72મી નેશનલ વોલીબોલ ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 04th, 01:00 pm
હર હર મહાદેવ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉપ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકજી, યુપી સરકારમાં મંત્રી ભાઈ રવિન્દ્ર જયસ્વાલ, દયાશંકરજી, ગિરીશ યાદવજી, બનારસના મેયર ભાઈ અશોક તિવારીજી, અન્ય જનપ્રતિનિધિગણ, વોલીબોલ એસોસિએશનના તમામ પદાધિકારીઓ, દેશભરમાંથી આવેલા તમામ ખેલાડીઓ, કાશીના મારા પરિવારજનો, નમસ્કાર.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું
January 04th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના વારાણસીમાં 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું. સભાને સંબોધતા, શ્રી મોદીએ કહ્યું કે વારાણસીના સંસદસભ્ય તરીકે તેઓ બધા ખેલાડીઓનું સ્વાગત અને અભિનંદન આપતા ખુશ છે. રાષ્ટ્રીય વોલીબોલ ચેમ્પિયનશિપ આજથી વારાણસીમાં શરૂ થઈ રહી છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે ખેલાડીઓ ઘણી મહેનત પછી આ રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પહોંચ્યા છે, અને આગામી દિવસોમાં વારાણસીના મેદાનો પર તેમના પ્રયત્નોની કસોટી કરવામાં આવશે. દેશભરના 28 રાજ્યોની ટીમો એકઠી થઈ છે, જે એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સુંદર ચિત્ર રજૂ કરે છે. પ્રધાનમંત્રીએ ચેમ્પિયનશિપના તમામ સહભાગીઓને શુભેચ્છાઓ પાઠવી.Today, Sansad Khel Mahotsav has truly become a people’s movement: PM Modi
December 25th, 05:30 pm
PM Modi addressed the Sansad Khel Mahotsav via video conferencing and interacted with young athletes from across the country. Calling the initiative a people’s movement, he said the scale of participation reflects the growing sporting culture in India.Our country is full of talent in every village and town: PM Modi
December 25th, 11:10 am
PM Modi interacted with young sportspersons from across the country during the Sansad Khel Mahotsav, listening to their journeys, aspirations and experiences. Encouraging them to balance sports with education, he lauded their discipline, dedication and confidence. The PM reaffirmed the government’s commitment to nurturing grassroots sporting talent and building a strong sporting ecosystem in India.PM Modi addressed the Sansad Khel Mahotsav via video conferencing
December 25th, 11:09 am
PM Modi addressed the Sansad Khel Mahotsav via video conferencing and interacted with young athletes from across the country. Calling the initiative a people’s movement, he said the scale of participation reflects the growing sporting culture in India.‘વોકલ ફોર લોકલ’ મન કી વાતમાં, પીએમ મોદીએ સ્વદેશી ગૌરવ સાથે તહેવારો ઉજવવા વિનંતી કરી
August 31st, 11:30 am
