પ્રધાનમંત્રીએ મલેશિયાના પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી

March 19th, 04:52 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છાઓની આપ-લે કરવા અને પશ્ચિમ એશિયામાં પ્રાદેશિક ચિંતાઓને સંબોધવા માટે મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ સાથે વાતચીત કરી હતી.

PM Modi addresses an enthusiastic public rally in Madurai, Tamil Nadu

March 01st, 04:30 pm

PM Modi addressed a massive public rally in Madurai, beginning his speech with deep reverence for Tamil Nadu’s spiritual heritage. He said he had just visited Tirupparankundram and received the darshan of Bhagwan Murugan, describing it as a truly pine experience. He said he prayed for the prosperity of Tamil Nadu and the entire nation.

મલેશિયામાં બિઝનેસ લીડર્સ સાથે પ્રધાનમંત્રીની બેઠક

February 08th, 02:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મલેશિયાના ચાર અગ્રણી ઉદ્યોગ સાહસિકો સાથે વાતચીત કરી હતી. તેઓ PETRONAS ના પ્રમુખ અને ગ્રુપ CEO ટેન શ્રી તેંગકુ મુહમ્મદ તૌફિક; Berjaya Corporation Berhadના સ્થાપક ટેન શ્રી દાતો સેરી વિન્સેન્ટ ટેન ચી યીઉન; Khazanah Nasional Berhad ના મેનેજિંગ ડિરેક્ટર દાતો અમીરુલ ફૈઝલ વાન ઝાહિર; અને Phison Electronics ના સ્થાપક દાતો પુઆ ખેઈન સેંગને મળ્યા હતા.

પ્રધાનમંત્રીએ ભારતીય ડાયસ્પોરાના પ્રતિષ્ઠિત સભ્યો સાથે વાર્તાલાપ કર્યો

February 08th, 02:48 pm

પ્રધાનમંત્રીએ આજે આમંત્રિત ભારતીય ડાયસ્પોરા નેતાઓ સાથે વાતચીત કરી હતી, જેમાં મંત્રીઓ, સેનેટર્સ, સંસદ સભ્યો અને આઝાદ હિંદ ફોજના (Indian National Army-INA) નિવૃત્ત સૈનિકો (veterans) નો સમાવેશ થાય છે. જેમાં ડિજિટલ મંત્રી તુઆન ગોબિંદ સિંહ દેવ; માનવ સંસાધન મંત્રી દાતો શ્રી રમણન રામકૃષ્ણન; પ્રધાનમંત્રી કાર્યાલયના નાયબ મંત્રી તુઆન એમ. કુલસેગરન અને રાષ્ટ્રીય એકતાના નાયબ મંત્રી તુઆન આર. યુનેશ્વરન, અન્યોની સાથે સામેલ હતા.

પ્રધાનમંત્રીએ મલેશિયાના પ્રધાનમંત્રી સાથે સત્તાવાર સંવાદ કર્યો

February 08th, 11:19 am

આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું મલેશિયાના પ્રધાનમંત્રી મહામહિમ દાતો' સેરી અનવર ઇબ્રાહિમ દ્વારા પર્ડાના પુત્ર સંકુલમાં સ્વાગત કરવામાં આવ્યું અને તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ, બંને નેતાઓ પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમના સત્તાવાર નિવાસસ્થાન સેરી પર્ડાના ખાતે મર્યાદિત અને પ્રતિનિધિમંડળ સ્તરના ફોર્મેટમાં મુલાકાત કરી હતી.

પરિણામોની યાદી: પ્રધાનમંત્રીની મલેશિયા મુલાકાત

February 08th, 11:05 am

ભારત પ્રજાસત્તાક સરકાર અને મલેશિયા સરકાર વચ્ચે ઓડિયો-વિઝ્યુઅલ સહ-ઉત્પાદન કરાર

મલેશિયાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય

February 08th, 08:35 am

સૌ પ્રથમ હું મારા નજીકના મિત્ર પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમનો ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ગત વર્ષે, હું ASEAN સમિટ માટે મલેશિયા આવી શક્યો ન હતો. પરંતુ મેં મારા પ્રિય મિત્રને વચન આપ્યું હતું કે હું શક્ય તેટલી વહેલી તકે મલેશિયાની મુલાકાત લઈશ. અને આજે 2026ના મારા પ્રથમ વિદેશ પ્રવાસ પર, હું મલેશિયા આવ્યો છું.

