રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસના પ્રસંગે પ્રધાનમંત્રીના વિડિયો સંદેશનો મૂળપાઠ

August 23rd, 11:00 am

કેન્દ્રીય મંત્રીમંડળના સાથીઓ, ઇસરો અને અંતરિક્ષ ક્ષેત્રના તમામ વૈજ્ઞાનિકો અને ઇજનેરો અને મારા પ્રિય દેશવાસીઓ!

રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ 2025 પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

August 23rd, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ 2025 નિમિત્તે એક વિડિયો સંદેશ દ્વારા સભાને સંબોધિત કરી હતી. આ પ્રસંગે, હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વર્ષનો વિષય, આર્યભટ્ટથી ગગનયાન સુધી, ભારતના ભૂતકાળના આત્મવિશ્વાસ અને ભવિષ્ય માટેના સંકલ્પ બંનેને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે ખૂબ જ ટૂંકા ગાળામાં, રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ભારતના યુવાનો માટે આકર્ષણ અને ઉત્સાહનો પ્રસંગ બની ગયો છે, જે રાષ્ટ્રીય ગૌરવનો વિષય છે. તેમણે વૈજ્ઞાનિકો અને યુવાનો સહિત અંતરિક્ષ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી મોદીએ માહિતી આપી કે ભારત હાલમાં ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર પર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડનું આયોજન કરી રહ્યું છે, જેમાં સાઠથી વધુ દેશોના લગભગ 300 યુવા સહભાગીઓ ભાગ લઈ રહ્યા છે. શ્રી મોદીએ ખુશી વ્યક્ત કરી કે આ કાર્યક્રમમાં ઘણા ભારતીય સહભાગીઓએ મેડલ જીત્યા છે. તેમણે કહ્યું કે આ ઓલિમ્પિયાડ અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતના ઉભરતા વૈશ્વિક નેતૃત્વનું પ્રતીક છે. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે યુવાનોમાં અંતરિક્ષમાં રસ વધારવા માટે, ISROએ ઇન્ડિયન સ્પેસ હેકાથોન અને રોબોટિક્સ ચેલેન્જ જેવી પહેલ શરૂ કરી છે. તેમણે આ સ્પર્ધાઓમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓ અને વિજેતાઓને અભિનંદન આપ્યા હતા.

‘મન કી બાત’ના 119મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ ( 23.02.2025)

February 23rd, 11:30 am

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં આપ સૌનુ સ્વાગત છે. હાલ ચેમ્પિયન્સ ટ્રોફી રમાઇ રહી છે, અને ચારે તરફ ક્રિકેટનું વાતવરણ છે. ક્રિકેટમાં સેન્ચૂરીનો રોમાંચ શું હોય છે એ તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ, પરંતુ આજે હું તમારા બધા સાથે ક્રિકેટ નહિં પણ ભારતે અંતરિક્ષમાં જે શાનદાર સદી નોંધાવી છે, તેની વાત કરવાનો છું. ગયા મહિને દેશ ઇસરોના એકસોમા રોકેટના પ્રક્ષેપણનો સાક્ષી બન્યો છે. આ કેવળ એક આંકડો નથી, પરંતુ તેનાથી અવકાશ વિજ્ઞાનમાં નિત નવી ઉંચાઇઓ હાંસલ કરવાના આપણા સંકલ્પનો પણ ખ્યાલ આપે છે. આપણી અવકાશયાત્રાની શરૂઆત બહુ જ સામાન્ય રીતે થઇ હતી. તેમાં ડગલેને પગલે પડકારો હતા, પરંતુ આપણા વૈજ્ઞાનિકો વિજય મેળવીને આગળ વધતા જ ગયા. સમયની સાથે અંતરિક્ષના આ ઉડ્ડયનમાં આપણી સફળતાઓની યાદી ખૂબ લાંબી થતી ગઇ છે. પ્રક્ષેપણ યાનનું નિર્માણ હોય, ચંદ્રયાનની સફળતા હોય, મંગળયાન હોય, આદિત્ય એલ-1 કે પછી એક જ રોકેટથી એક જ વારમાં એકસો ચાર ઉપગ્રહોને અવકાશમાં મોકલવાનું અભૂતપૂર્વ અભિયાન હોય, ઇસરોની સફળતાનું ક્ષેત્ર ઘણું મોટું રહ્યું છે. ગયા 10 વર્ષોમાં લગભગ 460 ઉપગ્રહો છોડવામાં આવ્યા. અને તેમાં બીજા દેશોના પણ ઘણા બધા ઉપગ્રહો સામેલ છે. તાજેતરના વર્ષોની એક મોટી બાબત એ પણ રહી છે કે, અવકાશ વિજ્ઞાનીઓની આપણી ટીમમાં નારી શક્તિની ભાગીદારી સતત વધી રહી છે. મને આ જોઇને પણ ખૂબ ખુશી થાય છે કે, આજે અવકાશ ક્ષેત્ર આપણા યુવાનો માટે ખૂબ માનીતું બની ગયું છે. થોડા વર્ષો પહેલા સુધી કોઇએ વિચાર્યું હશે કે, આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ અને ખાનગી ક્ષેત્રની અવકાશ કંપનીઓની સંખ્યા સેંકડોમાં પહોંચી જશે ! આપણા જે યુવાનો જીવનમાં કંઇક થ્રીલીંગ અને એકસાઇટીંગ કરવા ઇચ્છે છે, તેમના માટે અવકાશ ક્ષેત્ર એક સૌથી સરસ વિકલ્પ બની રહ્યો છે.