આ મહિનાના મન કી બાત સંબોધનમાં, વડાપ્રધાન મોદીએ પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોને મદદ કરનારા સુરક્ષા દળો અને નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં રમતગમતના કાર્યક્રમો, સૌર ઉર્જા, 'ઓપરેશન પોલો' અને ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક પ્રસાર જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વાત કરી. પીએમએ નાગરિકોને તહેવારોની મોસમ દરમિયાન મેડ-ઇન-ઇન્ડિયા ઉત્પાદનો ખરીદવા અને સ્વચ્છતા જાળવવાના મહત્વ વિશે વધુ યાદ અપાવ્યું.2047 માં વિકસિત ભારતનો માર્ગ આત્મનિર્ભરતામાંથી પસાર થાય છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
July 27th, 11:30 am
'મન કી બાત'માં ફરી એક વાર વાત થશે દેશની સફળતાઓની, દેશવાસીઓની ઉપલબ્ધિઓની. છેલ્લાં કેટલાંક સપ્તાહમાં, સ્પૉર્ટ્સ હોય, સાયન્સ હોય કે સંસ્કૃતિ, ઘણું બધું એવું થયું જેના પર દરેક ભારતવાસીને ગર્વ છે. હમણાં જ શુભાંશુ શુક્લના અંતરિક્ષથી પુનરાગમન અંગે દેશમાં ઘણી ચર્ચા થઈ. જેવા શુભાંશુ ધરતી પર સુરક્ષિત ઉતર્યા, લોકો ઊછળી પડ્યા, પ્રત્યેકના મનમાં ખુશીની લહેર દોડી ગઈ. આખો દેશ ગર્વથી છલોછલ થઈ ગયો. મને યાદ છે, જ્યારે ઑગસ્ટ 2023માં ચંદ્રયાન-3નું સફળ ઉતરાણ થયું હતું ત્યારે દેશમાં એક નવું વાતાવરણ બન્યું હતું. સાયન્સ માટે, સ્પેસ માટે બાળકોમાં એક નવી જિજ્ઞાસા પણ જાગી. હવે નાનાં-નાનાં બાળકો પણ કહે છે, અમે પણ સ્પેસમાં જઈશું, અમે પણ ચંદ્ર પર ઉતરીશું- સ્પેસ સાયન્ટિસ્ટ બનીશું.કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય રમતગમત નીતિ 2025ને મંજૂરી આપી
July 01st, 04:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે રાષ્ટ્રીય રમતગમત નીતિ (NSP) 2025 ને મંજૂરી આપી, જે દેશના રમતગમતના પરિદૃશ્યને ફરીથી આકાર આપવા અને રમતગમત દ્વારા નાગરિકોને સશક્ત બનાવવાના હેતુથી એક સીમાચિહ્નરૂપ પહેલ છે.મન કી બાત – (122મી કડી) પ્રસારણ તારીખ-25-05-2025
May 25th, 11:30 am
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે પૂરો દેશ આતંકવાદ વિરૂદ્ધ એક જૂથ છે, આક્રોશથી ભરેલો છે, સંકલ્પબદ્ધ છે, આજે દરેક ભારતીયનો એ જ સંકલ્પ છે કે, આપણે આતંકવાદનો ખાતમો બોલાવવાનો જ છે. સાથીઓ, ઓપરેશન સિંદૂર વખતે આપણી સેનાએ જે પરાક્રમ બતાવ્યું છે, તેનાથી દરેક હિંદુસ્તાનીનું માથું ઉંચું કરી દીધું છે. જે ચોકસાઇની સાથે, જે સટિકતાથી આપણી સેનાઓએ સરહદની પેલે પારના આતંકવાદી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યા છે. તે અદભૂત છે. ઓપરેશન સિંદૂરે દુનિયાભરમાં આતંક વિરૂદ્ધની લડાઇને નવો વિશ્વાસ અને ઉત્સાહ આપ્યા છે.17માં સિવિલ સર્વિસીસ દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 21st, 11:30 am
આપ સૌને સિવિલ સર્વિસ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! આ વર્ષનો સિવિલ સર્વિસીસ ડે ઘણા કારણોસર ખાસ છે. આ વર્ષે આપણે આપણા બંધારણના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ અને તે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પણ છે. 21 એપ્રિલ 1947ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલે તમને બધાને ભારતના સ્ટીલ ફ્રેમ કહ્યા. તેમણે સ્વતંત્ર ભારતના અમલદારશાહી માટે નવી મર્યાદાઓ નક્કી કરી હતી. એક સિવિલ સેવક જે રાષ્ટ્રની સેવાને પોતાનું શ્રેષ્ઠ કર્તવ્ય માને છે. જે લોકશાહી રીતે વહીવટ ચલાવે છે. જે પ્રામાણિકતા, શિસ્ત અને સમર્પણથી ભરપૂર છે. જે દેશના ધ્યેયો માટે દિવસ-રાત મહેનત કરે છે. આજે, જ્યારે આપણે વિકસિત ભારત બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના આ શબ્દો વધુ સુસંગત બની જાય છે. આજે હું સરદાર સાહેબના વિઝનને સલામ કરું છું અને તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17માં સિવિલ સર્વિસીસ દિવસને સંબોધિત કર્યો