ભારતના પ્રધાનમંત્રીની મલેશિયાની સત્તાવાર મુલાકાત અવસર પર ભારત-મલેશિયા સંયુક્ત નિવેદન

February 08th, 08:30 am

ભારત પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ દાતો' સેરી અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર, મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ 7 થી 8 ફેબ્રુઆરી 2026 દરમિયાન મલેશિયાની સત્તાવાર મુલાકાત લીધી. આ મુલાકાત બંને દેશો વચ્ચેની ઊંડી મિત્રતા અને સભ્યતા પર આધારિત લોકો-થી-લોકોના સ્થાયી સંબંધોને પ્રતિબિંબિત કરે છે. તે ભારત-મલેશિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત અને વિસ્તૃત કરવા માટે બંને નેતાઓની સહિયારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરે છે.

મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

February 08th, 08:20 am

મારા મિત્ર, પ્રધાનમંત્રીજી હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. મારું અને મારા પ્રતિનિધિઓનું જે રીતે સ્વાગત કરવામાં આવ્યું, અને મેં જોયું કે પરંપરાઓથી હટીને એક પ્રકારથી મલેશિયાના જીવનને તમે થોડી જ કલાકોમાં અત્યંત સુંદર રીતે રજૂ કર્યું અને ઘણી જ ઉમદા રીતે તમામ વસ્તુઓનું ઓર્ગેનાઇઝ કર્યું, તે હંમેશા યાદ રહેશે અને તે માટે હું મારા હૃદયના ઊંડાણથી મારો ખાસ આભાર વ્યક્ત કરું છું. હું મિત્રતા શું છે, મિત્રતાની ઊંચાઈ અને ઊંડાઈ શું છે તે સંપૂર્ણપણે અનુભવી રહ્યો છું અને તે માટે હું તમારો ખૂબ આભારી છું.

મલેશિયામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન

February 07th, 03:59 pm

સૌ પ્રથમ, હું મારા પ્રિય મિત્ર, પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમનો આ સામુદાયિક ઉજવણીમાં જોડાવા બદલ આભાર માનું છું. ભારત-મલેશિયા મિત્રતાના વ્યાપ અને ભાવિ ક્ષમતા પર હમણાં જ તેમના ભાષણમાં આપેલા ખૂબ જ માયાળુ શબ્દો માટે પણ હું તેમનો આભાર માનું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કુઆલાલમ્પુર, મલેશિયામાં સામુદાયિક કાર્યક્રમને સંબોધિત કર્યો

February 07th, 03:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મલેશિયાના કુઆલાલમ્પુર ખાતે સામુદાયિક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અભિવાદનની ઉષ્મા સહિયારી સંસ્કૃતિની સુંદર વિવિધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે તેમના પ્રિય મિત્ર, પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમનો આ સામુદાયિક ઉજવણીમાં જોડાવા બદલ આભાર માન્યો હતો. તેમણે નોંધ્યું હતું કે પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પર આવ્યા હતા અને તેમને તેમની કારમાં કાર્યક્રમમાં લાવ્યા હતા. આ વિશેષ ભાવનાઓ પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમનો ભારત પ્રત્યેનો અને ત્યાં હાજર લોકો પ્રત્યેનો પ્રેમ અને આદર દર્શાવે છે, શ્રી મોદીએ ઉમેર્યું હતું.

કુઆલાલમ્પુર આગમન પર મલેશિયાના પ્રધાનમંત્રી દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું

February 07th, 02:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મલેશિયાના પ્રધાનમંત્રી મહામહિમ દાતો’ સેરી અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર 7-8 ફેબ્રુઆરી 2026 ના રોજ મલેશિયાની મુલાકાતે છે. પ્રધાનમંત્રીની 2015 પછી મલેશિયાની આ ત્રીજી મુલાકાત છે.

