પ્રધાનમંત્રીએ વિયેતનામના ફૂ ક્વોક નજીક ભારતીય નાગરિકોની બોટ દુર્ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી
July 11th, 06:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિયેતનામના ફૂ ક્વોક નજીક ભારતીય નાગરિકો સાથે થયેલી દુઃખદ બોટ દુર્ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.ન્યૂઝીલેન્ડમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 11th, 01:15 pm
આપણે ભારતના લોકો સાંભળતા આવ્યા હતા, 20 સાલ બાદ. પરંતુ આજે ચાલીસ વર્ષ પછી કોઈ ભારતીય પીએમ ન્યૂઝીલેન્ડની ધરતી પર આવ્યા છે. આ મારું સૌભાગ્ય છે. હું ન્યૂઝીલેન્ડના તમામ રહેવાસીઓ માટે, આપ સૌ લોકો માટે, 140 કરોડ ભારતીયોની શુભેચ્છાઓ લઈને આવ્યો છું.પ્રધાનમંત્રીએ ન્યુઝીલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો
July 11th, 12:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓકલેન્ડમાં આયોજિત “કિયા ઓરા મોદી” (Kia Ora Modi) કાર્યક્રમમાં ન્યુઝીલેન્ડના ભારતીય સમુદાયના એક વિશાળ મેળાવડાને સંબોધિત કર્યો હતો. એક વિશેષ ભાવના તરીકે, ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી માનનીય ક્રિસ્ટોફર લક્સન પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ મેળાવડો ભારતીય સમુદાયના 10,000 થી વધુ સભ્યોના ઉષ્મા, ઊર્જા અને ઉત્સાહથી ભરેલો હતો.ઓસ્ટ્રેલિયામાં એક સામુદાયિક કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 09th, 03:22 pm
હું, મારા મિત્ર, ભારતના મિત્ર, પ્રાઇમ મિનિસ્ટર એન્થની અલ્બેનીઝનો પણ આભારી છું. આપ સિડનીમાં પણ સાથે હતા, અને આજે અહીં મેલબોર્નમાં પણ, ભારતીય સમુદાયની વચ્ચે આવ્યા છો. અને આ એક પ્રકારે પૂર્ણ ચક્ર થઈ ગયું છે.પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો
July 09th, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેલબોર્નના માર્વેલ સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયના એક વિશાળ મેળાવડાને સંબોધિત કર્યો હતો. એક વિશેષ સદ્ભાવના તરીકે, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી, માનનીય એન્થોની અલ્બેનીઝ પણ આ પ્રવાસી ભારતીય સમુદાયના કાર્યક્રમમાં જોડાયા હતા.Third India-Australia Annual Summit Joint Statement
July 09th, 10:58 am
At the invitation of Australian PM Anthony Albanese, PM Modi visited Australia from 8-10 July 2026 for the Third Australia-India Annual Summit in Melbourne. The two leaders reaffirmed their shared commitment to further consolidate and expand the India-Australia Comprehensive Strategic Partnership (CSP) and explore new areas of cooperation for the peace, prosperity and stability of the shared region.વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પહોંચ્યા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
July 08th, 08:42 pm
ઇન્ડોનેશિયાની સફળ મુલાકાત બાદ, પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પહોંચ્યા. આ મુલાકાત ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. મુલાકાત દરમિયાન, તેઓ વડાપ્રધાન અલ્બેનીઝ સાથે વાતચીત કરશે અને ભારતીય સમુદાયના સભ્યોને મળશે.ઇન્ડોનેશિયામાં સમુદાય કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનું સંબોધન
July 07th, 11:47 pm
આજે મારું સંબોધન શરૂ કરતા પહેલા, હું રાષ્ટ્રપતિ પ્રબોવોનો તેમના સ્નેહ અને શબ્દો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું.પ્રધાનમંત્રીએ જકાર્તામાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કર્યા
July 07th, 05:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જકાર્તામાં ભારતીય સમુદાયના એક સ્વાગત સમારોહમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમના આગમન પર, ભારતીય પ્રવાસીઓ અને ભારતના ઇન્ડોનેશિયન મિત્રોની વિશાળ જનમેદની દ્વારા તેમનું ભવ્ય અને ઉત્સાહભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એક વિશેષ આદરના પ્રતીક રૂપે, ઇન્ડોનેશિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પ્રબોવો સુબિયાન્ટો પણ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સાથે જોડાયા હતા.India-Indonesia Joint Statement on the State Visit by Prime Minister of India to Indonesia
July 07th, 05:15 pm
At the invitation of Indonesian President Prabowo Subianto, PM Modi is on a State Visit to Indonesia from 6-8 July 2026. PM Modi's visit reflects the shared commitment of the two leaders to achieve a substantial upward trajectory in the India-Indonesia Comprehensive Strategic Partnership. The two leaders held discussions at Istana Merdeka in Jakarta, covering the full spectrum of bilateral relations.પીએમ મોદી જકાર્તા પહોંચ્યા.