કુવૈતમાં ભારતીય સમુદાય કાર્યક્રમ ‘હાલા મોદી’માં પીએમના સંબોધનનો મૂળપાઠ

December 21st, 06:34 pm

અહીં હાલની સંસ્કૃતિનો તહેવાર છે. અત્યારે તમે ક્રિસમસ અને નવા વર્ષની તૈયારી કરી રહ્યા છો. પછી પોંગલ આવે છે. મકરસંક્રાંતિ હોય, લોહરી હોય, બિહુ હોય, આવા અનેક તહેવારો દૂર નથી. હું તમને બધાને નાતાલ, નવા વર્ષની અને દેશના ખૂણે ખૂણે ઉજવાતા તમામ તહેવારોની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કુવૈતમાં 'હાલા મોદી' કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું

December 21st, 06:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કુવૈતમાં શેખ સાદ અલ-અબ્દુલ્લા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એક વિશેષ કાર્યક્રમ 'હાલા મોદી'માં ભારતીય સમુદાયના વિશાળ સમુદાયને સંબોધન કર્યું હતું. કુવૈતમાં સમુદાયના એક વર્ગનું પ્રતિનિધિત્વ કરતા ભારતીય નાગરિકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

નાઇજીરિયામાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 17th, 07:20 pm

આજે, તમે ખરેખર અબુજામાં એક અદ્ભુત વાતાવરણ બનાવ્યું છે. ગઈકાલ સાંજથી બધું જોઈને એવું લાગે છે કે જાણે હું અબુજામાં નહીં પણ ભારતના શહેરમાં છું. તમારામાંના ઘણા લાગોસ, કાનો, કડુના અને પોર્ટ હારકોર્ટથી અબુજા ગયા છે, જે વિવિધ સ્થળોએથી આવે છે, અને તમારા ચહેરા પરની ચમક, તમે જે ઊર્જા અને ઉત્તેજનાનો અનુભવ કરો છો, તે અહીં આવવાની તમારી ઉત્સુકતાને પ્રતિબિંબિત કરે છે. હું પણ તમને મળવાની આ તકની આતુરતાથી રાહ જોતો હતો. તમારો પ્રેમ અને સ્નેહ મારા માટે એક જબરદસ્ત ખજાનો છે. તમારી વચ્ચે રહીને, તમારી સાથે સમય વિતાવવો, આ ક્ષણો જીવનભર મારી સ્મૃતિમાં અંકિત રહેશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાઇજીરિયામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું

November 17th, 07:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાઇજીરિયાનાં અબુજામાં ભારતીય સમુદાય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પ્રવાસી ભારતીયોને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાય દ્વારા વિશેષ ઉષ્મા અને ઉમંગ સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે સમુદાય તરફથી મળેલો પ્રેમ અને મિત્રતા તેમના માટે એક મોટી મૂડી હતી.

કેરળમાં પ્રધાનમંત્રીએ વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર ખાતે વિવિધ પરિયોજનાઓના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ

February 27th, 12:24 pm

કેરળના રાજ્યપાલ શ્રી આરીફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી શ્રી પિનરાઇ વિજયનજી, રાજ્ય મંત્રી, મારા સાથી શ્રી વી. મુરલીધરનજી, ઇસરો પરિવારના તમામ સભ્યો, નમસ્કાર!