April 21st, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 17માં સનદી સેવા દિવસનાં પ્રસંગે સનદી અધિકારીઓને સંબોધન કર્યું હતું. તેમણે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો પણ એનાયત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ દરેકને સિવિલ સર્વિસીસ ડેના પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા અને આ વર્ષની ઉજવણીના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. કારણ કે આ વર્ષે બંધારણની 75મી જન્મજયંતિ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ છે. 21 એપ્રિલ, 1947ના રોજ સરદાર પટેલના ઐતિહાસિક નિવેદન, જેમાં તેમણે સનદી અધિકારીઓને 'સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા' તરીકે ઓળખાવ્યા હતા ને યાદ કરતા શ્રી મોદીએ પટેલના નોકરશાહીના દ્રષ્ટિકોણ પર ભાર મૂક્યો હતો. જે શિસ્ત, પ્રામાણિકતા અને લોકશાહી મૂલ્યોને જાળવી રાખે છે અને સંપૂર્ણ સમર્પણ સાથે રાષ્ટ્રની સેવા કરે છે. તેમણે ભારતના વિકસિત ભારત બનવાના સંકલ્પના સંદર્ભમાં સરદાર પટેલના આદર્શોની પ્રાસંગિકતા પર ભાર મૂક્યો હતો તથા સરદાર પટેલના વિઝન અને વારસાને હૃદયપૂર્વક અંજલિ અર્પણ કરી હતી.ઓલિમ્પિક મેડલ વિજેતા અને પ્રખ્યાત એથલીટ કર્ણમ મલ્લેશ્વરી પ્રધાનમંત્રીને મળ્યા
April 15th, 09:54 am
ઓલિમ્પિક મેડલ વિજેતા અને પ્રખ્યાત રમતવીર કર્ણમ મલ્લેશ્વરીએ ગઈકાલે યમુનાનગરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. તેમણે યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપવાના તેમના પ્રયાસની પ્રશંસા કરી.વારાણસીમાં વિવિધ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ/ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 11th, 11:00 am
સ્ટેજ પર બેઠેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક, ઉપસ્થિત મંત્રીઓ, અન્ય જનપ્રતિનિધિઓ, બનાસ ડેરીના ચેરમેન શંકર ભાઈ ચૌધરી અને મારા પરિવારના બધા સભ્યો, જેઓ આશીર્વાદ આપવા માટે મોટી સંખ્યામાં અહીં આવ્યા છે,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. 3,880 કરોડથી વધારેનાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ, ઉદઘાટન કર્યું
April 11th, 10:49 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. 3,880 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. જનમેદનીને સંબોધતા તેમણે કાશી સાથેના તેમના ઊંડા જોડાણ પર પ્રકાશ પાડ્યો હતો. આ આશીર્વાદ માટે તેમના પરિવાર અને આ વિસ્તારના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તથા તેમને આપવામાં આવેલા પ્રેમ અને સમર્થનનો સ્વીકાર કર્યો હતો. તેમણે આ પ્રેમ પ્રત્યે પોતાની ઋણીતા પર ભાર મૂકતાં કહ્યું હતું કે, કાશી તેમની છે અને તેઓ કાશીનાં છે. આવતીકાલે હનુમાન જન્મોત્સવનો પાવન પર્વ છે તેની નોંધ લઈને શ્રી મોદીએ કાશીમાં સંકટ મોચન મહારાજના દર્શન કરવાની તક મળતાં તેમનું સન્માન વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હનુમાન જન્મોત્સવ અગાઉ કાશીનાં લોકો કેવી રીતે વિકાસનાં પર્વની ઉજવણી કરવા એકત્ર થયાં છે.ભારતનાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ફ્રાંસની મુલાકાત પર ભારત-ફ્રાંસનું સંયુક્ત નિવેદન
