પ્રધાનમંત્રીની ઇઝરાયલ મુલાકાત: મહત્વપૂર્ણ કરારોની યાદી
February 26th, 07:41 pm
ભૂ-સર્વેક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં સહકાર માટે સમજૂતી કરાર"પરીક્ષા પે ચર્ચા 2026" કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
February 06th, 10:21 am
જુઓ, જીવનભર આવું જ રહે છે. જો હું પ્રધાનમંત્રી બન્યો પણ કોઈ મને આ કરવાનું કહે છે, અને કોઈ મને તે કરવાનું કહે છે. જો તમે ઘરે ભોજન જુઓ, તો બધા ભાઈ-બહેનો જમવા બેઠા હશે અને દરેકની ખાવાની રીત અલગ હશે. કોઈ શાકભાજીથી શરૂઆત કરશેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા 2026 દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
February 06th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચા (PPC) ની 9મી આવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રીએ દિલ્હીમાં તેમના નિવાસસ્થાને એક્ઝામ વોરિયર્સ સાથે અનૌપચારિક વાતચીત કરી હતી.નવી દિલ્હીના કરિઅપ્પા ગ્રાઉન્ડ ખાતે NCC રેલી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 28th, 04:00 pm
આજનો દિવસ આપણા માટે એક મોટું દુઃખ પણ લઈને આવ્યો છે. આજે સવારે જ મહારાષ્ટ્રમાં દુઃખદ વિમાન દુર્ઘટના થઈ છે. આ દુર્ઘટનાએ મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી અજિત પવાર જી અને કેટલાક સાથીઓને આપણી પાસેથી છીનવી લીધા છે. અજિત દાદાએ મહારાષ્ટ્ર અને દેશના વિકાસમાં પોતાનું મોટું યોગદાન આપ્યું છે. ખાસ કરીને ગામડાઓના જીવનને બહેતર બનાવવા માટે તેમણે હંમેશા આગળ વધીને કામ કર્યું. હું અજિત પવાર જીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. જે સાથીઓને આપણે આ અકસ્માતમાં ગુમાવ્યા છે, પીડાની આ ઘડીમાં આપણે સૌ તેમના પરિવારજનોની સાથે છીએ.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં વાર્ષિક NCC PM રેલીને સંબોધિત કરી
January 28th, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક NCC PM રેલીને સંબોધિત કરી હતી. NCC દિવસ નિમિત્તે સામૂહિક અભિવાદન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે NCC, NSS કેડેટ્સ, ટેબ્લો કલાકારો, રાષ્ટ્રીય રંગશાળાના સાથીદારો અને દેશભરના યુવા સહભાગીઓના પ્રયાસો તેમના સમન્વિત પ્રદર્શનમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા. શ્રી મોદીએ દુઃખ સાથે નોંધ્યું હતું કે આજનો દિવસ આજે સવારે મહારાષ્ટ્રમાં થયેલા દુખદ વિમાન દુર્ઘટનાને કારણે ભારે આઘાત પણ લાવ્યો છે, જેમાં નાયબ મુખ્યમંત્રી શ્રી અજીત પવાર જી અને કેટલાક સાથીદારોએ જીવ ગુમાવ્યા છે. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે અજીત દાદાએ મહારાષ્ટ્ર અને રાષ્ટ્રના વિકાસમાં, ખાસ કરીને ગ્રામીણ જીવનને સુધારવા માટે કામ કરીને નોંધપાત્ર યોગદાન આપ્યું હતું, અને શ્રી અજીત પવાર જીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પીડાની આ ક્ષણમાં રાષ્ટ્ર અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારોની સાથે છે. પ્રધાનમંત્રીએ, દુઃખ અને સંવેદનાની આ ક્ષણો વચ્ચે, મિત્ર રાષ્ટ્રોના કેડેટ્સ સહિત ઉપસ્થિત તમામ કેડેટ્સને શુભેચ્છા પાઠવી હતી અને આ વર્ષે કન્યા કેડેટ્સની મોટી સંખ્યામાં સહભાગિતાને સ્વીકારી હતી.'વિકસિત ભારત'નો સંકલ્પ ચોક્કસ પૂર્ણ થશે: મન કી બાતમાં પીએમ મોદી
