પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતમાં ભારતની સંરક્ષણ ક્ષમતા, નવીનતા અને સામૂહિક પ્રયાસો પર ભાર મૂક્યો
July 26th, 11:30 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું. તેમના સંબોધનમાં, તેમણે કારગીલ વિજય દિવસ, કૅચ ધ રેન અભિયાન, અવકાશ ક્ષેત્રમાં ભારતનું સામર્થ્ય, સાયન્સ ઓલિમ્પિયાડ્સ, પર્યાવરણ સંરક્ષણ, ખાદી જેવા મહત્વપૂર્ણ વિષયો પર ભાર મૂક્યો. તેમણે નાગરિકોને MyGov દ્વારા સ્વતંત્રતા દિવસ માટે તેમના વિચારો અને સૂચનો રજૂ કરવા આહ્વાન કર્યું.પ્રધાનમંત્રીએ 37મા ઇન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા
July 19th, 07:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લિથુઆનિયાના વિલ્નિયસ ખાતે યોજાયેલા 37મા ઇન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડમાં ભારતીય ટીમના નોંધપાત્ર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા છે, જ્યાં ટીમના ચારેય સભ્યોએ એક સુવર્ણ ચંદ્રક (ગોલ્ડ મેડલ) સહિત મેડલ મેળવ્યા છે. શ્રી મોદીએ નોંધ્યું કે ભવ્યા ગુનવાલ, સૌમિલ મૈતી, નિશિત કલાણી અને અનમોલ કુમારે મોલેક્યુલર બાયોલોજી અને બાયોકેમિસ્ટ્રી, સિસ્ટમેટિક્સ તેમજ પ્લાન્ટ કમ્પ્યુટેશનલ બાયોલોજી જેવા વિષયોનું અગાધ જ્ઞાન દર્શાવ્યું છે, અને તેમની સફળતા બીજા ઘણા યુવાનોને પ્રોત્સાહિત કરશે.