મલેશિયાની મુલાકાત પહેલા પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન

February 07th, 08:45 am

આજે હું મારા મિત્ર, પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર મલેશિયાની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યો છું.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મલેશિયાના કુઆલાલંપુરની સત્તાવાર મુલાકાત

February 04th, 04:17 pm

મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર, પ્રધાનમંત્રી મોદી 7-8 ફેબ્રુઆરી, 2026ના રોજ મલેશિયાની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મલેશિયાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને દ્વિપક્ષીય સહયોગની સંપૂર્ણ શ્રેણીની સમીક્ષા કરશે. તેઓ ભારતીય સમુદાયના સભ્યો, તેમજ ઉદ્યોગ અને વ્યવસાય પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરશે અને 10મા ભારત-મલેશિયા સીઈઓ ફોરમમાં ભાગ લેશે.

પહેલા મતદાનથી લઈને સ્ટાર્ટઅપ ઈન્ડિયા સુધી, પીએમ મોદીએ 'મન કી બાત'માં ભારતના યુવાનોની ઉજવણી કરી

January 25th, 11:30 am

આ વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ પર 'મન કી બાત'ના પહેલા એપિસોડમાં, પીએમ મોદીએ મતદાનના મહત્વ પર ભાર મૂક્યો અને ચૂંટણી પ્રક્રિયામાં સામેલ તમામ લોકોની પ્રશંસા કરી. તેમણે સ્ટાર્ટઅપ્સ, જળ સંરક્ષણ, ગુણવત્તા, સંસ્કૃતિ અને તહેવારો તેમજ સ્વચ્છતા જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વાત કરી. પીએમએ આવતા મહિને યોજાનારી ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ વિશે પણ વાત કરી, જેમાં વિશ્વભરના નિષ્ણાતો ભાગ લેશે.

22મા આસિયાન-ભારત શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રીની પ્રારંભિક ટિપ્પણી

October 26th, 02:20 pm

હું આસિયાનના સફળ અધ્યક્ષપદ બદલ પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું ભારતના 'રાષ્ટ્ર સંયોજક' તરીકે કાર્યક્ષમ રીતે સેવા આપવા બદલ ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ માર્કોસનો આભાર માનું છું. અને હું આસિયાનના નવા સભ્ય તરીકે તિમોર-લેસ્ટેનું સ્વાગત કરું છું.

કુઆલાલંપુરમાં 22મા આસિયાન-ભારત સમિટમાં પ્રધાનમંત્રીની ભાગીદારી

October 26th, 02:06 pm

22મું આસિયાન-ભારત સમિટ 26 ઓક્ટોબર 2025 ના રોજ યોજાયું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ સમિટમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી અને આસિયાન નેતાઓએ સંયુક્ત રીતે આસિયાન-ભારત સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી અને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટેની પહેલોની ચર્ચા કરી. ભારત-આસિયાન સમિટમાં પ્રધાનમંત્રીની આ 12મી ભાગીદારી હતી.

22મા આસિયાન-ભારત સમિટમાં પ્રધાનમંત્રીની ભાગીદારી

October 25th, 09:48 am

મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર, પ્રધાનમંત્રી મોદી 26 ઓક્ટોબર, 2025ના રોજ 22મા આસિયાન-ભારત સમિટમાં વર્ચ્યુઅલી ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી આપણી એક્ટ ઇસ્ટ પોલિસી અને ઇન્ડો-પેસિફિક વિઝન અનુસાર, આસિયાન નેતાઓ સાથે આસિયાન-ભારત સંબંધોમાં પ્રગતિની સંયુક્ત રીતે સમીક્ષા કરશે.

પ્રધાનમંત્રીએ મલેશિયાના પ્રધાનમંત્રી સાથે વાત કરી અને તેમને ASEAN અધ્યક્ષ પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા

October 23rd, 10:55 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ સાથે ઉષ્માભરી અને સૌહાર્દપૂર્ણ વાતચીત કરી હતી.

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં 17મી બ્રિક્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી મલેશિયાના પ્રધાનમંત્રીને મળ્યા

July 07th, 05:13 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં 17મી બ્રિક્સ સમિટ દરમિયાન મલેશિયાના પ્રધાનમંત્રી મહામહિમ અનવર બિન ઇબ્રાહિમ સાથે મુલાકાત કરી હતી.