પ્રધાનમંત્રી 22 સપ્ટેમ્બરે અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાની મુલાકાત લેશે

September 21st, 09:54 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરના રોજ અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાની મુલાકાત લેશે. તેઓ ઇટાનગરમાં ₹5,100 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. તેઓ એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.