Prime Minister pays homage to Bankim Chandra Chattopadhyay on His Jayanti

June 26th, 12:50 pm

The Prime Minister, Shri Narendra Modi, today, paid tributes to the great Bankim Chandra Chattopadhyay on his Jayanti, remembering him as a towering literary luminary whose writings ignited the spirit of patriotism and cultural pride among generations of Indians.

Prime Minister pays tribute to Hazrat Imam Hussain

June 26th, 12:30 pm

The Prime Minister, Shri Narendra Modi, today, paid homage to Hazrat Imam Hussain (AS), recalling his timeless sacrifice and unwavering commitment to truth and justice. Shri Modi noted that Imam Hussain's life and martyrdom stand as an enduring reminder of the power of courage and conviction.

Prime Minister shares Sanskrit Subhashitam emphasising that collective enthusiasm and actions prosper the nation

June 24th, 03:34 pm

PM Modi shared a Sanskrit Subhashitam highlighting that a nation progresses when people work with enthusiasm, dedication and a strong sense of purpose. He said that collective effort and hard work give new energy to society and help turn development goals into reality.

Prime Minister pays homage to Dr. Syama Prasad Mookerjee on his Balidan Diwas, shares Sanskrit Subhashitam

June 23rd, 03:39 pm

PM Modi paid homage to Dr. Syama Prasad Mookerjee on his Balidan Diwas and remembered his immense contribution to nation-building, noting that his profound thoughts and ideals will continue to inspire every generation of the country. Sharing a Sanskrit Subhashitam, PM Modi also said that noble souls who renounce their personal interests for the sake of the nation, society and truth become immortal.

ઓડિશા સરકારના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 20th, 01:10 pm

હાલના દિવસોમાં આપણું ઓડિશા ઉત્સવોના આનંદમાં ડૂબેલું છે. અહીંનો ગણપર્વ રજ, ગયા અઠવાડિયે જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. મહાપ્રભુ જગન્નાથ જીની રથયાત્રાની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. મયુરભંજના બારીપદા રથયાત્રાને લઈને પણ ઉત્સાહનો માહોલ છે. અને આ બધાની વચ્ચે જ લોકશાહીના વિકાસનો ઉત્સવ પણ ચાલી રહ્યો છે. ઓડિશાની ભાજપ સરકારે પોતાના 2 વર્ષ પણ પૂર્ણ કર્યા છે. આ અવસરે, આપ સૌની વચ્ચે આવવાનું, મયુરભંજ આવવાનું આ સૌભાગ્ય અને આટલી મોટી સંખ્યામાં આપ સૌની ઉપસ્થિતિ, આ અવસર મારા માટે બહુ ખાસ છે. તમારો પોતાનો ભાવ મને વારંવાર અહીં ખેંચી લાવે છે. હું આપ સૌનું હૃદયપૂર્વક બહુ-બહુ અભિનંદન કરું છું. અને ઓડિશાની જનતાને ડબલ એન્જિન સરકારમાં વિકાસ યાત્રાની પણ વધામણી આપું છું, શુભેચ્છાઓ આપું છું. સાથે જ, આ અવસરે હું પંડિત રઘુનાથ મુર્મુ જી, ડો. દમયંતી બેશ્રા જી, અને શ્રી ચરણ હેમ્બ્રમ જી જેવી વિભૂતિઓને પણ નમન કરું છું. રઘુનાથ મુર્મુ જીએ સંથાલી ભાષા માટે ઓલ ચિકી લિપિનું નિર્માણ કર્યું હતું. આપણી સરકારે સંથાલી ભાષામાં ભારતનું સંવિધાન પ્રસ્તુત કર્યું છે. ઓડિશાના સંતાનોને પદ્મ સન્માન આપીને સન્માનિત કર્યા છે. વિતેલા 2 વર્ષોમાં ઓડિશા સરકાર પણ આ બધી વિભૂતિઓના સપનાઓને પૂરા કરવામાં દિવસ રાત પુરુષાર્થ કરી રહી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશા સરકારના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મયૂરભંજ જિલ્લાના રાયરંગપુર ખાતે ₹47,600 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

June 20th, 01:00 pm

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મયૂરભંજ જિલ્લાના પહાડપુર ગામની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પવિત્ર ઉપવન સંથાલી જાહેરા અને હો જાહેરા, સ્કિલ સેન્ટર અને પહાડપુર શાળામાં પૂજા-અર્ચના કરી હતી. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઓડિશા સરકારના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મયૂરભંજ જિલ્લાના રાયરંગપુર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમની થીમ “વિકાસ રા ધારા, ઓડિશા સારા” (Vikas ra Dhara, Odisha Sara) છે. શ્રી મોદીએ ₹47,600 કરોડથી વધુની કિંમતના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

