પ્રધાનમંત્રીએ દિલ્હીના ચિત્તરંજન પાર્ક ખાતે દુર્ગા પૂજા ઉજવણીમાં ભાગ લીધો

September 30th, 09:24 pm

શ્રી મોદીએ કહ્યું હતું કે ચિત્તરંજન પાર્ક બંગાળી સંસ્કૃતિ સાથે તેના મજબૂત જોડાણ માટે વ્યાપકપણે જાણીતું છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ત્યાંની ઉજવણી ખરેખર આપણા સમાજમાં એકતા અને સાંસ્કૃતિક જીવંતતાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.

પ્રધાનમંત્રીએ મહાઅષ્ટમી પર સૌને શુભેચ્છા પાઠવી

September 30th, 09:11 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાઅષ્ટમીના શુભ અવસર પર સૌને શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ શુભ અવસર દરેકના જીવનમાં ખુશી, શાંતિ અને સારું સ્વાસ્થ્ય લાવે. શ્રી મોદીએ દેવીની પ્રાર્થના (સ્તુતિ)નો પાઠ પણ શેર કર્યો.