પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભારતના સૌથી લાંબી મુદત સુધી સતત સેવા આપનારા લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ વિશ્વના નેતાઓ તરફથી અભિનંદન આપતા સંદેશા મળ્યા

June 10th, 02:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભારતના સૌથી લાંબી મુદત સુધી સતત સેવા આપનારા લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ વિશ્વભરના વિવિધ દેશોના વડાઓ અને સરકારો તરફથી અભિનંદન સંદેશા મળ્યા છે.

ઓર્ડર ઓફ નાઇજરના ગ્રાન્ડ કમાન્ડરના એવોર્ડની સ્વીકૃતિ પર પ્રધાનમંત્રીનું ભાષણ

November 17th, 08:30 pm

હું નાઇજિરિયાના રાષ્ટ્રીય પુરસ્કાર ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજરથી મને સન્માનિત કરવા બદલ આપનો, સરકાર અને નાઇજિરીયાના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું નમ્રતા અને આદર સાથે આ સન્માન સ્વીકારું છું. અને, હું આ સન્માન ભારતની 1.4 અબજ જનતાને અને ભારત અને નાઇજીરિયાની વચ્ચેની મજબૂત મૈત્રીને સમર્પિત કરું છું. આ સન્માન આપણને ભારત અને નાઇજીરિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા માટે સતત પ્રેરિત કરતું રહેશે.

પ્રધાનમંત્રીને રાષ્ટ્રીય પુરસ્કાર - “ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઈજર”થી નવાજવામાં આવ્યા

November 17th, 08:11 pm

સ્ટેટ હાઉસ ખાતે એક સમારોહમાં ફેડરલ રિપબ્લિક ઓફ નાઇજીરિયાના પ્રમુખ, મહામહિમ શ્રી બોલા અહેમદ ટીનુબુએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભારત-નાઈજીરિયા સંબંધોને પ્રોત્સાહન આપવા માટે અદભૂત યોગદાન અને તેમનાં રાજનીતિક કૌશલ્ય માટે રાષ્ટ્રીય પુરસ્કાર - ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઈજર એનાયત કર્યો હતો. પુરસ્કારના પ્રશસ્તિ-પત્રમાં પ્રધાનમંત્રીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતને વૈશ્વિક પાવરહાઉસ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તેમના પરિવર્તનકારી શાસને બધા માટે એકતા, શાંતિ અને સહિયારી સમૃદ્ધિને પ્રોત્સાહન આપ્યું હોવાનું જણાવ્યું છે.