December 28th, 11:30 am
વર્ષના છેલ્લા 'મન કી બાત' એપિસોડમાં પીએમ મોદીએ કહ્યું હતું કે 2025માં ભારતે રાષ્ટ્રીય સુરક્ષા, રમતગમત, સાયન્સ લેબ અને ગ્લોબલ પ્લેટફોર્મ પર પોતાની છાપ છોડી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે 2026માં દેશ નવા સંકલ્પો સાથે આગળ વધવા માટે તૈયાર છે. પીએમએ ડેવલપ્ડ ઈન્ડિયા યંગ લીડર્સ ડાયલોગ, ક્વિઝ કોમ્પિટિશન, સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2025 અને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ જેવી યુવા-કેન્દ્રિત પહેલો પર પણ ભાર મૂક્યો હતો.પ્રધાનમંત્રીએ બિહાર કોકિલા શારદા સિંહા જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
November 05th, 10:36 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહાર કોકિલા શારદા સિંહાજીને તેમની પ્રથમ પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું, તેમણે લોકગીતો દ્વારા બિહારની કલા અને સંસ્કૃતિને એક નવી ઓળખ આપી, જેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. મહાપર્વ છઠ સાથે સંકળાયેલા તેમના સુમધુર ગીતો હંમેશા લોકોના હૃદયમાં રહેશે.'વંદે માતરમ' ની ભાવના ભારતની શાશ્વત ચેતના સાથે જોડાયેલી છે: મન કી બાતમાં પ્રધાનમંત્રી મોદી
October 26th, 11:30 am
આ મહિનાની મન કી બાત સંબોધનમાં, પ્રધાનમંત્રી મોદીએ 31 ઓક્ટોબરે સરદાર પટેલને તેમની 150મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે છઠ પૂજા ઉત્સવ, પર્યાવરણીય સંરક્ષણ, ભારતીય શ્વાનની જાતિઓ, ભારતીય કોફી, આદિવાસી સમુદાયના નેતાઓ અને સંસ્કૃત ભાષાના મહત્વ જેવા રસપ્રદ વિષયો પર પણ વાત કરી. પ્રધાનમંત્રીએ 'વંદે માતરમ' ગીતના 150મા વર્ષનો ખાસ ઉલ્લેખ કર્યો.પદ્મ વિભૂષણ પંડિત છન્નુલાલ મિશ્રના નિધન પર પ્રધાનમંત્રી મોદીનો શોક સંદેશ
October 02nd, 02:00 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પદ્મ વિભૂષણ પંડિત છન્નુલાલ મિશ્રના નિધન પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.પ્રધાનમંત્રીએ પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
October 02nd, 09:42 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાજીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને તેમને ભારતીય કલા અને સંસ્કૃતિના આજીવન ભક્ત ગણાવ્યા હતા.સ્વદેશી ઉત્પાદનો, લોકલ ને પ્રાધાન્ય મન કી બાતમાં પ્રધાનમંત્રી મોદીનું તહેવાર દરમિયાનની આમંત્રણ
September 28th, 11:00 am
આ મહિનાના મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ ભગતસિંહ અને લતા મંગેશકરના જન્મદિવસે તેમને શ્રદ્ધાંજલિ અર્પી. તેમણે ભારતીય સંસ્કૃતિ, સ્ત્રી સશક્તિકરણ, દેશભરમાં ઉજવાતા વિવિધ તહેવારો, આરએસએસની 100 વર્ષની સફર, સ્વચ્છતા અને ખાદીની વધતી વેચાણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વાત કરી. પ્રધાનમંત્રીએ પુનરાવર્તન કર્યું કે દેશને આત્મનિર્ભર બનાવવા નો માર્ગ સ્વદેશી અપનાવવામાં જ છેપ્રધાનમંત્રીએ લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગના આકસ્મિક અવસાન પર શોક વ્યક્ત કર્યો
