પ્રધાનમંત્રીએ બિમ્સ્ટેક સમિટ દરમિયાન બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર સાથે કરી મુલાકાત

April 04th, 03:49 pm

પ્રધાનમંત્રીએ લોકશાહી, સ્થિર, શાંતિપૂર્ણ, પ્રગતિશીલ અને સમાવેશી બાંગ્લાદેશ માટે ભારતનાં સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. આ સંબંધમાં ભારતનાં જનકેન્દ્રી અભિગમનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચેનાં સહકારથી બંને દેશોનાં લોકોને લાભ થશે. તેમણે વ્યવહારિકતા પર આધારિત બાંગ્લાદેશ સાથે સકારાત્મક અને રચનાત્મક સંબંધ સ્થાપિત કરવાની ભારતની ઇચ્છા પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ નોબેલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર મુહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં નવી જવાબદારીઓ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા

August 08th, 10:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નોબેલ પારિતોષિક વિજેતા પ્રોફેસર મુહમ્મદ યુનુસને બાંગ્લાદેશની નવી રચાયેલી વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકેની તેમની જવાબદારીઓ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.