શ્રીલંકાના ભારતીય મૂળના તમિલ નેતાઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
April 05th, 10:59 pm
શ્રીલંકાના ભારતીય મૂળના તમિલ (IOT) ના નેતાઓ આજે કોલંબોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા. શ્રી મોદીએ જાહેરાત કરી કે ભારત શ્રીલંકા સરકારના સહયોગથી IOT માટે 10,000 ઘરો, આરોગ્ય સુવિધાઓ, પવિત્ર સ્થળ સીતા એલિયા મંદિર અને અન્ય સમુદાય વિકાસ પ્રોજેક્ટ્સના નિર્માણને સમર્થન આપશે.