લદાખના ઉપરાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
August 20th, 09:47 pm
લદાખના ઉપરાજ્યપાલ શ્રી વિનય કુમાર સક્સેનાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રીએ કલમ 370 અને 35(A) રદ્દ કર્યાના સાત વર્ષ પૂર્ણ થવાના પ્રસંગને ચિહ્નિત કર્યો
August 05th, 02:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઐતિહાસિક કલમ 370 અને 35(A) રદ્દ કર્યાના સાત વર્ષ પૂર્ણ થવાના પ્રસંગને ચિહ્નિત કર્યો હતો, જેમાં તેમણે 5મી ઓગસ્ટ 2019ને સમાવેશી વિકાસ તરફની ભારતની યાત્રામાં એક સીમાચિહ્નરૂપ બાબત ગણાવી હતી.Participants of Viksit Vibrant Village Programme share their experiences with PM Modi
July 26th, 10:27 pm
PM Modi interacts with participants of the Viksit Vibrant Village Programme 2026, as MYBharat volunteers share inspiring stories from India's border villages. Participants recount how the journey transformed their perspectives through interactions with local communities, firsthand experiences of life in border villages and a deeper understanding of the spirit of Ek Bharat, Shreshtha Bharatવિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026 દરમિયાન પીએમના સંબોધનનો મૂળપાઠ
July 26th, 05:00 pm
સાથીઓ, વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ દરમિયાન મેં એક વિચાર યુવાનો સમક્ષ રાખ્યો હતો. વિચાર એ હતો કે કેમ નહીં યુવા સાથીઓ વર્ચ્યુઅલ માધ્યમના બદલે જમીન પર ઊતરીને ભારતને જાણે, ભારત સાથે જોડાય, ભારતને જીવવાનો પ્રયાસ કરે, ભારતને સમજે. ભારતના ગામડાઓમાં વિકસિત થવા માટે કેટલી આકાંક્ષાઓ છે એ ગામડાઓમાં જઈને ખબર પડે છે અને આપણા સીમાવર્તી ગામડાઓમાં વિકાસની આકાંક્ષા અને દેશભક્તિની ભાવના એ આપણે બરાબર - બરાબર અને ક્યારેક તો લાગે છે કે તેમના માટે પોતાનાથી વધુ દેશ હોય છે. દેશ પહેલાં બાકી બધી સુવિધાઓ પછી, આ આપણને સીમાવર્તી ગામડાઓમાં ખાસ અનુભવાય છે. અને એટલા માટે ઉદ્દેશ્ય એ હતો કે દેશના અલગ-અલગ જિલ્લાના યુવાનો હિમાચલ, ઉત્તરાખંડ અને લદાખના ગામડાઓની યાત્રા કરે. ત્યાં લોકો કેવી રીતે રહે છે? ખાનપાન કેવું છે? કામકાજ, સંસ્કૃતિ, જીવન વ્યવહાર આ બધી વાતો શું છે? પડકારો શું છે? દેશના પ્રથમ ગામમાં બેઠેલા લોકો દેશની સુરક્ષા માટે કેટલા જાગરૂક છે? દેશના અન્ય ભાગોથી તેમનો લગાવ, નિકટતા કેટલી છે? આ બધી બાબતોનો અનુભવ મારા દેશના નવજુવાનોને મળે. આ અમારો ઉદ્દેશ્ય હતો. અને જે ઉત્સાહ આખા દેશના યુવાનોમાં દેખાયો, તે અદ્ભુત છે. લગભગ 3 લાખ યુવાનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો અને તેમાંથી 400 થી વધુ યુવાનોની પસંદગી થઈ. આપ સૌ એક સપ્તાહ સુધી આ દૂર-સુદૂરના ગામડાઓમાં રહ્યા. અજાણી જગ્યા હતી તમારા માટે. તમે ત્યાંના જીવનને જીવવાનો પ્રયાસ કર્યો. તમે તેની અંદર ભળી ગયા. પોતાની સંસ્કૃતિને ત્યાંની સંસ્કૃતિ સાથે જોડી, કનેક્ટ કરી. એક ભારત શ્રેષ્ઠ ભારતનું આનાથી અને આનાથી ઉત્તમ ઉદાહરણ કદાચ જ કોઈ બીજું હોઈ શકે.PM Modi Interacts with Participants of Viksit Vibrant Village Programme 2026
July 26th, 04:30 pm
PM Modi today interacted with participants of the Viksit Vibrant Village Programme 2026, lauding the young friends of MY Bharat for their commendable work across the country. He highlighted the official redesignation of border settlements from the 'last' to the 'first villages' of India, noted the newly established infrastructure and praised the local inhabitants for living and breathing patriotism.પ્રધાનમંત્રી 26 જુલાઈએ 'વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026'ના સહભાગીઓ સાથે સંવાદ કરશે
