આતંકવાદ ભારતનો જુસ્સો તોડી શકશે નહીં: વડાપ્રધાન મોદી

April 24th, 03:36 pm

પહેલગામ આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના જીવ ગુમાવવા બદલ ભારત શોક માં છે. બિહારના મધુબનીમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના કાર્યક્રમમાં, વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રના શોકનું નેતૃત્વ કર્યું અને ગહન દુ:ખ અને આક્રોશ વ્યક્ત કર્યો. પીડિતોના સન્માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું, જેમાં સમગ્ર રાષ્ટ્ર પીડિત પરિવારો સાથે એકતામાં ઉભું રહ્યું.

બિહારના મધુબનીમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કાર્યક્રમ અને વિકાસ કાર્યોના શુભારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 24th, 12:00 pm

મારું ભાષણ શરૂ કરતા પહેલા, હું તમને બધાને એક વિનંતી કરવા માંગુ છું; તમે જ્યાં પણ હોવ, તમારે તમારી જગ્યાએ બેસીને, ઊભા થવાની જરૂર નથી, આપણે પોતપોતાના સ્થાને બેસીને જ 22મી તારીખે ગુમાવેલા આપણા પરિવારજનોને શ્રદ્ધાંજલિ આપીએ, થોડી ક્ષણો માટે આપણા સ્થાને બેસીને, મૌન વ્રત કરીને અને આપણા ભગવાનનું સ્મરણ કરીને, આપણે બધાને શ્રદ્ધાંજલિ આપીશું, ત્યારબાદ હું આજે મારું ભાષણ શરૂ કરીશ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે બિહારના મધુબનીમાં રૂ. 13,480 કરોડથી વધારેનાં વિકાસ કાર્યોનો શુભારંભ કરાવ્યો

April 24th, 11:50 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસનાં પ્રસંગે બિહારનાં મધુબનીમાં રૂ. 13,480 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં દરેકને 22 એપ્રિલ, 2025ના રોજ પહેલગામ હુમલામાં દિવંગત આત્માઓ માટે મૌન પાળવા અને પ્રાર્થના કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, પંચાયતી રાજ દિવસનાં પ્રસંગે સમગ્ર દેશ મિથિલા અને બિહાર સાથે જોડાયેલો છે. તેમણે નોંધ્યું હતું કે, બિહારનાં વિકાસને ધ્યાનમાં રાખીને હજારો કરોડ રૂપિયાની કિંમતનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વીજળી, રેલવે અને માળખાગત સુવિધામાં આ પહેલોથી બિહારમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે. તેમણે મહાન કવિ અને રાષ્ટ્રીય પ્રતિક રામધારી સિંહ દિનકરજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રી 24 એપ્રિલનાં રોજ બિહારની મુલાકાત લેશે

April 23rd, 06:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 એપ્રિલનાં રોજ બિહારની મુલાકાત લેશે. તેઓ મધુબની જશે અને સવારે 11:45 વાગ્યે તેઓ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ રૂ. 13,480 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે, શિલાન્યાસ કરશે અને દેશને સમર્પિત કરશે તથા આ પ્રસંગે જનમેદનીને સંબોધન કરશે.

પ્રધાનમંત્રી 24 અને 25 એપ્રિલના રોજ મધ્યપ્રદેશ, કેરળ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની મુલાકાત લેશે

April 21st, 03:02 pm

પ્રધાનમંત્રી 24 એપ્રિલના રોજ સવારે લગભગ 11:30 વાગ્યે, મધ્યપ્રદેશના રીવા ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ આશરે રૂ. 19,000 કરોડના મૂલ્યની વિવિધ રાષ્ટ્રીય પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને લોકાર્પણ કરશે.

પંચાયતીરાજ દિવસે પ્રધાનમંત્રીએ ગ્રામ સભાઓને કરેલા સંબોધનનો મૂળપાઠ

April 24th, 11:31 am

જમ્મુ કાશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી ગિરિરાજસિંહજી, આ જ ધરતીના સંતાન મારા સાથી ડૉ. જીતેન્દ્રસિંહજી, શ્રી કપિલ મોરેશ્વર પાટીલજી, સંસદમાં મારા સાથી શ્રી જુગલ કિશોરજી, જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર દેશમાંથી જોડાયેલા પંચાયતીરાજના તમામ પ્રતિનિધિગણ, ભાઇઓ તથા બહેનો.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીમાં ભાગ લેવા જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી

April 24th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી હતી અને દેશભરની તમામ ગ્રામસભાઓને સંબોધિત કરી હતી. તેમણે સાંબા જિલ્લાની પલ્લી પંચાયતની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ લગભગ રૂ. 20,000 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસ પહેલનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમણે અમૃત સરોવર પહેલ પણ શરૂ કરી હતી. જમ્મુ અને કાશ્મીરના લેફટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહા, કેન્દ્રીય મંત્રીઓ શ્રી ગિરિરાજ સિંહ, ડૉ જીતેન્દ્ર સિંહ અને શ્રી કપિલ મોરેશ્વર પાટીલ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી

April 24th, 09:51 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે પંચાયતો ભારતીય લોકશાહીના આધારસ્તંભ છે.

PM to launch physical distribution of Property Cards under the SVAMITVA Scheme on 11th October

October 09th, 01:31 pm

In a historic move set to transform rural India and empower millions of Indians, PM Narendra Modi will launch the physical distribution of Property Cards under the SVAMITVA Scheme on 11th October. The launch will enable around one lakh property holders to download their Property Cards through the SMS link delivered on their mobile phones.