દિલ્હીના યશોભૂમિ ખાતે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2025માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 04th, 10:45 am
મારા કેબિનેટ સાથીદાર જ્યોતિરાદિત્ય સિંધિયાજી, રાજ્યમંત્રી ચંદ્રશેખર પેમ્માસાનીજી, વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ, વિદેશથી આવેલા અમારા મહેમાનો, ટેલિકોમ ક્ષેત્રના બધા મહાનુભાવો, અહીં હાજર વિવિધ કોલેજોના મારા યુવા સાથીદારો, મહિલાઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કૌશલ્ય દિક્ષાંત સમારોહને સંબોધિત કરતી વખતે ₹62,000 કરોડથી વધુ મૂલ્યના યુવા-કેન્દ્રિત પહેલો શરૂ કરી
October 04th, 10:29 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત કૌશલ્ય દિક્ષાંત સમારોહમાં ₹62,000 કરોડથી વધુની વિવિધ યુવા-કેન્દ્રિત પહેલો શરૂ કરી હતી. દેશભરના ITIના લાખો વિદ્યાર્થીઓ તેમજ બિહારના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે થોડા વર્ષો પહેલા સરકારે ITI વિદ્યાર્થીઓ માટે મોટા પાયે દીક્ષાંત સમારોહ યોજવાની નવી પરંપરા શરૂ કરી હતી. તેમણે કહ્યું કે આજે તે પરંપરામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે.પ્રધાનમંત્રી 4 ઓક્ટોબરના રોજ 62,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ યુવા-કેન્દ્રિત પહેલોનું અનાવરણ કરશે
October 03rd, 03:54 pm
એક ઐતિહાસિક યુવા વિકાસ પહેલમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ₹62,000 કરોડથી વધુની વિવિધ યુવા-કેન્દ્રિત પહેલોનું અનાવરણ કરશે, જે દેશભરમાં શિક્ષણ, કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતાને નિર્ણાયક પ્રોત્સાહન આપશે. આ કાર્યક્રમમાં કૌશલ્ય દિક્ષાંત સમારોહનો પણ સમાવેશ થશે, જે પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ રાષ્ટ્રીય કૌશલ્ય દિક્ષાંત સમારોહનું ચોથું સંસ્કરણ છે, જ્યાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના 46 અખિલ ભારતીય ટોચના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.કૌશલ દીક્ષાંત સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
October 12th, 01:00 pm
દરેક દેશની વિવિધ શક્તિઓ હોય છે, જેમ કે કુદરતી સંસાધનો, ખનિજ સંસાધનો અથવા લાંબા દરિયાકિનારા. પરંતુ આ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે, એક મહત્વપૂર્ણ શક્તિની જરૂર છે, તે છે યુવા શક્તિ. અને આ યુવા શક્તિ જેટલી મજબૂત હશે તેટલો દેશનો વિકાસ થશે અને દેશના સંસાધનોને વધુ ન્યાય મળશે. આજે, ભારત આ વિચારથી તેના યુવાનોને સશક્ત બનાવી રહ્યું છે અને સમગ્ર ઇકોસિસ્ટમમાં અભૂતપૂર્વ સુધારાઓ કરી રહ્યું છે. અને આમાં પણ દેશનો અભિગમ દ્વિપક્ષીય છે. અમે અમારા યુવાનોને કૌશલ્ય અને શિક્ષણ દ્વારા નવી તકોનો લાભ લેવા માટે તૈયાર કરી રહ્યા છીએ. લગભગ 4 દાયકા પછી, અમે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લઈને આવ્યા છીએ. અમે મોટી સંખ્યામાં નવી મેડિકલ કોલેજો, આઈઆઈટી, આઈઆઈએમ અથવા આઈટીઆઈ જેવી કૌશલ્ય વિકાસ સંસ્થાઓ ખોલી છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ કરોડો યુવાનોને તાલીમ આપવામાં આવી છે. બીજી તરફ, અમે રોજગારી પૂરી પાડતા પરંપરાગત ક્ષેત્રોને પણ મજબૂત બનાવી રહ્યા છીએ. અમે નવા ક્ષેત્રોને પણ પ્રોત્સાહન આપી રહ્યા છીએ જે રોજગાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપે છે. આજે ભારત માલની નિકાસ, મોબાઈલ નિકાસ, ઈલેક્ટ્રોનિક નિકાસ, સેવાઓની નિકાસ, સંરક્ષણ નિકાસ અને ઉત્પાદન ક્ષેત્રે નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. અને તે જ સમયે, ભારત તમારા જેવા યુવાનો માટે અવકાશ, સ્ટાર્ટઅપ્સ, ડ્રોન, એનિમેશન, ઇલેક્ટ્રિક વાહનો, સેમિકન્ડક્ટર વગેરે જેવા ઘણા ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં નવી તકોનું સર્જન કરી રહ્યું છે.પ્રધાનમંત્રીએ વીડિયો સંદેશ મારફતે કૌશલ દિક્ષાંત સમારંભ 2023ને સંબોધન કર્યું
October 12th, 12:49 pm
પ્રધાનમંત્રી મોદીએ કોઈ પણ દેશની કુદરતી કે ખનિજ સંસાધનો અથવા તેના લાંબા દરિયાકિનારા જેવી શક્તિઓનો ઉપયોગ કરવા માટે યુવાનોની શક્તિના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, દેશનો વિકાસ યુવાશક્તિને વધુ મજબૂત બનાવવા સાથે થાય છે, જેથી દેશનાં સંસાધનોને ન્યાય મળે છે. આજે પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આવી જ વિચારસરણી ભારતનાં યુવાનોને સશક્ત બનાવી રહી છે, જે સંપૂર્ણ ઇકોસિસ્ટમમાં અભૂતપૂર્વ સુધારો કરી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આમાં દેશનો અભિગમ દ્વિઆયામી છે. તેમણે સમજાવ્યું હતું કે, ભારત પોતાનાં યુવાનોને કૌશલ્ય અને શિક્ષણ મારફતે નવી તકોનો લાભ લેવા માટે તૈયાર કરી રહ્યું છે, કારણ કે તેમણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર પ્રકાશ પાડ્યો હતો, જેની સ્થાપના આશરે 4 દાયકા પછી થઈ છે. પ્રધાનમંત્રીએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, સરકાર મોટી સંખ્યામાં નવી મેડિકલ કોલેજો અને આઇઆઇટી, આઇઆઇએમ કે આઇટીઆઇ જેવી કૌશલ્ય વિકાસ સંસ્થાઓની સ્થાપના કરી રહી છે તથા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ તાલીમ પામેલા કરોડો યુવાનોનો ઉલ્લેખ કર્યો હતો. બીજી તરફ, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે રોજગારી પૂરી પાડતા પરંપરાગત ક્ષેત્રોને પણ મજબૂત કરવામાં આવી રહ્યા છે, ત્યારે રોજગાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપતા નવા ક્ષેત્રોને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ભારત દ્વારા ચીજવસ્તુઓની નિકાસ, મોબાઇલ નિકાસ, ઇલેક્ટ્રોનિક નિકાસ, સેવાઓની નિકાસ, સંરક્ષણ નિકાસ અને ઉત્પાદનમાં નવા વિક્રમો બનાવવાનો ઉલ્લેખ પણ કર્યો હતો તથા સાથે સાથે સ્પેસ, સ્ટાર્ટઅપ, ડ્રોન, એનિમેશન, ઇલેક્ટ્રિક વાહનો, સેમિકન્ડક્ટર વગેરે જેવા અનેક ક્ષેત્રોમાં યુવાનો માટે મોટી સંખ્યામાં નવી તકો ઊભી કરવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.