September 19th, 06:26 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગના આકસ્મિક અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે સંગીતમાં તેમના સમૃદ્ધ યોગદાન માટે તેમને યાદ કરવામાં આવશે.આસામના ગુવાહાટીમાં ભારત રત્ન ડૉ. ભૂપેન હજારિકાની 100મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 13th, 08:57 pm
હું કહીશ ભૂપેન દા! તમે કહેશો અમર રહે! અમર રહે! ભૂપેન દા, અમર રહે! અમર રહે! ભૂપેન દા, અમર રહે! અમર રહે! ભૂપેન દા, અમર રહે! અમર રહે! આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય જી, આ સ્થાનના લોકપ્રિય મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા જી, અરુણાચલ પ્રદેશના યુવા મુખ્યમંત્રી પેમા ખાંડુ જી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી સર્બાનંદ સોનોવાલ જી, મંચ પર હાજર ભૂપેન હજારિકા જીના ભાઈ શ્રી સમર હજારિકા જી, ભૂપેન હજારિકા જીના શ્રીમતી કવિતા બરુઆ જી, ભૂપેન દાના પુત્ર શ્રી તેજ હજારિકા જી, તેજને હું કહીશ કેમ છો! ઉપસ્થિત અન્ય મહાનુભવ અને આસામના મારા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના ગુવાહાટીમાં ભારત રત્ન ડૉ. ભૂપેન હજારિકાની 100મી જન્મજયંતીના સમારોહમાં સંબોધન કર્યુ
September 13th, 05:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ગુવાહાટી ખાતે ભારત રત્ન ડૉ. ભૂપેન હજારિકાની 100મી જન્મજયંતીના સમારોહને સંબોધન કર્યું હતું. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આજનો દિવસ એક અદ્ભુત દિવસ છે અને આ ક્ષણ ખરેખર કિંમતી છે. તેમણે શેર કર્યું હતું કે તેમણે જે પ્રદર્શન જોયું, ઉત્સાહ અને તેમણે જે સંકલન જોયું તે ખૂબ જ હૃદયસ્પર્શી હતું. તેમણે ભૂપેન દાના સંગીતના લય પર પ્રકાશ પાડ્યો હતો જે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુંજતો રહ્યો. ભૂપેન હજારિકાને ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તેમના ગીતના કેટલાક શબ્દો તેમના મનમાં ગુંજતા રહ્યા. તેમણે વ્યક્ત કર્યું હતું કે ભૂપેનના સંગીતના તરંગો દરેક જગ્યાએ, અવિરતપણે વહેતા રહે તેવી તેમની ઇચ્છા છે. પ્રધાનમંત્રીએ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ કલાકારોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે આસામનો જુસ્સો એવો છે કે અહીંની દરેક ઘટના એક નવો રેકોર્ડ બનાવે છે, તેમણે નોંધ્યું કે આજના પરફોર્મન્સમાં અસાધારણ તૈયારી પ્રતિબિંબિત થાય છે. તેમણે તમામ કલાકારોને અભિનંદન અને પ્રશંસા આપી.PM Modi conferred with highest national award, the ‘Order of the Republic of Trinidad & Tobago
July 04th, 08:20 pm
PM Modi was conferred Trinidad & Tobago’s highest national honour — The Order of the Republic of Trinidad & Tobago — at a special ceremony in Port of Spain. He dedicated the award to the 1.4 billion Indians and the historic bonds of friendship between the two nations, rooted in shared heritage. PM Modi also reaffirmed his commitment to strengthening bilateral ties.પ્રધાનમંત્રી પોર્ટ ઓફ સ્પેનમાં ત્રિનિદાદિયન ગાયક શ્રી રાણા મોહિપને મળ્યા
