કેબિનેટે કર્ણાટક, તેલંગાણા, બિહાર અને આસામને લાભ આપતા 3 પ્રોજેક્ટ્સના મલ્ટી-ટ્રેકિંગ અને ગુજરાતના કચ્છના દૂરના વિસ્તારોને જોડતી એક નવી રેલ લાઇનને મંજૂરી આપી

August 27th, 04:50 pm

ઉપરોક્ત પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય મુસાફરો અને માલસામાન બંનેના સરળ અને ઝડપી પરિવહનને સુનિશ્ચિત કરવાનો છે. આ પહેલો કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મુસાફરીની સુવિધામાં સુધારો કરશે ઉપરાંત લોજિસ્ટિક ખર્ચ ઘટાડશે અને ઓઈલ આયાત પર નિર્ભરતા ઘટાડશે. વધુમાં, આ પ્રોજેક્ટ્સ CO2 ઉત્સર્જન ઘટાડવામાં ફાળો આપશે, જેનાથી ટકાઉ અને કાર્યક્ષમ રેલ કામગીરીને ટેકો મળશે. આ પ્રોજેક્ટ્સ તેના બાંધકામ દરમિયાન લગભગ 251 (બેસો એકાવન) લાખ માનવ-દિવસ માટે સીધી રોજગારી પણ ઉત્પન્ન કરશે.

મંત્રીમંડળે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા અને ઝારખંડ રાજ્યોના 13 જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલ્વેના હાલના નેટવર્કમાં લગભગ 574 કિલોમીટરનો વધારો થયો

July 31st, 03:13 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ આજે રેલવે મંત્રાલયના 4 (ચાર) પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે જેનો કુલ ખર્ચ રૂ. 11,169 કરોડ (આશરે) છે. આ પ્રોજેક્ટ્સમાં શામેલ છે:

કેન્દ્રીય કેબિનેટે ઝારખંડ, કર્ણાટક અને આંધ્રપ્રદેશના સાત જિલ્લાઓને આવરી લેતા ભારતીય રેલ્વેમાં બે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જે હાલના નેટવર્કમાં લગભગ 318 કિલોમીટરનો વધારો કરશે

June 11th, 03:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિ મોદીએ રેલવે મંત્રાલયના કુલ રૂ. 6405 કરોડના બે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે . આ પ્રોજેક્ટ્સમાં સામેલ છે:

કેબિનેટે રૂ. 6,798 કરોડનાં અંદાજિત ખર્ચ સાથેનાં બે પ્રોજેક્ટને મંજૂરી આપી છે અને કનેક્ટિવિટી પ્રદાન કરવા, મુસાફરીમાં સરળતા લાવવા, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા, ઓઇલ આયાત ઘટાડવા અને કાર્બન ડાયોકસાઇડનાં ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે પાંચ વર્ષમાં પૂર્ણ થશે

October 24th, 03:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઈએ)એ રેલવે મંત્રાલયની બે પરિયોજનાઓને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 6,798 કરોડ (અંદાજે) છે.

કેબિનેટે ગંગા નદી પર કનેક્ટિવિટી પ્રદાન કરવા, મુસાફરીમાં સરળતા લાવવા, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા, ઓઇલની આયાત ઘટાડવા અને કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે નવા રેલ-કમ-રોડ પુલ સહિત વારાણસી-પંડિત દીનદયાળ ઉપાધ્યાય મલ્ટિટ્રેકિંગના નિર્માણને મંજૂરી આપી

October 16th, 03:18 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે રેલવે મંત્રાલયનાં એક પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ અંદાજિત ખર્ચ આશરે રૂ. 2,642 કરોડ (અંદાજે) છે. પ્રસ્તાવિત મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ કામગીરીને સરળ બનાવશે અને ગીચતામાં ઘટાડો કરશે, જે સમગ્ર ભારતીય રેલવેમાં સૌથી વ્યસ્ત વિભાગોને અત્યંત જરૂરી માળખાગત વિકાસ પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ ઉત્તર પ્રદેશના વારાણસી અને ચંદૌલી જિલ્લામાંથી પસાર થાય છે.

