ટીવી9 સમિટ 2026માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 23rd, 08:30 pm

સાથીઓ, આજે જ્યારે દુનિયા, conflicts (સંઘર્ષો) ને કારણે ગૂંચવાયેલી છે, જ્યારે આ સંઘર્ષોની દુષ્પ્રેરણા આખી દુનિયા પર દેખાઈ રહી છે, ત્યારે India and the world ની વાત કરવી ખૂબ જ પ્રાસંગિક છે. ભારત આજે એ દેશ છે, જેની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. 2014 પહેલાની સ્થિતિઓને પાછળ છોડીને આજે ભારત એક નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. હવે ભારત પડકારોને ટાળતું નથી પરંતુ પડકારો સામે ટકરાય છે. તમે છેલ્લા 5-6 વર્ષમાં જુઓ, કોરોનાની મહામારી પછી પડકારો એક પછી એક વધતા જ ગયા છે. એવું કોઈ વર્ષ નથી, જેણે ભારતની, ભારતીયોની પરીક્ષા ન લીધી હોય. પરંતુ 140 કરોડ દેશવાસીઓના એકજૂટ પ્રયાસથી ભારત દરેક આપત્તિનો સામનો કરતા આગળ વધી રહ્યું છે. આ સમયે યુદ્ધની પરિસ્થિતિઓમાં પણ ભારતની નીતિ અને વ્યૂહરચના જોઈને, ભારતનું સામર્થ્ય જોઈને દુનિયાના અનેક દેશો હેરાન છે. આપણે ત્યાં કહેવત છે, સાંચ કો આંચ નહીં. 28 ફેબ્રુઆરીથી દુનિયામાં જે ઉથલપાથલ મચી છે, આ કઠોર વિપરીત પરિસ્થિતિઓમાં પણ ભારત પ્રગતિના, વિકાસના, વિશ્વાસના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. આ 23 દિવસોમાં ભારતે પોતાની Relationship Building Capacity બતાવી છે, Decision Making Capacity બતાવી છે અને Crisis Management Capacity બતાવી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ TV-9 નેટવર્ક સમિટને સંબોધિત કરી

March 23rd, 08:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'ભારત અને વિશ્વ' થીમ પર આધારિત TV9 સમિટને સંબોધિત કરી હતી. અભૂતપૂર્વ અને ગંભીર વૈશ્વિક પરિસ્થિતિઓને સ્વીકારતા, પ્રધાનમંત્રીએ એક નિર્ણાયક વળાંક પર વિચારોના આદાનપ્રદાન માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનાવવા બદલ TV9 નેટવર્કની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આજે વિશ્વ જે ગંભીર પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યું છે તે અભૂતપૂર્વ અને અત્યંત ગંભીર છે, અને આની વચ્ચે TV9 નેટવર્કે વિચારો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ ઊભું કર્યું છે.

કોટા એરપોર્ટના શિલાન્યાસ સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 07th, 03:15 pm

હમણાં ગયા અઠવાડિયે જ મને રાજસ્થાનની યાત્રા પર આવવાનો અવસર મળ્યો હતો. અજમેરની પાવન ધરતી પરથી આપણે રાજસ્થાનના વિકાસ સાથે જોડાયેલા હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. તે જ કાર્યક્રમમાં રાજસ્થાનના 21 હજારથી વધુ નવયુવાન સાથીઓને નિમણૂક પત્રો પણ સોંપવામાં આવ્યા હતા. હવે અજમેર યાત્રાના થોડા જ દિવસો બાદ, આજે મને કોટા સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ એરપોર્ટ પ્રોજેક્ટને શરૂ કરવાનો અવસર મળી રહ્યો છે. એક જ અઠવાડિયામાં રાજસ્થાનમાં વિકાસના આ બે મોટા કાર્યક્રમોનો બહુ મોટો સંદેશ છે. આ જણાવે છે કે આજે રાજસ્થાન કઈ ગતિએ આગળ વધી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, યુવાનો માટે રોજગારની તકો હોય, ખેડૂતો અને માતાઓ-બહેનો માટેની યોજનાઓ હોય, રાજસ્થાનમાં દરેક ક્ષેત્રમાં તેઝીથી કામ થઈ રહ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોટા એરપોર્ટનો શિલાન્યાસ કર્યો; હાડોતી ક્ષેત્રના પરિવર્તન પર આપ્યો ભાર

March 07th, 02:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો સંદેશ દ્વારા કોટા એરપોર્ટના શિલાન્યાસ સમારોહને સંબોધિત કર્યો હતો, જે હાડોતી ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજસ્થાન અભૂતપૂર્વ ગતિએ પ્રગતિ કરી રહ્યું છે, અને આ નવું એરપોર્ટ આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે ઉદ્દીપક (catalyst) બનવા માટે તૈયાર છે.

