પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
April 16th, 09:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં થયેલી દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.કેબિનેટે મહારાષ્ટ્રમાં રૂ. 19,142 કરોડના ખર્ચે 374 કિમી લંબાઈના 6-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ નાસિક-સોલાપુર-અક્કલકોટ કોરિડોરના BOT (Toll) મોડ પર નિર્માણને મંજૂરી આપી
December 31st, 03:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે મહારાષ્ટ્ર રાજ્યમાં 374 કિમીની પ્રોજેક્ટ લંબાઈ અને રૂ. 19,142 કરોડના કુલ મૂડી ખર્ચ સાથે BOT (Toll) મોડ પર 6-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ નાસિક-સોલાપુર-અક્કલકોટ કોરિડોરના નિર્માણને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ નકશામાં દર્શાવેલ મુજબ, કુર્નૂલને જોડતા નાસિક, અહિલ્યાનગર, સોલાપુર જેવા મહત્વપૂર્ણ પ્રાદેશિક શહેરોને કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ માળખાગત સુવિધા પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન સિદ્ધાંત હેઠળ સંકલિત પરિવહન માળખાકીય વિકાસને સુવિધાજનક બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે.પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના કુરનૂલ જિલ્લામાં અકસ્માતમાં થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો
October 24th, 09:02 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના કુરનૂલ જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે મૃતકોના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી ₹2 લાખ અને ઘાયલોને ₹50,00 ની સહાયની જાહેરાત કરી.પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશની તેમની મુલાકાતની ઝલક શેર કરી
October 16th, 09:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશની તેમની મુલાકાતના મુખ્ય મુદ્દાઓ શેર કર્યા હતા. શ્રીશૈલમમાં, શ્રી મોદીએ શ્રી ભ્રમરમ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમમાં પ્રાર્થના કરી અને શ્રી શિવાજી ધ્યાન મંદિર અને શ્રી શિવાજી દરબાર હોલની મુલાકાત લીધી હતી. ત્યારબાદ, તેમણે કુર્નૂલમાં આશરે ₹13,430 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.આંધ્રપ્રદેશના કુર્નૂલમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 16th, 03:00 pm
આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીર, લોકપ્રિય અને મહેનતુ મુખ્યમંત્રી શ્રી ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય મંત્રીઓ કે. રામમોહન નાયડુ, ચંદ્રશેખર પેમ્માસાની, ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્મા, નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ, રાજ્ય મંત્રી નારા લોકેશ, અન્ય તમામ મંત્રીઓ, ભાજપ પ્રદેશ પ્રમુખ પી.વી.એન. માધવ, બધા સાંસદો, ધારાસભ્યો, અને મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા આવેલા બહેનો અને ભાઈઓ!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના કુર્નૂલમાં 13,430 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કર્યા
October 16th, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના કુર્નૂલમાં લગભગ રૂ. 13,430 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરી હતી રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ પ્રસંગે સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ અહોબિલમના ભગવાન નરસિંહ સ્વામી અને મહાનંદીના શ્રી મહાનંદીશ્વર સ્વામીને વંદન કર્યા હતા. તેમણે સૌના કલ્યાણ માટે મંત્રાલયમના ગુરુ શ્રી રાઘવેન્દ્ર સ્વામી પાસેથી આશીર્વાદ પણ માંગ્યા હતા.પીએમ 16મી ઓક્ટોબરે આંધ્રપ્રદેશની મુલાકાત લેશે
October 14th, 05:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી ઓક્ટોબરે આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. સવારે લગભગ 11:15 વાગ્યે, તે નંદ્યાલ જિલ્લામાં શ્રીશૈલમ, શ્રી ભ્રામરામ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમમાં પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ, બપોરે લગભગ 12:15 વાગ્યે, તેઓ શ્રીશૈલમમાં શ્રી શિવાજી સ્ફૂર્તિ કેન્દ્રની મુલાકાત લેશે.