શ્રી એન્ડી જેસી પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી

June 25th, 02:30 pm

એમેઝોનના CEO શ્રી એન્ડી જેસીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારતમાં એમેઝોનનું રેકોર્ડ $48 બિલિયનનું રોકાણ વિશ્વભરમાં ભારતમાં રોકાણ કરવા માટે વધી રહેલી રુચિ દર્શાવે છે.

તારકેશ્વર, પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ બંગાળ દિવસની ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 20th, 05:13 pm

બાબા તારકનાથ અને બંગાળની આ પુણ્ય ભૂમિ પશ્ચિમ બંગાળ દિવસની આ ઐતિહાસિક તારીખ અને આટલી મોટી સંખ્યામાં આપ સૌની ઉપસ્થિતિ આજે ચૂંટણી અને શપથ ગ્રહણ પછી મને પહેલીવાર આપની વચ્ચે આવવાનું સૌભાગ્ય મળ્યું છે. બંગાળની હવામાં હવે એક નવી તાજગી છે, અહીંના કણેકણમાંથી એક નવી ખુશબો આવી રહી છે, એવું લાગી રહ્યું છે, જાણે બંગાળ હવે બેડીઓમાંથી આઝાદ થઈ ગયું છે. જાણે બંગાળનું ગૌરવ પાછું લાવવાનું કામ શરૂ થઈ ગયું છે. આજનો આ કાર્યક્રમ સાક્ષી છે, આ પરિયોજનાઓનો શુભારંભ ગવાહ છે કે આપણું બંગાળ પોતાના નવા ભવિષ્યના નિર્માણમાં લાગી ગયું છે. બંગાળના લોકોના ચહેરા પરની આ ચમક, ગામડે-ગામડે ખુશી અને વિશ્વાસનો ભાવ, હું આપના આ આનંદમાં ભાગીદાર બનવા માટે આવ્યો છું. આપનો એક વોટ, એક ચૂંટણી, કેટલું બધું પરિવર્તન લાવી શકે છે, તે બંગાળમાં સાફ-સાફ નજર આવી રહ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હુગલી, પશ્ચિમ બંગાળ ખાતે ‘પશ્ચિમ બંગાળ દિવસ’ (પશ્ચિમબંગ દિવસ) ઉજવણીમાં ભાગ લીધો

June 20th, 05:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'પશ્ચિમબંગ દિવસ' (પશ્ચિમ બંગાળ દિવસ) ની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ રાજ્ય કક્ષાની ઉજવણી ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સાથે જોડાયેલા ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળ તારકેશ્વર, હુગલી ખાતે યોજાઈ રહી છે. આ વર્ષના પશ્ચિમબંગ દિવસની થીમ: “પશ્ચિમ બંગાળ: વિરાસત, સંવાદિતા અને વિકાસ” (West Bengal: Heritage, Harmony and Development) રાજ્યની સાંસ્કૃતિક સમૃદ્ધિ, સામાજિક એકતા અને વિકાસની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત પ્રોત્સાહનોનું વિતરણ કરતી વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 19th, 05:15 pm

મંત્રીમંડળના મારા સાથી શ્રી મનસુખ માંડવિયાજી, બહેન શોભાજી, દેશના વિવિધ ભાગોના અલગ-અલગ કાર્યક્રમોમાં જોડાયેલા, ટેકનોલોજીથી જોડાયેલા તમામ મહાનુભાવ, અને જેમ હમણાં મંચ સંચાલક જણાવી રહ્યા હતા કે, 200 સ્થાનો પર આશરે બે લાખ લોકો અત્યારે આ કાર્યક્રમમાં અમારી સાથે જોડાયેલા છે, હું તે બધાને પણ ભલે દૂરથી જ સાચું, પરંતુ દિલથી આપ સૌને મારી શુભેચ્છાઓ આપું છું. ઉદ્યોગ જગત સાથે પણ જોડાયેલા બહુ બધા મહાનુભાવ હું આજે અહીં જોઈ રહ્યો છું, અને યુવા સાથીઓનો ઉત્સાહ તો ધ્યાનમાં આવે જ આવે છે, આટલી મોટી સંખ્યામાં.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ આશરે ₹2,400 કરોડના પ્રોત્સાહનોનું વિતરણ કર્યું

June 19th, 05:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના સાથે સંકળાયેલા લાભાર્થીઓ, ઉદ્યોગના પ્રતિનિધિઓ અને હિતધારકોને સંબોધિત કર્યા હતા, અને ભારતના યુવાનોને સશક્ત બનાવવા તથા દેશભરમાં રોજગાર નિર્માણને વેગ આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. શ્રી મોદીએ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM-VBRY) હેઠળ આશરે ₹2,400 કરોડના પ્રોત્સાહનોનું વિતરણ કર્યું હતું, જે ભારત સરકારની આ ફ્લેગશિપ રોજગાર-લિંક્ડ પ્રોત્સાહન યોજનાના અમલીકરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને વિવિધ ક્ષેત્રોમાં સામાજિક સુરક્ષા કવચનો વિસ્તાર કરે છે. આ પ્રોત્સાહને દેશભરમાં 15 લાખ રોજગારીની તકોના નિર્માણને ટેકો આપ્યો છે.

પ્રધાનમંત્રીએ ભારતમાં વધતી જતી વૈશ્વિક ભાગીદારી અને રોકાણ પર પ્રકાશ પાડ્યો

June 19th, 02:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતની એક સારા ગ્રહ માટે યોગદાન આપવાની તૈયારી પર પ્રકાશ પાડ્યો અને નોંધ્યું કે વિશ્વ આશા અને ઉત્સાહ સાથે ભારતમાં જોડાઈ રહ્યું છે અને રોકાણ કરી રહ્યું છે.

પેરિસમાં ભારતીય સમુદાયના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 18th, 11:41 pm

જે રીતે તમે, ફ્રાન્સમાં ભારતીય સમુદાયે, 21મી સદીના ભારત-ફ્રાન્સ સંબંધોમાં જોડાણો બનાવ્યા છે તે અમારી વ્યૂહાત્મક ભાગીદારી માટે એક જબરદસ્ત તાકાત બની ગઈ છે. હું તમને 1.4 અબજ સાથી ભારતીયોની શુભેચ્છાઓ પાઠવું છું. આ ઉષ્માભર્યા અને પ્રેમાળ સ્વાગત માટે હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું.

પ્રધાનમંત્રીએ પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો

June 18th, 09:30 pm

પ્રધાનમંત્રીએ 18 જૂન 2026ના રોજ પેરિસમાં ભારતીય સમુદાયના એક વિશાળ મેળાવડાને સંબોધિત કર્યો હતો. સ્થળ પર પહોંચતા જ પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું અને રંગારંગ સ્વાગત કરવામાં આવ્યું હતું, જે માતૃભૂમિ પ્રત્યે પ્રવાસી ભારતીયોના ઊંડા સ્નેહને પ્રતિબિંબિત કરે છે.

પ્રધાનમંત્રીએ ભારત-યુકે વ્યાપક આર્થિક અને વ્યાપાર કરારને દ્વિપક્ષીય સંબંધો માટે એક ઐતિહાસિક માઈલસ્ટોન ગણાવ્યો

June 17th, 10:03 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આનંદ વ્યક્ત કર્યો છે કે ભારત-યુકે વ્યાપક આર્થિક અને વ્યાપાર કરાર 15 જુલાઈ 2026ના રોજ અમલમાં આવશે.

G7 સમિટ દરમિયાન યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ સાથે પ્રધાનમંત્રીની બેઠક

June 17th, 06:43 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એવિયન ખાતે G7 સમિટ દરમિયાન યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ મહામહિમ શ્રી એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ મહામહિમ સુશ્રી ઉર્સુલા વોન ડેર લેયેન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

G7 સમિટ દરમિયાન એવિયનમાં જર્મનીના ચાન્સેલર સાથે પ્રધાનમંત્રીની મુલાકાત

June 17th, 05:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના એવિયન ખાતે G7 સમિટ દરમિયાન જર્મનીના ચાન્સેલર મહામહિમ શ્રી ફ્રેડરિક મર્ઝ સાથે મુલાકાત કરી હતી. આ વર્ષે બંને નેતાઓ વચ્ચે આ બીજી બેઠક છે.

G7 સમિટ અંતર્ગત પ્રધાનમંત્રીએ યુનાઇટેડ આરબ અમીરાતના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

June 17th, 12:38 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના એવિયનમાં G7 સમિટ અંતર્ગત યુનાઇટેડ આરબ અમીરાતના રાષ્ટ્રપતિ, હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. 2026માં બંને નેતાઓ વચ્ચે આ ત્રીજી મુલાકાત હતી, જે ભારત-UAE વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની મજબૂતી અને જીવંતતા દર્શાવે છે.