July 04th, 09:42 am
પોર્ટ ઓફ સ્પેનમાં રાત્રિભોજનમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રિનિદાદિયન ગાયક શ્રી રાણા મોહિપને મળ્યા, જેમણે થોડા વર્ષો પહેલા મહાત્મા ગાંધીની 150મી જયંતિની ઉજવણી દરમિયાન 'વૈષ્ણવ જન તો' ગાયું હતું.પરિણામોની યાદી: પ્રધાનમંત્રીની ઘાનાની રાજ્ય મુલાકાત
July 03rd, 04:01 am
સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ (CEP)પર સમજૂતી કરાર: કલા, સંગીત, નૃત્ય, સાહિત્ય અને વારસામાં વધુ સાંસ્કૃતિક સમજણ અને વિનિમયને પ્રોત્સાહન આપવું.મુંબઈમાં વેવ્સ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 01st, 03:35 pm
વેવ્ઝ સમિટમાં ઉપસ્થિત, મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનજી, મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ અશ્વિની વૈષ્ણવજી, એલ. મુરુગનજી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેજી, અજિત પવારજી, વિશ્વના ખૂણે ખૂણેથી સર્જનાત્મક જગતના બધા દિગ્ગજો, વિવિધ દેશોના માહિતી, સંદેશાવ્યવહાર, કલા અને સંસ્કૃતિ વિભાગના મંત્રીઓ, વિવિધ દેશોના રાજદૂતો, વિશ્વના ખૂણેથી જોડાયેલા સર્જનાત્મક જગતના ચહેરાઓ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ WAVES 2025નું ઉદઘાટન કર્યું
May 01st, 11:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટર ખાતે વેવ્સ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. જે આ પ્રકારની સૌપ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ છે. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે આજે ઉજવાતા મહારાષ્ટ્ર દિવસ અને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી હતી. રચનાત્મક ઉદ્યોગનાં તમામ આંતરરાષ્ટ્રીય મહાનુભાવો, રાજદૂતો અને નેતાઓની હાજરીને બિરદાવતાં પ્રધાનમંત્રીએ આ સમારંભનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને એ જણાવ્યું હતું કે, 100થી વધારે દેશોનાં કલાકારો, નવપ્રવર્તકો, રોકાણકારો અને નીતિનિર્માતાઓ પ્રતિભા અને રચનાત્મકતાની વૈશ્વિક ઇકોસિસ્ટમનો પાયો નાંખવા એકત્ર થયા છે. તેમણે નોંધ્યું હતું કે, વેવ્સ એ માત્ર સંક્ષિપ્ત શબ્દ જ નથી, પરંતુ સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને સાર્વત્રિક જોડાણનું પ્રતિનિધિત્વ કરતું મોજું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સમિટ ફિલ્મો, સંગીત, ગેમિંગ, એનિમેશન અને સ્ટોરીટેલિંગની વિસ્તૃત દુનિયાને પ્રદર્શિત કરે છે. જે કલાકારો અને સર્જકોને જોડાવા અને સહયોગ કરવા માટે એક વૈશ્વિક મંચ પ્રદાન કરે છે. પ્રધાનમંત્રીએ આ ઐતિહાસિક પ્રસંગે તમામ સહભાગીઓને અભિનંદન આપ્યાં હતાં તથા ભારત અને વિદેશમાંથી આવેલા વિશિષ્ટ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.ચિલીના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
April 01st, 12:31 pm
રાષ્ટ્રપતિ બોરિકની આ પહેલી ભારત મુલાકાત છે અને ભારત પ્રત્યેની તેમની મિત્રતાની ભાવના અને સંબંધોને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતા ખરેખર અદ્ભુત છે. આ માટે હું તેમને ખાસ અભિનંદન આપું છું. હું તેમનું અને તેમના પ્રતિષ્ઠિત પ્રતિનિધિમંડળનું હાર્દિક સ્વાગત કરું છું.