂન 2026ના રોજ ઓડિશાની મુલાકાત લેશે. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી સાથે જોડાશે, જે રાજ્ય માટે એક દુર્લભ અને મહત્વપૂર્ણ પ્રસંગ છે.