July 25th, 11:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈ 2026ના રોજ સાંજે 4:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026'ના સહભાગીઓ સાથે સંવાદ કરશે.લેહમાં ‘તથાગતના પવિત્ર અવશેષોના પવિત્ર પ્રદર્શન’ના ઉદ્ઘાટન પર પ્રધાનમંત્રીએ આનંદ વ્યક્ત કર્યો
May 02nd, 06:59 pm
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ આદરણીય અવશેષો, જે કપિલવસ્તુમાં પિપ્રહવા સ્તૂપ સાથે જોડાયેલા છે અને ઓગણીસમી સદીના અંતિમ વર્ષોમાં ઉત્ખનન દરમિયાન મળી આવ્યા હતા, તે ભગવાન બુદ્ધના શાશ્વત ઉપદેશોને મૂર્ત સ્વરૂપ આપે છે.મુન્ડિયલ ડો ક્વેજો ડો બ્રાઝિલ 2026 માં ભારતીય ચીઝ ઉત્પાદકોની નોંધપાત્ર સિદ્ધિ બદલ પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા
April 22nd, 09:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુન્ડિયલ ડો ક્વેજો ડો બ્રાઝિલ 2026 (Mundial do Queijo do Brasil 2026) માં ભારતીય ચીઝ ઉત્પાદકોની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે, જે ચીઝ અને ડેરી ઉત્પાદનો માટેની એક જીવંત આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે. ચાર ભારતીય ઉત્પાદનોએ મેડલ જીત્યા છે, જેમાં 1 સુપર ગોલ્ડ, 2 ગોલ્ડ અને 1 સિલ્વરનો સમાવેશ થાય છે.લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
March 20th, 01:21 pm
લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનય કુમાર સક્સેના આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
January 05th, 01:25 pm
લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી કવિંદર ગુપ્તાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.ખગોળશાસ્ત્ર અને ખગોળીય ભૌતિકશાસ્ત્ર પર 18મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ માટે પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
August 12th, 04:34 pm
64 દેશોના 300થી વધુ ચમકતા તારાઓ સાથે જોડાવાનો આનંદ છે. ખગોળશાસ્ત્ર અને ખગોળીય ભૌતિકશાસ્ત્ર પર 18મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ માટે હું ભારતમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ભારતમાં: પરંપરા નવીનતાને મળે છે, આધ્યાત્મિકતા વિજ્ઞાનને મળે છે, અને જિજ્ઞાસા સર્જનાત્મકતાને મળે છે. સદીઓથી, ભારતીયો આકાશનું અવલોકન કરી રહ્યા છે અને મોટા પ્રશ્નો પૂછી રહ્યા છે. ઉદાહરણ તરીકે, 5મી સદીમાં, આર્યભટ્ટે શૂન્યની શોધ કરી હતી. તેઓ સૌપ્રથમ એવું પણ કહેતા હતા કે પૃથ્વી તેની ધરી પર ફરે છે. શાબ્દિક રીતે, તેમણે શૂન્યથી શરૂઆત કરી અને ઇતિહાસ રચ્યો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખગોળશાસ્ત્ર અને ખગોળીય ભૌતિકશાસ્ત્ર પરના 18મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડને સંબોધન કર્યુ
August 12th, 04:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક વિડિઓ સંદેશ દ્વારા ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર પર 18મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ 64 દેશોના 300થી વધુ સહભાગીઓ સાથે જોડાવાનો આનંદ વ્યક્ત કર્યો, અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ માટે તેમનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ભારતમાં, પરંપરા નવીનતાને મળે છે, આધ્યાત્મિકતા વિજ્ઞાનને મળે છે અને જિજ્ઞાસા સર્જનાત્મકતાને મળે છે. સદીઓથી, ભારતીયો આકાશનું નિરીક્ષણ કરી રહ્યા છે અને મોટા પ્રશ્નો પૂછી રહ્યા છે, શ્રી મોદીએ કહ્યું હતું. તેમણે આર્યભટ્ટનું ઉદાહરણ આપ્યું, જેમણે 5મી સદીમાં શૂન્યની શોધ કરી હતી અને પૃથ્વી તેની ધરી પર ફરે છે તેવું સૌપ્રથમ કહ્યું હતું. શાબ્દિક રીતે, તેમણે શૂન્યથી શરૂઆત કરી અને ઇતિહાસ રચ્યો! પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું.લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર પ્રધાનમંત્રીને મળ્યા