June 20th, 08:32 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ પશ્ચિમબંગ દિવસ પર શુભેચ્છાઓ પાઠવી, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના યોગદાનને યાદ કર્યું

June 20th, 08:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમબંગ દિવસના અવસરે પશ્ચિમ બંગાળના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ સત્ય, સેવા, શિક્ષણ અને કાર્યના ગુણો પર ભાર મૂકતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું

June 18th, 09:23 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સંપત્તિ સત્યતાથી આવે છે, ખ્યાતિ નિઃસ્વાર્થ સેવાથી આવે છે, જ્ઞાન સતત અભ્યાસથી આવે છે અને શાણપણ કાર્યથી આવે છે. તેમણે કહ્યું કે આ મૂલ્યો વ્યક્તિગત ચારિત્ર્યને ઘડવામાં અને સામૂહિક પ્રગતિમાં ફાળો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

પ્રધાનમંત્રીએ આદર અને પ્રશંસાના મહત્વ પર પ્રકાશ પાડતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું

June 17th, 09:05 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રેમ સાથે આદર અને સંબંધ વ્યક્તિને મહત્વપૂર્ણ, ગર્વ અને સંતોષનો અનુભવ કરાવે છે. તેમણે કહ્યું કે આવી ઓળખ માત્ર આત્મવિશ્વાસ જ નહીં પરંતુ વ્યક્તિને નવી ઊર્જા અને ઉત્સાહથી પણ ભરી દે છે.

પ્રધાનમંત્રીએ વિવેકબુદ્ધિ અને અને વિચારશીલ નિર્ણય લેવાના મહત્વ પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું

June 16th, 08:53 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ધૈર્ય, જ્ઞાન, દૂરદર્શિતા દ્રારા માર્ગદર્શન પામેલા કાર્યોથી સુખ અને સમૃદ્ધિના દ્વાર ખુલે છે. તેમણે નોંધ્યું હતું કે દરેક નિર્ણય માટે સાવચેતીપૂર્વકની સમજણ જરૂરી છે, કારણ કે સફળતા યોગ્ય વિચાર અને વિચારણા સાથે લેવામાં આવેલા પગલાં પર બનેલી હોય છે.

ફ્રાન્સમાં ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 14th, 04:36 pm

એક એવું ભારત, જે સોલ્યુશન્સનું કન્ઝ્યુમર નહીં પરંતુ સોલ્યુશન્સનું કન્ટ્રીબ્યુટર બનીને ઉભરી રહ્યું છે. અહીં કોઈ એઆઈ (AI) થી ગામડાઓનું જીવન બદલવા માટે કામ કરી રહ્યું છે, તો કોઈ ખેડૂતોની મદદ માટે સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. કેટલાક યુવાનો સ્માર્ટ સિટીઝ, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને નવા મટિરિયલ્સથી ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે. કોઈ ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક મોબિલિટી અને બેટરી ટેકનોલોજીસથી એક સસ્ટેનેબલ ફ્યુચર સુનિશ્ચિત કરી રહ્યું છે. અને કેટલાક સ્ટાર્ટ-અપ્સ સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રમાં નવી ટેકનોલોજીઓ વિકસિત કરી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ ભારત ઇનોવેટ્સ 2026માં ભાગ લીધો (14 જૂન, 2026)

June 14th, 03:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોને આજે સંયુક્ત રીતે નીસ (Nice)ના પેલેસ ડેસ એક્સપોઝિશન્સ (Palais des Expositions) ખાતે ''ભારત ઇનોવેટ્સ 2026'' નું ઉદ્ઘાટન કર્યું હતું. ત્રણ દિવસીય કાર્યક્રમ 'ભારત ઇનોવેટ્સ', ભારતના ડીપ-ટેક સ્ટાર્ટ-અપ્સ, ઇનોવેટર્સ, સંશોધકો અને રોકાણકારોને વૈશ્વિક ઇનોવેશન ફંડ્સ અને વૈશ્વિક પદચિહ્ન (ફૂટપ્રિન્ટ) સાથે એકસાથે લાવે છે. તે વૈશ્વિક મહત્વના 13 કટોકટીના તકનીકી સ્તંભો (ક્રિટિકલ ટેક્નોલોજી પિલર્સ) પર 120 પથદર્શક (પાથબ્રેકિંગ) સ્ટાર્ટ-અપ્સ અને 20 થી વધુ ઉત્કૃષ્ટતા સંસ્થાઓ (ઇન્સ્ટિટ્યુટ્સ ઓફ એક્સેલન્સ) ને પ્રદર્શિત કરીને વૈશ્વિક મંચ પર ભારતની અગ્રણી ડીપ ટેકનોલોજીને રજૂ કરે છે. વિશ્વભરમાંથી 350 થી વધુ ટોચના રોકાણકારો અને વેન્ચર કેપિટલિસ્ટ્સ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે.

પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિ થિરૂ સીપી રાધાકૃષ્ણનજીની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો

June 10th, 07:25 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉપરાષ્ટ્રપતિ થિરૂ સીપી રાધાકૃષ્ણનજીની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતના લોકોનો વિશ્વાસ અને આશીર્વાદ તેમને રાષ્ટ્રની સેવામાં વધુ સખત મહેનત કરવાની પ્રેરણા આપે છે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિજીની હાર્દિક શુભેચ્છાઓ અને સ્નેહસભર શબ્દો બદલ આભાર વ્યક્ત કર્યો

June 10th, 07:18 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિજીની હાર્દિક શુભેચ્છાઓ અને સ્નેહસભર શબ્દો બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષો દરમિયાન જે કંઈ પણ હાસલ કરવામાં આવ્યું છે તે ભારતના લોકોના સામૂહિક પ્રયાસો અને આકાંક્ષાઓનું પરિણામ છે.

પ્રધાનમંત્રીએ ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીને તેમના શહીદ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

June 09th, 01:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીને તેમના શહીદ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે તેઓ જળ, જંગલ અને જમીનના રક્ષણ માટે વિદેશી શાસન સામે અદમ્ય હિંમતથી લડ્યા હતા.

પ્રધાનમંત્રીએ સરકારના 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણ માટે સમર્પિત ગણાવ્યા

June 09th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​જણાવ્યું હતું કે સરકારના છેલ્લા 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણ માટે સમર્પિત રહ્યા છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે 140 કરોડ દેશવાસીઓના આશીર્વાદ અને રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી, યુવાનો, મહિલાઓ અને ખેડૂત ભાઈ-બહેનોને સશક્ત બનાવવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી નથી.

પ્રધાનમંત્રીએ UN મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત થવા બદલ મેજર અભિલાષા બરાકને અભિનંદન પાઠવ્યા

June 07th, 02:06 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે UN મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત થવા બદલ મેજર અભિલાષા બરાકને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે મેજર બરાક લેબેનોનમાં સંયુક્ત રાષ્ટ્રના વચગાળાના દળ (UNIFIL) માં એન્ગેજમેન્ટ ટીમ કમાન્ડર અને જેન્ડર ફોકલ પોઇન્ટ તરીકે સેવા આપી રહ્યા છે.

'મન કી બાત' માં PM મોદીએ ગરમીથી બચવા માટે ટિપ્સ શેર કરી અને નાગરિકોને હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપી

May 31st, 11:30 am

મન કી બાતમાં આજે ફરી એકવાર આપને મળીને મને અત્યંત આનંદ થઇ રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં આપણા દેશના લોકો દેશહિતમાં, સમાજહિતમાં અદભૂત કાર્યો કરી રહ્યા છે. જ્યારે તેમના વિશે સાંભળીએ છીએ તો, આપણને એક નવી પ્રેરણા મળે છે. આજે કાર્યક્રમની શરૂઆત હું રમતગમતમાં દેશની એવી સિદ્ધિ વિશે વાત કરીશ. થોડા દિવસ પહેલાં જ ઝારખંડના રાંચીમાં રાષ્ટ્રીય રમતગમત મહાસંઘની સ્પર્ધાઓ થઇ. તેમાં લગભગ આઠસો ખેલાડીઓએ ભાગ લીધો. તેઓ આખા દેશમાંથી આવ્યા હતા. આ દરમિયાન ચાર અલગ અલગ સ્પર્ધામાં ચાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યા. ગુરિંદરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપક કુમાર, આ સાથીઓએ અલગ અલગ વર્ગમાં નવા વિક્રમ સ્થાપ્યા. હું સૌથી પહેલાં તો આ ચારેય સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ એનટીઆર ગારુને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

May 28th, 09:56 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એનટીઆર ગારુને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.