પ્રધાનમંત્રી 28 માર્ચના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે

March 26th, 09:52 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 માર્ચ 2026 ના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. સવારે અંદાજે 11:30 વાગ્યે, તેઓ જેવર, ગૌતમ બુદ્ધ નગર ખાતે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું નિરીક્ષણ (walkthrough) કરશે. ત્યારબાદ, બપોરે અંદાજે 12 વાગ્યે, પ્રધાનમંત્રી નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના ફેઝ-I નું ઉદ્ઘાટન કરશે અને આ પ્રસંગે જાહેર જનતાને સંબોધિત કરશે.

કોટા એરપોર્ટના શિલાન્યાસ સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 07th, 03:15 pm

હમણાં ગયા અઠવાડિયે જ મને રાજસ્થાનની યાત્રા પર આવવાનો અવસર મળ્યો હતો. અજમેરની પાવન ધરતી પરથી આપણે રાજસ્થાનના વિકાસ સાથે જોડાયેલા હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. તે જ કાર્યક્રમમાં રાજસ્થાનના 21 હજારથી વધુ નવયુવાન સાથીઓને નિમણૂક પત્રો પણ સોંપવામાં આવ્યા હતા. હવે અજમેર યાત્રાના થોડા જ દિવસો બાદ, આજે મને કોટા સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ એરપોર્ટ પ્રોજેક્ટને શરૂ કરવાનો અવસર મળી રહ્યો છે. એક જ અઠવાડિયામાં રાજસ્થાનમાં વિકાસના આ બે મોટા કાર્યક્રમોનો બહુ મોટો સંદેશ છે. આ જણાવે છે કે આજે રાજસ્થાન કઈ ગતિએ આગળ વધી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, યુવાનો માટે રોજગારની તકો હોય, ખેડૂતો અને માતાઓ-બહેનો માટેની યોજનાઓ હોય, રાજસ્થાનમાં દરેક ક્ષેત્રમાં તેઝીથી કામ થઈ રહ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોટા એરપોર્ટનો શિલાન્યાસ કર્યો; હાડોતી ક્ષેત્રના પરિવર્તન પર આપ્યો ભાર

March 07th, 02:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો સંદેશ દ્વારા કોટા એરપોર્ટના શિલાન્યાસ સમારોહને સંબોધિત કર્યો હતો, જે હાડોતી ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજસ્થાન અભૂતપૂર્વ ગતિએ પ્રગતિ કરી રહ્યું છે, અને આ નવું એરપોર્ટ આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે ઉદ્દીપક (catalyst) બનવા માટે તૈયાર છે.

ઉત્તર પ્રદેશના વારાણસીમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 20th, 04:54 pm

મંચ પર હાજર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જી, આ કાર્યક્રમ સાથે ટેકનોલોજી દ્વારા જોડાયેલા અન્ય રાજ્યોના આદરણીય રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી શ્રી નાયડુ જી, ટેકનોલોજી દ્વારા જોડાયેલ કેન્દ્રીય મંત્રીમંડળના અન્ય સભ્યો, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રીઓ, કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક જી, યુપી સરકારના અન્ય મંત્રીઓ, સંસદના સભ્યો અને ધારાસભ્યો અને બનારસના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું

October 20th, 04:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઉત્તર પ્રદેશના વારાણસીમાં અનેક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું. આજના પ્રોજેક્ટ્સમાં રૂ. 6,100 કરોડથી વધુની કિંમતના અનેક એરપોર્ટ પ્રોજેક્ટ્સ અને વારાણસીમાં બહુવિધ વિકાસ પહેલનો સમાવેશ થાય છે.

ઉત્તર પ્રદેશમાં જેવર ખાતે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટની ભૂમિ પૂજન વિધિ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 25th, 01:06 pm

ઉત્તર પ્રદેશના લોકપ્રિય કર્મયોગી મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, અહિના કર્મઠ અમારા જૂના સાથી ઉપ મુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સહયોગી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી, જનરલ વી કે સિંહજી, સંજીવ બલિયાનજી, એસ પી સિંહ બધેલજી, બી.એલ. વર્માજી, ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીશ્રી લક્ષ્મી નારાયણ ચૌધરીજી, શ્રી જય પ્રતાપ સિંહજી, શ્રીકાંત શર્માજી, ભૂપેન્દ્ર ચૌધરીજી, શ્રી નંદગોપાલ ગુપ્તાજી, અનિલ શર્માજી, ધર્મ સિંહ સૈનીજી, અશોક કટારિયાજી, શ્રી જી. એસ. ધર્મેશજી, સંસદમાં મારા સાથી ડોક્ટર મહેશ શર્માજી, શ્રી સુરેન્દ્ર સિંહ નાગરજી, શ્રી ભોલા સિંહજી, સ્થાનિક ધારાસભ્ય શ્રી ધિરેન્દ્ર સિંહજી, મંચ પર બિરાજમાન અન્ય તમામ લોક પ્રતિનિધિગણ અને મોટી સંખ્યામાં અહીં સૌને આશીર્વાદ આપવા માટે પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશમાં નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથકનો શિલાન્યાસ કર્યો

November 25th, 01:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથકનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, જનરલ વી.કે. સિંહ, શ્રી સંજીવ બલિયાન, શ્રી એસ.પી. સિંહ બઘેલ અને શ્રી બી. એલ. વર્મા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી 25 નવેમ્બરે નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથકનો શિલાન્યાસ કરશે

November 23rd, 09:29 am

ઉત્તરપ્રદેશ સમગ્ર ભારતમાં પાંચ આંતરરાષ્ટ્રીય હવાઇમથક ધરાવતું એકમાત્ર રાજ્ય બનવા જઇ રહ્યું છે કારણ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બર 2021ના રોજ બપોરે 1 વાગ્યે ઉત્તરપ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં જેવાર ખાતે નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથક (NIA)નો શિલાન્યાસ કરશે.