અજમેર ખાતે વિકાસ કાર્યોના લોન્ચિંગ અને HPV વેક્સિનેશન માટેના રાષ્ટ્રવ્યાપી અભિયાન દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 28th, 12:00 pm

તીર્થરાજ પુષ્કર અને માતા સાવિત્રીની આ પાવન ભૂમિ પર, આજે મને આપ સૌની વચ્ચે આવવાનો, આપના આશીર્વાદ મેળવવાનો અવસર મળ્યો છે. આ મંચ પરથી હું સુરસુરાના તેજાજી ધામને, પૃથ્વીરાજની ભૂમિ અજમેરને પ્રણામ કરું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના અજમેરમાં રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાન અને ₹17,000 કરોડની વિકાસ પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યો

February 28th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અજમેરમાં એક જાહેર સભાને સંબોધિત કરી, જે રાજસ્થાનની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. પ્રધાનમંત્રીએ પ્રદેશના સાંસ્કૃતિક અને પરાક્રમી વારસાને શ્રદ્ધાંજલિ આપી, જેમાં સુરસુરામાં તેજાજી ધામ અને હાઇફાને મુક્ત કરાવવામાં જેમની ભૂમિકા હજુ પણ ઇઝરાયલમાં આદરણીય છે તેવા મેજર દલપત સિંહની બહાદુરીનો સમાવેશ થાય છે.

Cabinet approves development of Green Field Airport at Kota-Bundi (Rajasthan) at an estimated cost of Rs.1507.00 Crore

August 19th, 03:13 pm

The Cabinet Committee on Economic Affairs chaired by PM Modi has approved the development of Green Field Airport at Kota-Bundi in Rajasthan worth Rs.1507.00 Crore. The project aimed at addressing the anticipated traffic growth in the region includes construction of a Terminal Building spanning an area of 20,000 sqm capable of handling 1000 Peak Hour Passengers (PHP).

રાજસ્થાનના બિકાનેરમાં વિકાસ કાર્યોના શિલાન્યાસ અને ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

May 22nd, 12:00 pm

રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભજનલાલજી, પૂર્વ મુખ્યમંત્રી બહેન વસુંધરા રાજેજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો અશ્વિની વૈષ્ણવજી, અર્જુન રામ મેઘવાલજી, રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીજી, પ્રેમચંદજી, રાજસ્થાન સરકારના અન્ય મંત્રીઓ. સાંસદો અને ધારાસભ્યો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બિકાનેરમાં 26,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને શુભારંભ કરાવ્યો

May 22nd, 11:30 am

શ્રી મોદીએ કહ્યું કે તેઓ કરણી માતાના આશીર્વાદ લીધા પછી કાર્યક્રમમાં પહોંચ્યા છે. તેમણે ભાર મૂક્યો કે આ આશીર્વાદ વિકસિત ભારતનું નિર્માણ કરવાના રાષ્ટ્રના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. 26,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસનો ઉલ્લેખ કરતા, તેમણે દેશના વિકાસને આગળ વધારવામાં તેમના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે આ પરિવર્તનશીલ પહેલો માટે નાગરિકોને અભિનંદન આપ્યા હતા.

વિકસિત ભારત-વિકસિત રાજસ્થાન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ

February 16th, 11:30 am

વિકસિત ભારત-વિકસિત રાજસ્થાન, રાજસ્થાનની દરેક વિધાનસભામાંથી લાખો મિત્રો હાલમાં આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં સામેલ છે. હું તમને બધાને અભિનંદન આપું છું અને હું મુખ્યમંત્રીને પણ અભિનંદન આપું છું કે તેમણે મને ટેક્નોલોજીનો આટલો ઉત્કૃષ્ટ ઉપયોગ કરવાની અને તેને લોકો સુધી પહોંચાડવાની તક આપી છે. તમે થોડા દિવસ પહેલા જયપુરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિને જે આવકાર આપ્યો હતો તેનો માત્ર ભારતમાં જ નહીં પરંતુ ફ્રાંસમાં પણ પડઘો પડી રહ્યો છે. અને રાજસ્થાનના લોકોની આ જ તો ખાસિયત છે. આપણા રાજસ્થાનના ભાઈઓ અને બહેનો જેમના પર પણ પ્રેમ વરસાવે છે તેમાં કોઈ કસર છોડતા નથી. મને યાદ છે કે હું જ્યારે વિધાનસભાની ચૂંટણી વખતે રાજસ્થાન આવતો હતો ત્યારે તમે અમને આશીર્વાદ આપવા માટે કેવી રીતે દોડી આવતા હતા. તમે બધાએ મોદીની ગેરેન્ટીમાં વિશ્વાસ કર્યો, તમે બધાએ ડબલ એન્જિનની સરકાર બનાવી. અને તમે જુઓ, રાજસ્થાનની ડબલ એન્જિન સરકારે કેટલી ઝડપથી કામ કરવાનું શરૂ કર્યું છે. આજે રાજસ્થાનના વિકાસ માટે લગભગ 17 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સ રેલ, રોડ, સૌર ઊર્જા, પાણી અને એલપીજી જેવા વિકાસ કાર્યક્રમો સાથે સંબંધિત છે. આ પ્રોજેક્ટ્સ રાજસ્થાનના હજારો યુવાનોને રોજગાર આપશે. હું રાજસ્થાનના મારા તમામ સાથીઓને આ પ્રોજેક્ટ્સ માટે અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ 'વિકસિત ભારત વિકસિત રાજસ્થાન' કાર્યક્રમને સંબોધન કર્યું

February 16th, 11:07 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 'વિકસિત ભારત વિકસિત રાજસ્થાન' કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ રૂ. 17,000 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ માર્ગો, રેલવે, સૌર ઊર્જા, પાવર ટ્રાન્સમિશન, પેયજલ અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સહિત કેટલાંક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે.