કેબિનેટે 309 કિલોમીટર લાંબી નવી લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપીઃ બે મુખ્ય વાણિજ્યિક કેન્દ્રો – મુંબઈ અને ઇન્દોર વચ્ચે સૌથી ટૂંકું રેલવે જોડાણ પ્રદાન કરશે

September 02nd, 03:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની કેબિનેટ સમિતિ (સીસીઇએ)એ રેલવે મંત્રાલય હેઠળ નવા રેલવે લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ ખર્ચ રૂ. 18,036 કરોડ (અંદાજે) છે. ઇન્દોર અને મનમાડ વચ્ચે પ્રસ્તાવિત નવી લાઇન સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મોબિલિટીમાં સુધારો કરશે, જે ભારતીય રેલવેને વધારે કાર્યદક્ષતા અને સેવાની વિશ્વસનીયતા પ્રદાન કરશે. આ પરિયોજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ન્યૂ ઈન્ડિયાના વિઝનને અનુરૂપ છે જે વિસ્તારના લોકોને “આત્મનિર્ભર” બનાવશે જે વિસ્તારના વ્યાપક વિકાસ દ્વારા તેમની રોજગાર/સ્વ-રોજગારની તકોમાં વધારો કરશે.

કેબિનેટે 309 કિલોમીટર લાંબી નવી લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપીઃ બે મુખ્ય વાણિજ્યિક કેન્દ્રો – મુંબઈ અને ઇન્દોર વચ્ચે સૌથી ટૂંકું રેલવે જોડાણ પ્રદાન કરશે

August 09th, 09:58 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની કેબિનેટ સમિતિ (સીસીઇએ)એ રેલવે મંત્રાલય હેઠળ નવા રેલવે લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ ખર્ચ રૂ. 18,036 કરોડ (અંદાજે) છે. ઇન્દોર અને મનમાડ વચ્ચે પ્રસ્તાવિત નવી લાઇન સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મોબિલિટીમાં સુધારો કરશે, જે ભારતીય રેલવેને વધારે કાર્યદક્ષતા અને સેવાની વિશ્વસનીયતા પ્રદાન કરશે. આ પરિયોજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ન્યૂ ઈન્ડિયાના વિઝનને અનુરૂપ છે જે વિસ્તારના લોકોને “આત્મનિર્ભર” બનાવશે જે વિસ્તારના વ્યાપક વિકાસ દ્વારા તેમની રોજગાર/સ્વ-રોજગારની તકોમાં વધારો કરશે.

રોજગાર મેળા હેઠળ, પ્રધાનમંત્રી 12મી ફેબ્રુઆરીના રોજ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવ નિયુક્તોને 1 લાખથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે

February 11th, 03:15 pm

આ પ્રસંગે પ્રધાનમંત્રી નવી દિલ્હી ખાતે સંકલિત સંકુલ “કર્મયોગી ભવન”ના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કરશે. આ સંકુલ મિશન કર્મયોગીના વિવિધ સ્તંભો વચ્ચે સહયોગ અને સુમેળને પ્રોત્સાહન આપશે.

રોજગાર મેળા અંતર્ગત પ્રધાનમંત્રી 28 ઓક્ટોબરના રોજ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવી ભરતી થયેલા લોકોને 51,000થી વધારે નિમણૂંક પત્રોનું વિતરણ કરશે

October 27th, 03:32 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 ઓક્ટોબર, 2023ના રોજ બપોરે 1 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે નવી ભરતી થયેલા લોકોને 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે હોદ્દેદારોને પણ સંબોધન કરશે.

27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 508 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

August 06th, 11:30 am

નમસ્કાર, દેશના રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, આ કાર્યક્રમમાં દેશના ખૂણેખૂણેથી જોડાયેલા કેન્દ્રીય મંત્રીમંડળના અન્ય સભ્યો, વિવિધ રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય તમામ મહાનુભાવો, અને મારાં પ્રિય ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં 508 રેલવે સ્ટેશનોનાં નવીનીકરણ માટે શિલાન્યાસ કર્યો

August 06th, 11:05 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક ઐતિહાસિક પગલાં સ્વરૂપે આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સમગ્ર દેશમાં 508 રેલવે સ્ટેશનોના નવીનીકરણ માટે શિલાન્યાસ કર્યો હતો. રૂ. 24,470 કરોડથી વધારે ખર્ચે નવીનીકરણ થનારાં આ 508 સ્ટેશનો 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે, જેમાં ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં 55-55, બિહારમાં 49, મહારાષ્ટ્રમાં 44, પશ્ચિમ બંગાળમાં 37, મધ્યપ્રદેશમાં 34, અસમમાં 32, ઓડિશામાં 25, પંજાબમાં 22, ગુજરાત અને તેલંગાણામાં 21-21, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 18-18, હરિયાણામાં 15, કર્ણાટકમાં 13 સામેલ છે.