August 02nd, 07:13 pm
લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી કવિંદર ગુપ્તા આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.પ્રધાનમંત્રીએ 5મી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી
January 23rd, 07:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 5મી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025માં ભાગ લેનારા તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી.જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 13th, 12:30 pm
સૌ પ્રથમ, હું એવા શ્રમજીવી ભાઈઓનો આભાર માનું છું જેમણે દેશ અને જમ્મુ-કાશ્મીરની પ્રગતિ માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં, પોતાના જીવને જોખમમાં મૂકીને પણ કામ કર્યું. આપણા સાત સાથી કામદારોએ પોતાના જીવ ગુમાવ્યા, પણ અમે અમારા સંકલ્પથી ડગમગ્યા નહીં, મારા સાથી કાર્યકરો ડગમગ્યા નહીં, કોઈએ અમને ઘરે પાછા જવાનું કહ્યું નહીં, મારા આ સાથી શ્રમિકોએએ દરેક પડકારનો સામનો કરીને આ કાર્ય પૂર્ણ કર્યું છે. અને આજે, સૌ પ્રથમ, હું તે સાત કામદારોનું પૂણ્ય સ્મરણ કરું છું જેમને આપણે ગુમાવ્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું
January 13th, 12:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સભાને સંબોધતા, તેમણે જમ્મુ અને કાશ્મીર અને ભારતના વિકાસ માટે સખત મહેનત કરનારા અને પોતાના જીવનને દાવ પર લગાવનારા મજૂરોનો આભાર માન્યો. શ્રી મોદીએ ટિપ્પણી કરી કે પડકારો છતાં, અમારો સંકલ્પ ડગમગ્યો નહીં. તેમણે કામ પૂર્ણ કરવા માટે તમામ અવરોધોનો સામનો કરવા બદલ અને તેમના સંકલ્પ અને પ્રતિબદ્ધતા બદલ શ્રમિકોની પ્રશંસા કરી. તેમણે 7 મજૂરોના મૃત્યુ પર પણ શોક વ્યક્ત કર્યો.પ્રધાનમંત્રી 13 જાન્યુઆરીએ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે અને સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
January 11th, 05:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 જાન્યુઆરીએ જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગની મુલાકાત લેશે. સવારે લગભગ 11:45 વાગ્યે, તેઓ સોનમર્ગ ટનલની મુલાકાત લેશે અને ત્યારબાદ તેનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાંચ નવા જિલ્લાના નિર્માણ પર લદ્દાખના લોકોને અભિનંદન પાઠવ્યા
August 26th, 12:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાંચ નવા જિલ્લાઓની રચના માટે લદ્દાખના લોકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે જાંસ્કર, દ્રાસ, શામ, નુબરા અને ચાંગથાંગના નવા જિલ્લાઓ પર હવે વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે, જેનાથી લોકોની સેવાઓ અને તકો વધુ નજીક લાવશે.લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર પ્રધાનમંત્રીને મળ્યા
August 19th, 05:48 pm
લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બ્રિગેડ. (ડૉ.) બી.ડી. મિશ્રા આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.પ્રધાનમંત્રીએ કલમ 370 અને 35 (એ)ને નાબૂદ કર્યાનાં 5 વર્ષ પૂર્ણની ઉજવણી કરી
August 05th, 03:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કલમ 370 અને 35(A) નાબૂદ કરવાના સંસદના પાંચ વર્ષ જૂના નિર્ણયને યાદ કર્યો, તેને એક ઐતિહાસિક ક્ષણ ગણાવી, જે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં પ્રગતિ અને સમૃદ્ધિના નવા યુગની શરૂઆત કરી.