February 12th, 03:22 pm
પ્રજાસત્તાક ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોનનાં આમંત્રણ પર ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10-12 ફેબ્રુઆરી, 2025નાં રોજ ફ્રાન્સની મુલાકાત લીધી હતી. 10 અને 11 ફેબ્રુઆરી, 2025ના રોજ ફ્રાન્સ અને ભારતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી હતી, જેમાં રાષ્ટ્ર અને સરકારોના વડાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નેતાઓ, નાના અને મોટા ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, બિન-સરકારી સંસ્થાઓ, કલાકારો અને નાગરિક સમાજના સભ્યોને એકત્ર કરવામાં આવ્યા હતા, જેથી બ્લેટ્ચલી પાર્ક (નવેમ્બર 2023) અને સિઓલ (મે 2024) સમિટ દરમિયાન પ્રાપ્ત થયેલા મહત્વપૂર્ણ સીમાચિહ્નો પર નિર્માણ કરી શકાય. તેમણે વૈશ્વિક સ્તરે એઆઈ ક્ષેત્ર જાહેર હિતમાં લાભદાયક સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પરિણામો લાવી શકે એ સુનિશ્ચિત કરવા નક્કર પગલાં લેવાની તેમની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ફ્રાંસના એઆઈ એક્શન સમિટના સફળ આયોજન પર રાષ્ટ્રપતિ મેક્રોનને અભિનંદન પાઠવ્યા હતા. ફ્રાન્સે આગામી એઆઈ સમિટના ભારતના આયોજનને આવકાર્યું હતું.ભારતનું "કોન્સર્ટ અર્થતંત્ર": 2036 ઓલિમ્પિક્સના માર્ગ પર એક ઉભરતું મનોરંજન પાવરહાઉસ
January 29th, 04:28 pm
વર્ષોથી, ભારતમાં મોટા પાયે આંતરરાષ્ટ્રીય કોન્સર્ટનું આયોજન કરવા માટે જરૂરી માળખાકીય સુવિધાઓનો અભાવ હતો. જ્યારે બોલિવૂડ સંગીત સ્થાનિક સ્તરે ખીલ્યું, ત્યારે અપૂરતા સ્થળો, અમલદારશાહી પડકારો અને લોજિસ્ટિકલ અવરોધોને કારણે વૈશ્વિક કોન્સર્ટ સંસ્કૃતિ મોટાભાગે ભારતને બાયપાસ કરી ગઈ. લંડન, ન્યુ યોર્ક અથવા સિંગાપોર જેવા શહેરોથી વિપરીત, ભારતને વિશ્વ કક્ષાના સ્ટેડિયમનો અભાવ, ઇવેન્ટ પરવાનગી મેળવવામાં મુશ્કેલીઓ અને અસંગઠિત ઇવેન્ટ મેનેજમેન્ટને કારણે આંતરરાષ્ટ્રીય કલાકારોને આકર્ષવામાં મુશ્કેલી પડી. જ્યારે વૈશ્વિક સ્ટાર્સ પરફોર્મ કરતા હતા ત્યારે પણ, કોન્સર્ટ ઘણીવાર નબળા ભીડ નિયંત્રણ, સ્વચ્છતા સમસ્યાઓ અને તકનીકી નિષ્ફળતાઓનો ભોગ બનતા હતા, જેના કારણે કલાકારો અને પ્રેક્ષકો બંને અસંતુષ્ટ રહેતા હતા.ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે 38મા રાષ્ટ્રીય રમતોના ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
January 28th, 09:36 pm
દેવભૂમિ ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહજી, યુવા મુખ્યમંત્રી પુષ્કર ધામીજી, મારા મંત્રીમંડળના સાથીઓ અજય ટામ્ટાજી, રક્ષા ખડસેજી, ઉત્તરાખંડ વિધાનસભાના અધ્યક્ષ રીતુ ખંડુરીજી, રમતગમત મંત્રી રેખા આર્ય જી, કોમનવેલ્થ ગેમ્સના પ્રમુખ ક્રિસ જેનકિન્સજી, IOAના પ્રમુખ પી.ટી. ઉષાજી, સાંસદ મહેન્દ્ર ભટ્ટજી, રાષ્ટ્રીય રમતોમાં ભાગ લેવા આવેલા દેશભરના તમામ ખેલાડીઓ અને અન્ય મહાનુભાવો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દહેરાદૂનમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદઘાટન કર્યું
