India – Seychelles Joint Vision for Sustainability, Economic Growth and Security through Enhanced Linkages
February 09th, 03:28 pm
At the invitation of Prime Minister Narendra Modi, the President of the Republic of Seychelles Dr. Patrick Herminie is on a State Visit to India. During their meeting on 9 February 2026, PM Modi and President Herminie had comprehensive and productive discussions covering the entire spectrum of bilateral relations. The two leaders reaffirmed Seychelles' role as an important pillar in India's MAHASAGAR Vision and announced a Joint Vision for SESEL.Seychelles is an integral part of India’s MAHASAGAR Vision: PM Modi at the India and Seychelles joint press meet
February 09th, 01:00 pm
While addressing the joint press meet with Seychelles President Patrick Herminie, PM Modi said that Seychelles is an integral part of India’s MAHASAGAR Vision. He announced a Special Economic Package of 175 million dollars for Seychelles and discussed further strengthening ties across multiple sectors. Both sides issued the India–Seychelles Joint Vision, which will serve as a roadmap for cooperation in the coming years.INS વિક્રાંત પર સશસ્ત્ર દળો સાથે દિવાળી ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
October 20th, 10:30 am
આજનો દિવસ એક અદ્ભુત દિવસ છે, આ ક્ષણ યાદગાર છે, આ દ્રશ્ય અદ્ભુત છે. આજે, એક તરફ મારી પાસે વિશાળ સમુદ્ર છે, અને બીજી તરફ, ભારત માતાના બહાદુર સૈનિકોની અપાર શક્તિ છે. આજે, એક તરફ મારી પાસે અનંત ક્ષિતિજ, અનંત આકાશ છે, અને બીજી બાજુ, આ વિશાળ, પ્રચંડ INS વિક્રાંત, જે અનંત શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. સમુદ્રના પાણી પર સૂર્યના કિરણોનો આ પ્રકાશ, એક રીતે, બહાદુર સૈનિકો દ્વારા પ્રગટાવવામાં આવેલા દિવાળીના દીવા છે. આ આપણી અલૌકિક દીપ માળાઓ છે. હું ભાગ્યશાળી છું કે હું નૌકાદળના બહાદુર સૈનિકો વચ્ચે દિવાળીના આ પવિત્ર તહેવારની ઉજવણી કરી રહ્યો છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ INS વિક્રાંત પર દિવાળીની ઉજવણી કરી
October 20th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે INS વિક્રાંત પર દિવાળી ઉજવણી દરમિયાન સશસ્ત્ર દળોના જવાનોને સંબોધન કર્યું. આ દિવસને એક અદ્ભુત દિવસ, એક અદ્ભુત ક્ષણ અને એક અદ્ભુત દૃશ્ય ગણાવતા, શ્રી મોદીએ એક તરફ વિશાળ સમુદ્ર અને બીજી તરફ ભારત માતાના બહાદુર સૈનિકોની અપાર શક્તિ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે જ્યાં એક તરફ અનંત ક્ષિતિજ અને અનંત આકાશ છે, ત્યાં બીજી તરફ અનંત શક્તિના પ્રતીક INS વિક્રાંતની અપાર બહાદુરી પ્રદર્શિત થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સમુદ્ર પર સૂર્યપ્રકાશનો પ્રકાશ દિવાળી દરમિયાન બહાદુર સૈનિકો દ્વારા પ્રગટાવવામાં આવતા દીવા જેવો છે, જે દીવાઓની દિવ્ય માળા બનાવે છે. તેમણે ભારતીય નૌકાદળના બહાદુર સૈનિકો વચ્ચે આ દિવાળી ઉજવવાનો પોતાનો લ્હાવો વ્યક્ત કર્યો.પ્રધાનમંત્રીએ સેશેલ્સ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડૉ. પેટ્રિક હર્મિનીને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા
October 12th, 09:13 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સેશેલ્સ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડૉ. પેટ્રિક હર્મિનીને તેમની જીત બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.નવી દિલ્હીમાં જ્ઞાન ભારતમ પર આંતરરાષ્ટ્રીય પરિષદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 12th, 04:54 pm
આજે વિજ્ઞાન ભવન ભારતના સુવર્ણ ભૂતકાળના પુનર્જાગરણનું સાક્ષી બની રહ્યું છે. થોડા દિવસો પહેલા જ, મેં જ્ઞાન ભારતમ મિશનની જાહેરાત કરી હતી. અને આજે આટલા ટૂંકા સમયમાં, અમે જ્ઞાન ભારતમ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરી રહ્યા છીએ. તેની સાથે સંકળાયેલ પોર્ટલ પણ હવે શરૂ કરવામાં આવ્યું છે. આ કોઈ સરકારી કે શૈક્ષણિક કાર્યક્રમ નથી, જ્ઞાન ભારતમ મિશન ભારતની સંસ્કૃતિ, સાહિત્ય અને ચેતનાનું ઘોષણાપત્ર બનવા જઈ રહ્યું છે. હજારો પેઢીઓનું ચિંતન અને પ્રતિબિંબ, ભારતના મહાન ઋષિઓ-આચાર્યો અને વિદ્વાનોની સમજ અને સંશોધન, આપણી જ્ઞાન પરંપરાઓ, આપણી વૈજ્ઞાનિક વારસો, આપણે જ્ઞાન ભારતમ મિશન દ્વારા તેમને ડિજિટલાઇઝ કરવા જઈ રહ્યા છીએ. આ મિશન માટે હું બધા દેશવાસીઓને અભિનંદન આપું છું. જ્ઞાન ભારતમ અને સંસ્કૃતિ મંત્રાલયની આખી ટીમને મારી શુભકામનાઓ આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં જ્ઞાન ભારતમ પર આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી
September 12th, 04:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં જ્ઞાન ભારતમ પર આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે વિજ્ઞાન ભવન આજે ભારતના સુવર્ણ ભૂતકાળના પુનરુત્થાનનું સાક્ષી બની રહ્યું છે. તેમણે ભાર મૂક્યો હતો કે થોડા દિવસો પહેલા જ તેમણે જ્ઞાન ભારતમ મિશનની જાહેરાત કરી હતી અને આટલા ટૂંકા ગાળામાં જ્ઞાન ભારતમ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શ્રી મોદીએ માહિતી આપી હતી કે મિશન સાથે સંકળાયેલ પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ કોઈ સરકારી કે શૈક્ષણિક કાર્યક્રમ નથી એમ જણાવતા પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે જ્ઞાન ભારતમ મિશન ભારતની સંસ્કૃતિ, સાહિત્ય અને ચેતનાની ઘોષણા બનવા માટે તૈયાર છે. તેમણે હજારો પેઢીઓના ચિંતનશીલ વારસા પર પ્રતિબિંબ પાડ્યો. તેમણે ભારતના મહાન ઋષિઓ, આચાર્યો અને વિદ્વાનોના જ્ઞાન અને સંશોધનનો સ્વીકાર કર્યો, જે ભારતના જ્ઞાન, પરંપરાઓ અને વૈજ્ઞાનિક વારસાને રેખાંકિત કરે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે જ્ઞાન ભારતમ મિશન દ્વારા, આ વારસાનું ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે. તેમણે આ મિશન માટે તમામ નાગરિકોને અભિનંદન આપ્યા અને સમગ્ર જ્ઞાન ભારતમ ટીમ અને સંસ્કૃતિ મંત્રાલયને શુભેચ્છાઓ પાઠવી હતી.પરિણામોની યાદી: મોરેશિયસના પ્રધાનમંત્રીની ભારત યાત્રા
September 11th, 02:10 pm
ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને મોરેશિયસના તૃતીય શિક્ષણ, વિજ્ઞાન અને સંશોધન મંત્રાલય વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં સહયોગ અંગે સમજૂતી કરારમોરેશિયસના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય
September 11th, 12:30 pm
આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ સદીઓ પહેલાં ભારતથી મોરેશિયસ પહોંચી હતી અને ત્યાંના દૈનિક જીવનનો એક અભિન્ન અંગ બની ગઈ. કાશીમાં માતા ગંગાના અવિરત પ્રવાહની જેમ ભારતીય સંસ્કૃતિનો અવિરત પ્રવાહ મોરેશિયસને સમૃદ્ધ બનાવી રહ્યો છે. અને આજે, જ્યારે આપણે કાશીમાં મોરેશિયસના મિત્રોનું સ્વાગત કરી રહ્યા છીએ, ત્યારે તે ફક્ત ઔપચારિકતા નથી, પરંતુ એક આધ્યાત્મિક જોડાણ છે. તેથી જ હું ગર્વથી કહું છું કે ભારત અને મોરેશિયસ ફક્ત ભાગીદાર નથી, પરંતુ એક પરિવાર છે.ફીજીના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલા પ્રેસ નિવેદનનો મૂળપાઠ
August 25th, 12:30 pm
તે સમયે, અમે ફોરમ ફોર ઇન્ડિયા - પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશન, એટલે કે 'FIPIC' શરૂ કર્યું હતું. તે પહેલથી માત્ર ભારત-ફિજી સંબંધોને જ નહીં, પરંતુ સમગ્ર પેસિફિક ક્ષેત્ર સાથેના અમારા જોડાણને પણ નવી તાકાત મળી છે. અને આજે, પ્રધાનમંત્રી રમ્બુકાજીની આ મુલાકાતથી આપણે આપણા પરસ્પર સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરી રહ્યા છીએ.ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્ત્વ્ય
August 05th, 11:06 am
સૌ પ્રથમ, હું રાષ્ટ્રપતિ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ વર્ષે ભારત અને ફિલિપાઇન્સ તેમના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. અને આ સંદર્ભમાં, તેમની મુલાકાતનું વિશેષ મહત્વ છે. આપણા રાજદ્વારી સંબંધો નવા હોઈ શકે છે, પરંતુ આપણી સંસ્કૃતિઓ ખૂબ જ પ્રાચીન સમયથી સંપર્કમાં છે. ફિલિપાઇન્સની રામાયણ - મહારાડિયા લવાના - આપણા સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધોનો જીવંત પુરાવો છે. હમણાં જ બહાર પાડવામાં આવેલી ટપાલ ટિકિટો જેમાં બંને દેશોના રાષ્ટ્રીય ફૂલો છે, તે આપણી મિત્રતાની સુગંધ દર્શાવે છે.ભારત-માલદીવ રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 60મી વર્ષગાંઠ નિમિત્તે સ્મારક સ્ટેમ્પનું વિમોચન
July 25th, 09:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માલદીવ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ મુઇઝુએ ભારત-માલદીવ રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 60મી વર્ષગાંઠ નિમિત્તે સ્મારક સ્ટેમ્પનું વિમોચન કર્યું હતું.પ્રધાનમંત્રી અને માલદીવના રાષ્ટ્રપતિએ સંયુક્ત રીતે માલદીવના સંરક્ષણ મંત્રાલય ભવનનું ઉદ્ઘાટન કર્યું
July 25th, 08:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ, મહામહિમ ડૉ. મોહમ્મદ મુઇઝુએ આજે માલેમાં માલદીવના અત્યાધુનિક સંરક્ષણ મંત્રાલય (MoD) ભવનનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું હતું.ચિલીના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
April 01st, 12:31 pm
રાષ્ટ્રપતિ બોરિકની આ પહેલી ભારત મુલાકાત છે અને ભારત પ્રત્યેની તેમની મિત્રતાની ભાવના અને સંબંધોને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતા ખરેખર અદ્ભુત છે. આ માટે હું તેમને ખાસ અભિનંદન આપું છું. હું તેમનું અને તેમના પ્રતિષ્ઠિત પ્રતિનિધિમંડળનું હાર્દિક સ્વાગત કરું છું.આ અઠવાડિયે વિશ્વ ભારત પર
March 20th, 12:22 pm
આકાશથી સમુદ્ર સુધી, કૃત્રિમ બુદ્ધિથી પ્રાચીન હસ્તકલા સુધી, આ અઠવાડિયે ભારતની વાર્તા વિસ્તરણ, સફળતાઓ અને સાહસિક પગલાંઓની છે. એક તેજીમય ઉડ્ડયન ઉદ્યોગ, હિંદ મહાસાગરમાં વૈજ્ઞાનિક શોધ, ઐતિહાસિક ઉપગ્રહ પ્રક્ષેપણ અને કૃત્રિમ બુદ્ધિ નોકરીઓમાં ઉછાળો - ભારત આત્મવિશ્વાસ સાથે ભવિષ્યમાં પગલું ભરી રહ્યું છે. આ દરમિયાન, આર્મેનિયા સાથેના સંબંધો વધુ ગાઢ બને છે, એક મોટી એરોસ્પેસ કંપની ભારતીય કિનારાઓ પર નજર રાખે છે, અને કારીગરો હેરિટેજ રમકડાં બનાવવાના ક્ષેત્રમાં નવું જીવન શ્વાસ લે છે. ચાલો ભારતના અણનમ ઉદયને વ્યાખ્યાયિત કરતી વાર્તાઓમાં ડૂબકી લગાવીએ.ભારત અને ન્યુઝીલેન્ડના સંયુક્ત પ્રેસ વક્તવ્ય દરમિયાન પ્રધાનમંત્રીના અખબારી નિવેદનનો મૂળપાઠ