પ્રધાનમંત્રી શ્રીએ રત્નીપોરા માટે રેલ કનેક્ટિવિટીની પ્રશંસા કરી

May 11th, 06:14 pm

રેલવે મંત્રાલયે ટ્વીટ કર્યું છે કે અવંતીપોરા અને કાકાપોરા વચ્ચે રત્નીપોરા હોલ્ટની લાંબા સમયથી પડતર માંગ આખરે પૂરી થઈ ગઈ છે. આ હોલ્ટ સુલભ પરિવહન સાથે પ્રદેશમાં ગતિશીલતાને સરળ બનાવશે.

ભોપાલ અને નવી દિલ્હી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી બતાવીને શુભારંભ કરવાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 01st, 03:51 pm

સૌથી પહેલા તો, હું ઇન્દોર મંદિરમાં રામ નવમીના દિવસે જે દુર્ઘટના બની હતી તે અંગે મારું દુઃખ વ્યક્ત કરું છું. આ દુર્ઘટનામાં જે લોકો આપણને અકાળે છોડીને ચાલ્યા ગયા તેમને હું શ્રદ્ધાંજલિ આપું છું, તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્ત ભક્તો ઝડપથી સાજા થઇ જાય તેવી પણ હું પ્રાર્થના કરું છું.

પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશનાં ભોપાલમાં રાણી કમલાપતિ સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી

April 01st, 03:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશનાં ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશન પર ભોપાલ અને નવી દિલ્હી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. પ્રધાનમંત્રીએ સ્થળ પર પહોંચ્યા બાદ રાણી કમલાપતિ- નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસનું નિરીક્ષણ કર્યું હતું અને ટ્રેનનાં બાળકો અને ક્રૂ મેમ્બર્સ સાથે વાતચીત પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ 39મી પ્રગતિ ઇન્ટરેક્શનની અધ્યક્ષતા કરી

November 24th, 07:39 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિની 39મી આવૃત્તિની અધ્યક્ષતા કરી, જે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમાવિષ્ટ કરતું પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણ માટે ICT આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ છે.

પ્રધાનમંત્રીએ 37 મી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરી

August 25th, 07:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે સંકળાયેલા પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણ માટે આઇસીટી આધારિત મલ્ટી-મોડલ પ્લેટફોર્મ પ્રગતિની 37 મી આવૃત્તિની અધ્યક્ષતા કરી હતી.

પ્રધાનમંત્રીએ દુનિયાના સૌથી ઊંચા બ્રિજ, ચેનાબ બ્રિજના આર્ક ક્લોઝરના સંપન્ન થવા અંગે પ્રશંસા કરી

April 05th, 08:51 pm

પ્રધાનમંત્રીએ ભારતીય રેલવે દ્વારા જમ્મુ-કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા બ્રિજ ચેનાબ બ્રિજના આર્ક ક્લોઝરનું કાર્ય સંપન્ન થવા માટે પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ પ્રગતિની 35 બેઠકની અધ્યક્ષતા કરી

January 27th, 08:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અતિ-સક્રિય વહીવટ અને સમયસર અમલીકરણ માટે આઇસીટી આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ પ્રગતિની 35મી બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો સંકળાયેલી હોય છે.

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં 34મો પ્રગતિ વાર્તાલાપ યોજાયો

December 30th, 07:40 pm

આ વાર્તાલાપ દરમિયાન, આયુષમાન ભારત અને જળ જીવન મિશન કાર્યક્રમોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગ્રાહક બાબતોના મંત્રાલય સંબંધિત ફરિયાદો હાથ પર લેવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ આજે 33મી “પ્રગતિ” બેઠકની અધ્યક્ષતા કરી

November 25th, 08:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રીએ તેત્રીસમી વાર પ્રગતિ જે – પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણ માટે આઇસીટી આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો શામેલ છે તેમાં ક્રિયાપ્રતિક્રિયા આપી હતી.