ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પિપ્રહવા પવિત્ર અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 03rd, 12:00 pm

કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી, ગજેન્દ્ર સિંહ શેખાવતજી, કિરણ રિજિજુજી, રામદાસ અઠાવલેજી, રાવ ઇન્દ્રજીતજી, દિલ્હીના મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો, તેમને નીકળવું પડ્યું અને દિલ્હીના તમામ મંત્રીગણના સાથીઓ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાજી, Excellencies, Diplomatic communityના તમામ માનનીય સભ્યો, Buddhist Scholars, ધમ્મના અનુયાયીઓ, દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું

January 03rd, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના રાય પિથોરા કલ્ચરલ કોમ્પ્લેક્સ ખાતે ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન, જેનું શીર્ષક “ધ લાઈટ એન્ડ ધ લોટસ: રેલિક્સ ઓફ ધ અવેકન્ડ વન” છે, તેનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે એકસો પચ્ચીસ વર્ષની રાહ જોયા બાદ ભારતનો વારસો પરત આવ્યો છે, ભારતની વિરાસત પાછી આવી છે. તેમણે હાઇલાઇટ કર્યું કે આજથી ભારતના લોકો ભગવાન બુદ્ધના આ પવિત્ર અવશેષોના દર્શન કરી શકશે અને તેમના આશીર્વાદ મેળવી શકશે. શ્રી મોદીએ આ પવિત્ર અવશેષોના આગમન પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. તેમણે નોંધ્યું હતું કે બૌદ્ધ પરંપરા સાથે સંકળાયેલા સાધુઓ અને ધર્મ આચાર્યો પણ ઉપસ્થિત છે અને તેમની પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની ઉપસ્થિતિ આ કાર્યક્રમને નવી ઊર્જા આપી રહી છે. પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું કે 2026 ના પ્રારંભમાં જ આ શુભ ઉજવણી અત્યંત પ્રેરણાદાયી છે. તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભગવાન બુદ્ધના આશીર્વાદથી વર્ષ 2026 વિશ્વ માટે શાંતિ, સમૃદ્ધિ અને સંવાદિતાના નવા યુગની શરૂઆત કરે.

નેપાળમાં 2566મી બુદ્ધ જયંતી અને લુમ્બિની દિવસ 2022 કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનું સંબોધન

May 16th, 09:45 pm

ભૂતકાળમાં પણ, વૈશાખ પૂર્ણિમાના દિવસે, મને ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલી ઘટનાઓ માટે, તેમની સાથે સંકળાયેલાં દિવ્ય સ્થળોની મુલાકાત લેવાની તક મળતી રહી છે. અને આજે, મને ભારતના મિત્ર નેપાળમાં ભગવાન બુદ્ધનાં પવિત્ર જન્મસ્થળ લુમ્બિનીની મુલાકાત લેવાનો લહાવો મળ્યો છે. થોડા સમય પહેલા માયાદેવી મંદિરના દર્શન કરવાનો જે મોકો મળ્યો તે પણ મારા માટે અવિસ્મરણીય છે. ભગવાન બુદ્ધ પોતે જ્યાં જન્મ્યા હતા તે સ્થાન, ત્યાંની ઊર્જા, ત્યાંની ચેતના, તે એક અલગ જ અનુભૂતિ છે. મને એ જોઈને પણ આનંદ થાય છે કે 2014માં મેં આ સ્થાન પર જે મહાબોધિ વૃક્ષનો રોપો ભેંટ કર્યો હતો તે હવે વૃક્ષ બની રહ્યું છે.

નેપાળના લુમ્બિની ખાતે બુદ્ધ જયંતીની ઉજવણી

May 16th, 03:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના લુમ્બિની ખાતે ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર અને મેડિટેશન હોલમાં 2566મી બુદ્ધ જયંતીની ઉજવણીમાં હાજરી આપી હતી. તેમની સાથે નેપાળના પ્રધાનમંત્રી મહામહિમ શેર બહાદુર દેઉબા અને તેમના જીવનસાથી ડૉ. આરઝુ રાણા દેઉબા, નેપાળના માનનીય સંસ્કૃતિ, પર્યટન અને નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી પ્રેમ બહાદુર આલે, જેઓ લુમ્બિની ડેવલપમેન્ટ ટ્રસ્ટ (એલડીટી)ના અધ્યક્ષ છે, લુમ્બિનીના માનનીય મુખ્યમંત્રી શ્રી કુલ પ્રસાદ કે.સી., LDTના ઉપાધ્યક્ષ, આદરણીય મેત્તેય શાક્ય પુટ્ટા અને નેપાળ સરકારના કેટલાક મંત્રીઓ ઉપસ્થિત અન્ય મહાનુભાવોમાં સામેલ હતા.

પ્રધાનમંત્રીએ નેપાળના લુમ્બિનીમાં માયાદેવી મંદિરની મુલાકાત લીધી

May 16th, 11:59 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16 મે, 2022ના રોજ નેપાળના લુમ્બિનીમાં માયાદેવી મંદિરની તેમની લુમ્બિનીની એક દિવસીય મુલાકાતના પ્રથમ મુકામ તરીકે મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીની સાથે નેપાળના પ્રધાનમંત્રી Rt. માનનીય શેર બહાદુર દેઉબા અને તેમના જીવનસાથી ડો.આરઝુ રાણા દેઉબા પણ હતા.