પ્રધાનમંત્રી સ્લોવાક રિપબ્લિકના રાષ્ટ્રપતિને મળ્યા

June 15th, 11:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રાતિસ્લાવાના રાષ્ટ્રપતિ ભવનમાં સ્લોવાક રિપબ્લિકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પીટર પેલેગ્રિની સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ સ્લોવાક પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

June 15th, 05:40 pm

બંને નેતાઓએ વ્યક્તિગત અને પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી. તેમણે દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક ભાગીદારીના સ્તર પર લાવવાના નિર્ણયને આવકાર્યો હતો, જે દ્વિપક્ષીય સંબંધોમાં એક નવા પ્રકરણની શરૂઆત કરે છે અને બંને દેશો વચ્ચેના સહિયારા મૂલ્યો તેમજ સમયસિદ્ધ મિત્રતાને પ્રતિબિંબિત કરે છે.

ભારત-સ્લોવાકિયાનું સંયુક્ત નિવેદન

June 15th, 05:32 pm

સ્લોવાક પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ રોબર્ટ ફિકોના આમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ 15 જૂન 2026ના રોજ સ્લોવાક પ્રજાસત્તાકની સત્તાવાર મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રીની ફ્રાન્સ મુલાકાતના પરિણામોની યાદી

June 14th, 09:32 pm

ભારત-ફ્રાન્સ ઇનોવેશન રોડમેપ 2030 અપનાવવો

પ્રધાનમંત્રીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે સત્તાવાર મંત્રણા કરી

June 14th, 08:37 pm

બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી. તેમણે તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગની ઉત્કૃષ્ટ વૃદ્ધિ અને ઊંડાણ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને સંરક્ષણ પ્લેટફોર્મ્સ તેમજ અદ્યતન ટેકનોલોજીના સહ-ડિઝાઇન, સહ-વિકાસ અને સહ-ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરીને તેને વધુ તીવ્ર બનાવવા સંમતિ વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ અંતરિક્ષ ક્ષેત્રમાં સહયોગના સમૃદ્ધ વારસાની નોંધ લીધી હતી અને માનવ સંચાલિત સ્પેસફ્લાઇટ અને સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરી હતી. તેમણે અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રના સહયોગને વિસ્તારવાના માર્ગો પર પણ ચર્ચા કરી હતી. નાગરિક પરમાણુ ઊર્જામાં, તેમણે નોંધ્યું હતું કે ભારતનો શાંતિ એક્ટ સહયોગ માટે નવી તકો ઊભી કરે છે, જેમાં નાના અને અદ્યતન મોડ્યુલર રિએક્ટર્સનો સમાવેશ થાય છે.

ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાત પૂર્વે પ્રધાનમંત્રીનું પ્રસ્થાન વક્તવ્ય

June 13th, 10:03 am

ફ્રેન્ચ રિપબ્લિકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોન અને સ્લોવાક રિપબ્લિકના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી રોબર્ટ ફિકોના આમંત્રણ પર, હું 13 થી 18 જૂન 2026 દરમિયાન ફ્રાન્સ અને સ્લોવાક રિપબ્લિકની મુલાકાત લેવાનો છું.

પ્રધાનમંત્રીએ નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી

June 11th, 08:09 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વહેલી સવારે રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટર, નવી દિલ્હી ખાતે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ વર્ષની થીમ 'વિકસિત ભારત@2047 માટે સર્વસમાવેશક માનવ વિકાસ' હતી. આ બેઠકમાં 28 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા મુખ્યમંત્રીઓ, લેફ્ટનન્ટ ગવર્નર્સ (LG) અને વહીવટકર્તાઓ (એડમિનિસ્ટ્રેટર્સ) હાજર રહ્યા હતા. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં તમામ 28 રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હોય તેવું આ પ્રથમ વખત બન્યું હતું.

ગુજરાતના સુરતમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીજીના સંબોધનનો મૂળપાઠ

June 05th, 04:30 pm

મારી વાત શરૂ કરું તે પહેલાં, થોડા દિવસ પહેલાં જ મારા અનન્ય સાથી, જેમની સાથે મેં વર્ષો સુધી કામ કર્યું અને જીવનની અંતિમ ક્ષણ સુધી જે કાર્યરત રહ્યા, એવા કનુભાઈ માવાણીની વિદાય, આદર પૂર્વક હું તેમને શ્રદ્ધાંજલિ અર્પું છું. એક સાથી ગુમાવવાનું દર્દ સ્વાભાવિક છે, પરંતુ આજે સુરતની ધરતી પર આવ્યો છું ત્યારે, તેમના પુણ્ય સ્મરણ સાથે મારી વાત આગળ વધારું છું.