પ્રધાનમંત્રીએ ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી સાથે સત્તાવાર વાતચીત કરી
July 04th, 11:51 pm
બંને નેતાઓએ કૃષિ, આરોગ્યસંભાળ અને ફાર્માસ્યુટિકલ્સ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, UPI, ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિ, રમતગમત અને લોકો વચ્ચેના સંબંધો સહિત સંભવિત સહયોગના વિવિધ ક્ષેત્રો પર ચર્ચા કરી હતી. વિકાસ સહયોગ ભારત-ત્રિનિદાદ અને ટોબેગો ભાગીદારીનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. પ્રધાનમંત્રી બિસેસરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત બંને દેશો વચ્ચેના ઊંડા મૂળિયાવાળા દ્વિપક્ષીય સંબંધોને ફરીથી મજબૂત બનાવશે.પ્રધાનમંત્રીનું ત્રિનિદાદ અને ટોબેગોની સંસદના સંયુક્ત સત્રમાં સંબોધન
July 04th, 09:30 pm
હું ભારતના 1.4 અબજ લોકો તરફથી શુભેચ્છાઓ લઈને આવ્યો છું. હું ઘાનાના લોકો તરફથી પણ હાર્દિક શુભેચ્છાઓ લઈને આવ્યો છું, જે દેશની મેં અહીં આવતા પહેલા મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યુ
July 04th, 09:00 pm
ગૃહને સંબોધતા પ્રધાનમંત્રીએ વિશ્વના સૌથી મોટા લોકશાહીના સભ્યોને ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે T&Tના લોકોનો તેમને સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ભારતીય લોકશાહીની જીવંતતા વિશે વિગતવાર જણાવતા, તેમણે કહ્યું કે લોકશાહીની માતા તરીકે, ભારતે લોકશાહીને તેની સંસ્કૃતિ અને જીવનનો અભિન્ન ભાગ બનાવ્યો છે. તેમણે કહ્યું કે આ અભિગમથી ભારતની વિવિધતા ખીલી અને સમૃદ્ધ થઈ છે અને તમામ મંતવ્યો સહઅસ્તિત્વ ધરાવે છે અને સંસદીય ચર્ચા અને જાહેર ચર્ચાને સમૃદ્ધ બનાવે છે.