January 28th, 09:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડનાં દહેરાદૂનમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ અત્યારે યુવાનોની ઊર્જાથી ભરપૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, 38મા રાષ્ટ્રીય રમતોત્સવનો આજથી બાબા કેદારનાથ, બદ્રીનાથ અને મા ગંગાનાં આશીર્વાદ સાથે શુભારંભ થઈ રહ્યો છે. ઉત્તરાખંડની સ્થાપનાને 25મું વર્ષ થયું હોવાનું જણાવતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી યુવાનો આ યુવા રાજ્યમાં તેમની સંભવિતતા પ્રદર્શિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમમાં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની સુંદર તસવીર પ્રદર્શિત કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નેશનલ ગેમ્સની આ આવૃત્તિમાં ઘણી સ્થાનિક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેની થીમ 'ગ્રીન ગેમ્સ' હતી, કારણ કે તેમાં પર્યાવરણને અનુકૂળ ચીજવસ્તુઓનો ઉપયોગ થતો હતો. આ વિષય પર વધુ વિસ્તૃત પણે જણાવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ટ્રોફીઓ અને ચંદ્રકો પણ ઇ-વેસ્ટનાં જ બનેલાં છે અને દરેક ચંદ્રક વિજેતાનાં નામે એક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે, જે એક મહાન પહેલ છે. તેમણે શાનદાર પ્રદર્શન માટે તમામ રમતવીરોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ઉત્તરાખંડની સરકાર અને લોકોને આ પ્રકારનાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યાં હતાં.બંધારણ એ આપણો માર્ગદર્શક પ્રકાશ છેઃ મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી
December 29th, 11:30 am
મન કી બાતના આ એપિસોડમાં પીએમ મોદીએ બંધારણની 75મી વર્ષગાંઠ અને પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ સહિત ભારતની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે બસ્તર ઓલિમ્પિક્સની સફળતાની પ્રશંસા કરી હતી અને સ્વાસ્થ્યને લગતી નોંધપાત્ર સફળતાઓ પર પ્રકાશ પાડ્યો હતો, જેમ કે મેલેરિયા નાબૂદીમાં પ્રગતિ અને આયુષ્માન ભારત યોજના હેઠળ કેન્સરની સારવારમાં પ્રગતિ. આ ઉપરાંત તેમણે ઓડિશાનાં કાલાહાંડીમાં કૃષિ પરિવર્તનની પ્રશંસા કરી હતી.સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 11th, 05:00 pm
તમને બધાને યાદ હશે કે મેં હંમેશા લાલ કિલ્લા પરથી એક વાત કહી છે. મેં કહ્યું છે કે દરેકના પ્રયાસોથી જ આજનો ભારત ઝડપી ગતિએ આગળ વધી શકે છે. આજનો દિવસ તેનું ઉદાહરણ છે. હું સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનના આ ગ્રાન્ડ ફિનાલેની ખૂબ રાહ જોઈ રહ્યો હતો. જ્યારે પણ તમારા જેવા યુવા ઈનોવેટર્સમાં સામેલ થવાની તક મળે છે. મને પણ ઘણું જાણવા અને સમજવાનો મોકો મળે છે. મને તમારા બધા પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તમે બધા યુવા સંશોધકો 21મી સદીના ભારતને જોવાનો અલગ દ્રષ્ટિકોણ ધરાવો છો અને તેથી તમારા ઉકેલો પણ અલગ છે. તેથી, જ્યારે તમને નવા પડકારો મળે છે, ત્યારે તમે તેના માટે નવા અને અનન્ય ઉકેલો શોધો છો. હું પહેલા પણ ઘણી હેકાથોન્સનો ભાગ રહ્યો છું. તમે ક્યારેય નિરાશ થયા નથી. હંમેશા મારો વિશ્વાસ વધાર્યો છે. તમારી પહેલા જે ટીમ રહી છે. તેમણે ઉકેલો આપ્યા છે. આજે તેઓ વિવિધ મંત્રાલયોમાં ખૂબ જ ઉપયોગી છે. હવે આ હેકાથોનમાં દેશના વિવિધ ભાગોમાં ટીમો શું કરી રહી છે? હું તમારી નવીનતાઓ વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સુક છું. તો ચાલો શરૂઆત કરીએ કે આપણી સાથે પહેલા કોણ વાત કરશે.