પ્રધાનમંત્રીએ કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી)ની મુલાકાત લીધી

February 27th, 12:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી)ની મુલાકાત લીધી હતી અને આશરે રૂ. 1800 કરોડનાં મૂલ્યનાં ત્રણ મહત્ત્વપૂર્ણ અંતરિક્ષ માળખાગત પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેની એસ.એલ.વી. ઇન્ટિગ્રેશન ફેસિલિટી (પીઆઈએફ) સામેલ છે. મહેન્દ્રગિરી ખાતે ઇસરો પ્રોપલ્શન કોમ્પ્લેક્સ ખાતે નવી 'સેમી-ક્રાયોજેનિક્સ ઇન્ટિગ્રેટેડ એન્જિન એન્ડ સ્ટેજ ટેસ્ટ ફેસિલિટી'; અને વી.એસ.એસ.સી., તિરુવનંતપુરમ ખાતે 'ટ્રાયસોનિક વિન્ડ ટનલ'. શ્રી મોદીએ ગગનયાન મિશનની પ્રગતિની સમીક્ષા પણ કરી હતી અને ચાર અવકાશયાત્રીઓને 'અવકાશયાત્રી પાંખો' એનાયત કરી હતી. અવકાશયાત્રીઓમાં ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, ગ્રુપ કેપ્ટન અજિત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લાનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીએ ભારતના સ્વતંત્રતાના સંગ્રામમાં ભાગ લેનારી તમામ મહાન હસ્તીઓને સ્મરણાંજલી અર્પણ કરી

March 12th, 03:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, ચળવળો, વિદ્રોહ અને સ્વતંત્રતાની ચળવળના સંગ્રામને સ્મરણાંજલી અર્પણ કરી હતી. તેમણે ખાસ કરીને, એવી ચળવળો, સંઘર્ષો અને હસ્તીઓને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી જેમણે ભારતની સ્વતંત્રતાના સંઘર્ષની ગાથામાં પૂરતું સન્માન અને સ્વીકૃતિ પ્રાપ્ત થયા નથી. આજે, અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ (India@75)ના શુભારંભ બાદ તેમણે સંબોધન આપ્યું ત્યારે સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા.

'આઝાદીના અમૃત મહોત્સવ' ના શુભારંભની પ્રવૃત્તિઓના ઉદ્ઘાટનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 12th, 10:31 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી પદયાત્રા (આઝાદી કૂચ)નો શુભારંભ કરાવ્યો હતો અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (India@75)ની વિવિધ પ્રવૃત્તિઓની શરૂઆત સ્વરૂપે વિવિધ પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે India@75 ઉજવણી માટે અન્ય વિવિધ સાંસ્કૃતિક અને ડિજિટલ પહેલો પણ શરૂ કરી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદસિંહ પટેલ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી ઉપસ્થિત રહ્યાં હતાં.

છેલ્લાં છ વર્ષમાં ઇતિહાસમાં વિસરાઈ ગયેલા નાયકોની ગાથાને જાળવવા માટે સતત પ્રયાસ થયા છેઃ પ્રધાનમંત્રી

March 12th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી પદયાત્રા (આઝાદી કૂચ)નો શુભારંભ કરાવ્યો હતો અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (India@75)ની વિવિધ પ્રવૃત્તિઓની શરૂઆત સ્વરૂપે વિવિધ પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે India@75 ઉજવણી માટે અન્ય વિવિધ સાંસ્કૃતિક અને ડિજિટલ પહેલો પણ શરૂ કરી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદસિંહ પટેલ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી ઉપસ્થિત રહ્યાં હતાં.

Our scientific institutions should align with future requirements and try to find solutions for local problems: PM

February 28th, 04:01 pm

Conferring the Shanti Swarup Bhatnagar Prizes, PM Modi today said that India deserves nothing but the best, when it comes to innovations in the field of science and technology. He added that science must be fundamental, while on the other hand, technology must be local.

Prime Minister confers Shanti Swarup Bhatnagar Prizes for Science and Technology

February 28th, 04:00 pm

Conferring the Shanti Swarup Bhatnagar Prizes, PM Modi today said that India deserves nothing but the best, when it comes to innovations in the field of science and technology. He added that science must be fundamental, while on the other hand, technology must be local.

મિસન મંગલમ : મહિલા બની સશકત

September 06th, 03:42 pm

મિસન મંગલમ : મહિલા બની સશકત

Hon'ble CM invites corporate houses of India, abroad to partner Gujarat’s ‘Mission Mangalam’ project

February 10th, 06:12 am

Hon'ble CM invites corporate houses of India, abroad to partner Gujarat’s ‘Mission Mangalam’ project

More than 35 private companies keen to invest Rs.20,000 crore through Mission Manglam in Gujarat

January 28th, 08:03 pm

More than 35 private companies keen to invest Rs.20,000 crore through Mission Manglam in Gujarat