ઊર્જા સંસાધન સુરક્ષા અંગે ભારત - રિપબ્લિક ઓફ કોરિયાનું સંયુક્ત નિવેદન

April 20th, 10:56 pm

અમારી સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો મધ્યવર્તી સ્તંભ એક લાંબી અને વિશ્વસનીય આર્થિક અને ઊર્જા સંસાધન ભાગીદારી છે, જે ખુલ્લા બજારો અને નિયમ-આધારિત વેપાર પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતા પર આધારિત છે, જે અમારી સમૃદ્ધિ અને આર્થિક સુરક્ષાનો પાયો છે. આ સહિયારા સિદ્ધાંતોનો પુનરોચ્ચાર કરવો અને ઉદ્યોગો તથા બજારો પર વર્તમાન પરિસ્થિતિની અસરને સમજવી આ સમયે આવશ્યક છે.

શિપબિલ્ડિંગ, શિપિંગ અને મેરીટાઇમ લોજિસ્ટિક્સમાં ભાગીદારી માટે ભારત-ROK વ્યાપક માળખું

April 20th, 10:51 pm

20 એપ્રિલ 2026 ના રોજ રિપબ્લિક ઓફ કોરિયા (ROK) ના રાષ્ટ્રપતિ એચ.ઈ. શ્રી લી જે મ્યુંગની ભારતની સત્તાવાર મુલાકાત પ્રસંગે ભારતના પ્રધાનમંત્રી એચ.ઈ. શ્રી નરેન્દ્ર મોદી અને તેમની વચ્ચે થયેલી બેઠક દરમિયાન, બંને પક્ષોએ શિપબિલ્ડિંગ (જહાજ નિર્માણ), શિપિંગ અને મેરીટાઇમ લોજિસ્ટિક્સમાં ભાગીદારી માટે તેમની સરકારી એજન્સીઓ અને ખાનગી સંસ્થાઓ વચ્ચે પરસ્પર ફાયદાકારક સહયોગ પર વિચારોનું ઉત્પાદક અને ઊંડાણપૂર્વક આદાનપ્રદાન કર્યું હતું.

રિપબ્લિક ઓફ કોરિયાના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

April 20th, 01:05 pm

કોરિયાના રાષ્ટ્રપતિની આઠ વર્ષના અંતરાલ પછીની આ ભારત મુલાકાત ખૂબ જ મહત્વની છે. લોકશાહી મૂલ્યો, બજાર અર્થતંત્ર અને કાયદાના શાસન પ્રત્યે આદર એ આપણા બંને રાષ્ટ્રોના ડીએનએ (DNA) માં ઊંડે સુધી વસેલા છે. અમે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર પણ સમાન દૃષ્ટિકોણ ધરાવીએ છીએ. આ સહિયારા સિદ્ધાંતોના આધારે, છેલ્લા એક દાયકામાં આપણા સંબંધો વધુ ગતિશીલ અને વ્યાપક બન્યા છે.

G-7 સમિટની સાથે પ્રધાનમંત્રી કોરિયાના રાષ્ટ્રપતિને મળ્યા

June 18th, 03:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 જૂન 2025ના રોજ કેનેડાના કનાનાસ્કિસમાં 51માં G7 સમિટની સાથે કોરિયાના રાષ્ટ્રપતિ શ્રી લી જે-મ્યુંગને મળ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે ભારત અને કોરિયા વાણિજ્ય, રોકાણ, ટેકનોલોજી, ગ્રીન હાઇડ્રોજન, શિપબિલ્ડિંગ વગેરે ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા માંગે છે.

પ્રધાનમંત્રીએ શ્રી લી જે-મ્યુંગને કોરિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા

June 04th, 08:38 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શ્રી લી જે-મ્યુંગને કોરિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા.

પ્રધાનમંત્રી એ ભારત અને રિપબ્લિક ઓફ કોરિયા વચ્ચેના રાજદ્વારી સંબંધોના 50 વર્ષની ઉજવણી કરી

December 10th, 12:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત અને રિપબ્લિક ઓફ કોરિયા વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા પર રિપબ્લિક ઓફ કોરિયાના રાષ્ટ્રપતિ શ્રી યુન સુક યોલને તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ પાઠવી છે. પરસ્પર આદર, વહેંચાયેલ મૂલ્યો અને વધતી જતી ભાગીદારીની સફરને રેખાંકિત કરતાં, પ્રધાનમંત્રી શ્રી યુન સુક યેઓલ સાથે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ અને વિસ્તૃત કરવા માટે નજીકથી કામ કરવા આતુર છે.