પ્રધાનમંત્રીએ ડૉ. કે. કસ્તુરીરંગનના નિધન પર શોક વ્યક્ત કર્યો
April 25th, 02:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડૉ. કે. કસ્તુરીરંગનના નિધન પર શોક વ્યક્ત કર્યો, જેઓ ભારતની વૈજ્ઞાનિક અને શૈક્ષણિક યાત્રામાં એક ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ હતા. શ્રી મોદીએ જણાવ્યું હતું કે ડૉ. કે. કસ્તુરીરંગને ખૂબ જ ખંતથી ISRO ની સેવા કરી, ભારતના અવકાશ કાર્યક્રમને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ના મુસદ્દા દરમિયાન અને ભારતમાં શિક્ષણ વધુ સર્વાંગી અને ભવિષ્યલક્ષી બને તે સુનિશ્ચિત કરવા માટે ડૉ. કસ્તુરીરંગનના પ્રયાસો માટે ભારત હંમેશા તેમનો આભારી રહેશે. તેઓ ઘણા યુવા વૈજ્ઞાનિકો અને સંશોધકો માટે એક ઉત્કૃષ્ટ માર્ગદર્શક પણ હતા, તેમ શ્રી મોદીએ ઉમેર્યું.રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત શિક્ષકો સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
September 06th, 04:15 pm
શિક્ષક - માનનીય પ્રધાનમંત્રી સાહેબ, નમો નમઃ અહમ આશા રાની 12 હાઈસ્કૂલ, ચંદન કહારી બોકારો ઝારખંડ તઃ (સંસ્કૃતમાં)પીએમએ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર પ્રાપ્ત શિક્ષકો સાથે વાતચીત કરી
September 06th, 04:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે લોક કલ્યાણ માર્ગ પર 7, લોક કલ્યાણ માર્ગ પર તેમના નિવાસસ્થાને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત થયેલા શિક્ષકો સાથે વાતચીત કરી હતી.