March 17th, 01:05 pm
હું ભારતમાં પ્રધાનમંત્રી લક્સન અને તેમના પ્રતિનિધિમંડળનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રધાનમંત્રી લક્સનને ભારત સાથે લાંબા સમયથી સંબંધો છે. આપણે બધાએ જોયું કે, કેવી રીતે થોડા દિવસો પહેલા, તેમણે ઓકલેન્ડમાં હોળીનો આનંદદાયક તહેવાર ઉજવ્યો હતો! પ્રધાનમંત્રી લક્સનનો ન્યુઝીલેન્ડમાં વસતાં ભારતીય મૂળનાં લોકો પ્રત્યેનો સ્નેહ એ વાત પરથી પણ જોઈ શકાય છે કે, સમુદાયનું એક મોટું પ્રતિનિધિમંડળ તેમની સાથે ભારત આવ્યું છે. આ વર્ષે રાયસીના ડાયલોગના મુખ્ય અતિથિ તરીકે તેમના જેવા યુવા, ઊર્જાવાન અને પ્રતિભાશાળી નેતા આવ્યા તે આપણા માટે ખૂબ જ આનંદની વાત છે.ભારત-મોરેશિયસ સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
March 12th, 12:30 pm
140 કરોડ ભારતીયો વતી, હું મોરેશિયસના તમામ નાગરિકોને રાષ્ટ્રીય દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. મારા માટે ખૂબ જ ભાગ્યની વાત છે કે મને મોરેશિયસના રાષ્ટ્રીય દિવસે ફરીથી આવવાની તક મળી રહી છે. તેથી, હું પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામજી અને મોરેશિયસ સરકારનો આભાર માનું છું.મોરેશિયસના પ્રધાનમંત્રી દ્વારા આયોજિત બેન્ક્વેટ ડિનરમાં પ્રધાનમંત્રીનું સંબોધન
March 12th, 06:15 am
સૌ પ્રથમ, હું પ્રધાનમંત્રીના ભાવનાત્મક અને પ્રેરણાદાયી વિચારો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મોરેશિયસમાં મારા ઉમદા સ્વાગત અને આતિથ્ય માટે હું પ્રધાનમંત્રી, મોરેશિયસ સરકાર અને લોકોનો આભારી છું. કોઈપણ ભારતીય પ્રધાનમંત્રી માટે મોરેશિયસની મુલાકાત હંમેશા ખૂબ જ ખાસ હોય છે. આ ફક્ત રાજદ્વારી મુલાકાત નથી પણ તેમના પરિવારને મળવાની તક છે. આજે મોરેશિયસની ધરતી પર પગ મૂક્યો ત્યારથી જ હું આ જ આત્મીયતાની લાગણી અનુભવી રહ્યો છું. દરેક જગ્યાએ પોતાનાપણું હોવાની ભાવના છે. ક્યાંય પણ કોઈ પ્રોટોકોલ પ્રતિબંધો નથી. મારા માટે ખૂબ જ ભાગ્યની વાત છે કે હું ફરી એકવાર મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે ભાગ લઈ રહ્યો છું. આ પ્રસંગે 140 કરોડ ભારતીયો વતી, હું આપ સૌને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું.મોરેશિયસની તેમની સત્તાવાર મુલાકાત પહેલા પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન
March 10th, 06:18 pm
મોરેશિયસ એક નજીકનો દરિયાઈ પડોશી, હિંદ મહાસાગરમાં એક મુખ્ય ભાગીદાર અને આફ્રિકન ખંડનું પ્રવેશદ્વાર છે. આપણે ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ દ્વારા જોડાયેલા છીએ. ઊંડો પરસ્પર વિશ્વાસ, લોકશાહીના મૂલ્યોમાં સહિયારી માન્યતા અને આપણી વિવિધતાની ઉજવણી આપણી શક્તિઓ છે.ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ
January 25th, 01:00 pm
ભારતનાં પ્રથમ પ્રજાસત્તાક દિવસ પર ઇન્ડોનેશિયા આપણો મુખ્ય અતિથિ દેશ હતો. અને તે આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે કે, જ્યારે આપણે આપણો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ, ત્યારે ફરી એકવાર ઇન્ડોનેશિયાએ આ મહત્વપૂર્ણ પ્રસંગનો ભાગ બનવાનો ગૌરવપૂર્ણ સ્વીકાર કર્યો છે. આ પ્રસંગે હું ભારતમાં રાષ્ટ્રપતિ પ્રબોવોનું હાર્દિક સ્વાગત કરું છું.