પ્રધાનમંત્રી 8મી માર્ચે દિલ્હીમાં અંદાજે ₹33,500 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
March 06th, 05:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8મી માર્ચે બપોરે 12 વાગ્યાની આસપાસ દિલ્હીમાં અંદાજે ₹33,500 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધિત પણ કરશે. કાર્યક્રમ પહેલા, પ્રધાનમંત્રી સરોજિની નગરમાં GPRA ટાઇપ-5 ક્વાર્ટરની મુલાકાત લેશે અને મહિલા ફાળવણીકારોને ચાવીઓ સોંપશે.