PM Modi addresses Grand Public Rallies in poll-bound Rajasthan’s Baran, Kota and Karauli

November 21st, 12:00 pm

Ahead of the assembly election in poll-bound Rajasthan, PM Modi addressed grand public rallies in Baran, Kota and Karauli. He said, “The people of Mewar’s intent for change in favour of BJP are clearly visible in the whole of Rajasthan”.

'મન કી બાત' (104મો એપિસોડ) પ્રસારણ તારીખ: 27.08.2023

August 27th, 11:30 am

મારા પ્રિય પરિવારજનો નમસ્કાર! ‘મન કી બાત’ના ઓગસ્ટ એપિસોડમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મને યાદ નથી કે શ્રાવન મહિનામાં 'મન કી બાત' કાર્યક્રમ બે વાર યોજાયો હોય એવું ક્યારેય બન્યું હોય, પણઆ વખતે પણ એવું જ થઈ રહ્યું છે.શ્રાવન એટલે મહાશિવનો મહિનો, ઉત્સવ અને ઉલ્લાસનો મહિનો. ચંદ્રયાનની સફળતાએ આ ઉજવણીના વાતાવરણમાં અનેકગણો વધારો કર્યો છે.ચંદ્રયાનને ચંદ્ર સુધી પહોંચ્યે ત્રણ દિવસથી વધુ સમય થઈ ગયો છે. આ સફળતા એટલી મોટી છે કે તેના વિશે જેટલી ચર્ચા થાય એટલી ઓછી છે. આજે જ્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે મને મારી એક જૂની કવિતાની કેટલીક પંક્તિઓ યાદ આવી રહી છે...

પ્રધાનમંત્રીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા 'સુપોશિત મા' પહેલની પ્રશંસા કરી

February 21st, 11:26 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા 'સુપોશિત મા' પહેલની પ્રશંસા કરી છે. શ્રી બિરલાએ કોટાના રામગંજમંડી વિસ્તારમાં સુપોષિત મા અભિયાનનું ઉદ્ઘાટન કર્યું. આ પહેલનો ધ્યેય દરેક માતા અને બાળકને સ્વસ્થ રાખવાનો છે.

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના કોટામાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા પ્રત્યે શોક વ્યક્ત કર્યો

February 21st, 09:52 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના કોટામાં એક માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવવા બદલ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાને પણ મંજૂરી આપી છે.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ નિરાધાર પશુઓની સહાય કરવા બદલ નિવૃત્ત લશ્કરી અધિકારીઓની પ્રશંસા કરી

July 18th, 12:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય લશ્કરમાંથી મેજર તરીકે સેવાનિવૃત્ત થયેલા કોટા, રાજસ્થાનના નિવાસી પ્રમિલા સિંઘને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે પ્રમિલા સિંઘની સેવા અને દયાળુભાવ માટે પ્રશંસા કરી હતી. કોરોના દરમિયાન લોકડાઉનમાં મેજર પ્રમિલા સિંઘ (સેવાનિવૃત્ત)એ તેમના પિતા શ્યામવીર સિંઘ સાથે મળીને નિઃસહાય અને નિરાધાર પશુઓની સાર સંભાળ લીધી હતી, તેમના દુઃખ, દર્દ સમજીને તેમને મદદ કરવા માટે આગળ આવ્યા હતા. મેજર પ્રમિલા સિંઘ અને તેમના પિતાએ પોતાની અંગત બચતમાંથી શેરીઓમાં રખડતા તથા નિરાધાર પશુઓના ખોરાક અને સારસંભાળની વ્યવસ્થા કરી હતી. મેજર પ્રમિલા સિંઘના પ્રયાસોની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ તેમના પ્રયાસોને સમાજ માટે પ્રેરક ગણાવ્યા હતા.

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના કોટામાં બોટ ઉંધી થઇ જવાને કારણે થયેલ જાનહાનિ અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી

September 16th, 07:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના કોટામાં બોટ ઉંધી થઇ જવાને કારણે થયેલ જાનહાનિ અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

વડાપ્રધાને પાંચ લોકસભા બેઠકોના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી

November 03rd, 06:53 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા બુલંદશહર, કોટા, કોરબા, સીકર અને ટીકમગઢ લોકસભા બેઠકોના ભાજપના બૂથ વર્કર્સ સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચા ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમ હેઠળની છઠ્ઠી ચર્ચા હતી.