July 06th, 05:03 pm
પીએમ મોદી ઈન્ડોનેશિયાના જકાર્તા પહોંચ્યા. રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ તેમનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું.ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની તેમની ત્રણ દેશોની મુલાકાત પૂર્વે પ્રધાનમંત્રીનું પ્રસ્થાન વક્તવ્ય
July 06th, 09:00 am
હું 6-11 જુલાઈ 2026 દરમિયાન ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ત્રણ દેશોની મુલાકાત લઈ રહ્યો છું.પ્રધાનમંત્રીની ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની મુલાકાત
July 03rd, 08:42 pm
રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પ્રબોવો સુબિયાન્ટોના આમંત્રણ પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6-8 જુલાઈ, 2026 દરમિયાન ઇન્ડોનેશિયાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રીની ઇન્ડોનેશિયાની આ ચોથી મુલાકાત હશે અને મે 2018માં ભારત-ઇન્ડોનેશિયાના સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર પર આવ્યા બાદ તેમની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ પ્રબોવો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. જકાર્તામાં, પ્રધાનમંત્રી ભારતીય ડાયસ્પોરાના એક વિશાળ મેળાવડાને સંબોધિત કરશે. ભારત અને ઇન્ડોનેશિયા ઐતિહાસિક અને સૌહાર્દપૂર્ણ પરસ્પર લોક-સંબંધો ધરાવે છે. આ ખાસ સંબંધોને ધ્યાનમાં રાખીને, પ્રધાનમંત્રી ઇન્ડોનેશિયામાં યુનેસ્કો (UNESCO) ની અગ્રણી વિશ્વ ધરોહર સાઇટ એવા યોગ્યાકાર્તા ખાતેના પ્રમ્બનન મંદિર પરિસરની મુલાકાત લેશે.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ પર ડોક્ટરોને શુભેચ્છા પાઠવી
July 01st, 12:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે દેશભરના ડોક્ટરોને શુભેચ્છા પાઠવી અને રાષ્ટ્ર પ્રત્યેની તેમની અતૂટ સેવા, કરુણા અને સમર્પણ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.પ્રધાનમંત્રીએ રાજર્ષિ છત્રપતિ શાહુજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
June 26th, 12:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજર્ષિ છત્રપતિ શાહુજી મહારાજને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. શ્રી મોદીએ કહ્યું, તેમણે પોતાનું જીવન વંચિત, શોષિત અને પછાત વર્ગોના ઉત્થાન માટે સમર્પિત કર્યું. તેમનું મહાન કાર્ય અને આદર્શો આવનારા સમયમાં દેશને માર્ગદર્શન આપતા રહેશે.પ્રધાનમંત્રીએ એકતા અને પરસ્પર સદ્ભાવ પર ભાર મૂકતા એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 26th, 12:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં હંમેશા એકતા અને સુમેળ સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.વડાપ્રધાનની સેશેલ્સની રાજકીય મુલાકાત (27–29 જૂન, 2026)
June 25th, 06:05 pm
સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીના આમંત્રણ પર, પીએમ મોદી 27-29 જૂન 2026 દરમિયાન સેશેલ્સની મુલાકાત લેશે, જે ભારતના વિઝન મહાસાગરને આગળ વધારશે. આ મુલાકાત દરમિયાન, તેઓ સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતીના સમારોહમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે અને રાષ્ટ્રપતિ હર્મિની સાથે વાતચીત કરશે. તેઓ સેશેલ્સની રાષ્ટ્રીય સભાને પણ સંબોધિત કરશે અને ભારતીય ડાયસ્પોરાના સભ્યો સાથે વાતચીત કરશે.પ્રધાનમંત્રીએ કટોકટી દરમિયાન લોકશાહીનું રક્ષણ કરનારાઓને શ્રદ્ધાંજલિ અર્પી
June 25th, 10:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોનું દ્રઢતાપૂર્વક રક્ષણ કરનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેને ભારતના ઇતિહાસના સૌથી અંધકારમય પ્રકરણોમાંના એક તરીકે ગણાવ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે આ સમયગાળાએ એવા અસંખ્ય નાગરિકોની અસાધારણ હિંમત અને દ્રઢતા પણ દર્શાવી હતી જેમણે મૌન રહેવાનો ઇનકાર કર્યો હતો અને બંધારણમાં સમાવિષ્ટ આદર્શોને જાળવી રાખ્યા હતા.પ્રધાનમંત્રીએ સામૂહિક ઉત્સાહ અને કાર્યો રાષ્ટ્રને સમૃદ્ધ બનાવે છે તે બાબત પર ભાર મૂકતો સંસ્કૃત સુભાષિત શેર કર્યુ
June 24th, 03:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યુ છે, જેમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે કે સામૂહિક સમર્પણ અને પુરુષાર્થ દ્વારા રાષ્ટ્રની સમૃદ્ધિ અખંડ રહે છે. આ જ ભાવના સમાજને નવી ઊર્જા આપે છે અને વિકાસના સંકલ્પોને સિદ્ધ કરવા સુધી પહોંચવાનો માર્ગ પ્રશસ્ત કરે છે.ઓડિશા સરકારના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 20th, 01:10 pm
હાલના દિવસોમાં આપણું ઓડિશા ઉત્સવોના આનંદમાં ડૂબેલું છે. અહીંનો ગણપર્વ રજ, ગયા અઠવાડિયે જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. મહાપ્રભુ જગન્નાથ જીની રથયાત્રાની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. મયુરભંજના બારીપદા રથયાત્રાને લઈને પણ ઉત્સાહનો માહોલ છે. અને આ બધાની વચ્ચે જ લોકશાહીના વિકાસનો ઉત્સવ પણ ચાલી રહ્યો છે. ઓડિશાની ભાજપ સરકારે પોતાના 2 વર્ષ પણ પૂર્ણ કર્યા છે. આ અવસરે, આપ સૌની વચ્ચે આવવાનું, મયુરભંજ આવવાનું આ સૌભાગ્ય અને આટલી મોટી સંખ્યામાં આપ સૌની ઉપસ્થિતિ, આ અવસર મારા માટે બહુ ખાસ છે. તમારો પોતાનો ભાવ મને વારંવાર અહીં ખેંચી લાવે છે. હું આપ સૌનું હૃદયપૂર્વક બહુ-બહુ અભિનંદન કરું છું. અને ઓડિશાની જનતાને ડબલ એન્જિન સરકારમાં વિકાસ યાત્રાની પણ વધામણી આપું છું, શુભેચ્છાઓ આપું છું. સાથે જ, આ અવસરે હું પંડિત રઘુનાથ મુર્મુ જી, ડો. દમયંતી બેશ્રા જી, અને શ્રી ચરણ હેમ્બ્રમ જી જેવી વિભૂતિઓને પણ નમન કરું છું. રઘુનાથ મુર્મુ જીએ સંથાલી ભાષા માટે ઓલ ચિકી લિપિનું નિર્માણ કર્યું હતું. આપણી સરકારે સંથાલી ભાષામાં ભારતનું સંવિધાન પ્રસ્તુત કર્યું છે. ઓડિશાના સંતાનોને પદ્મ સન્માન આપીને સન્માનિત કર્યા છે. વિતેલા 2 વર્ષોમાં ઓડિશા સરકાર પણ આ બધી વિભૂતિઓના સપનાઓને પૂરા કરવામાં દિવસ રાત પુરુષાર્થ કરી રહી છે.